મહાવીર સ્વામી
| મહાવીર | |
|---|---|
| ૨૪મા જૈન તીર્થંકર | |
મહાવીર સ્વામીનું લઘુ ચિત્ર |
|
| માહિતી | |
| અન્ય નામ: | વર્ધમાન,સન્મતિનાયક,વીર,મહા-અતિવીર, શ્રમણ, નિગંથ |
| અસ્તિત્વનો ઐતિહાસિક સમય: | ૫૯૯–૫૨૭ ઈ.પૂ. |
| કુટુંબ | |
| પિતા: | સિદ્ધાર્થ |
| માતા: | ત્રિશલા (પ્રિયકરણી) |
| કુળ: | ઈક્ષ્વાકુ |
| સ્થળો | |
| જન્મ: | કુંડલગ્રામ (બિહાર, વૈશાલી જિલ્લો) |
| નિર્વાણ: | પાવાપુરી (બિહાર, નાલંદા જિલ્લો) |
| Attributes | |
| વર્ણ: | પીળો |
| લાંછન: | સિંહ |
| ઊંચાઈ: | ૬ ફૂટ |
| મૃત્યુકાળે ઊંમર: | ૭૨ વર્ષ |
| ક્ષેત્ર રક્ષક દેવ | |
| યક્ષ: | માતંગ |
| યક્ષિણી: | સિદ્ધાયિકા |
મહાવીર અર્થાત્ "મહાન નાયક કે અતિ બહાદૂર", એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર "વર્ધમાન"ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દર્મ્યાન થઈ ગયાં. [૧]) વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪મા અને અંતિમ તીર્થંકર હતાં . તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ, અતિવીર,અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે. બૌદ્ધત્વના પાલિ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ નોગંથ નાતપુત્તા તરીકે થયો છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] જન્મ
[ફેરફાર કરો] રાજકુમાર વર્ધમાનનો જન્મ
ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી.[૨] , આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે.
જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને દેવલોકમાં લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જયંતી સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે..
[ફેરફાર કરો] શરૂઆતનો કાળ
રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે તેઓ રાજકુમાર તરીકે રહ્યાં હતાં. બાલ વયે પણ તેમનો સ્વાભાવ સદગુણો ધરાવતો ચારિત્ર્યવંત અને આદર્શ હતો. તેઓ ઘની વખત ધ્યાનમાં લીન બની જતાં અને સ્વ-ચિંતન કરતાં. તેઓ જૈન ધર્મના મૂળભૂત વિચારો પ્રત્યે આકર્ષિત થયાં અને સંસારિક આકર્ષણોથી દૂર થતા ગયાં.
[ફેરફાર કરો] આધ્યત્મિક શોધ
ત્રીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય , પરિવાર અને ભુતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું.આ ૧૨ વર્ષ્હ દરમ્યાન તેમણે મોટા ભાઅગનો સમન ધ્યાન અને આત્મ ચિંતનમાં ગાળ્યો. તઓ માનવ, પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેઅમ્નુમ્ ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દ્રમ્યાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આદ્યાત્મીક સફરના આ તેઅમના સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.
[ફેરફાર કરો] સંયમી જીવન
કલ્પસૂત નામના જૈન ગ્રંથમાં મહાવીરના સંયમે જીવનનું ખૂબ વિસ્તાર પૂર્વક વર્ણન આવે છે. જેને અન્ય્સરીને જ જૈનવના સંયમ આદિના નિયમો નક્કી કરાયા છે.
| “ | સંયમી સાધુ મહાવીરએ એક વર્ષ અને એક મહીના સુધી વસ્ત્રો ધારણ કર્યાં ; ત્યાર બાદ તેઓ નિર્વસ્ત્ર જ ફરતાં, અને પોતાના ખોબામાં જ આહાર વહોરીને ખાતા. બાર વર્ષ સુધી ત્યાગી જીવન ગાળ્યું તે દરમ્યાન તે દરમ્યાન તેમણે શરીરની જરા પણ પરવા ન કરી તીની જરા પણ શાતા સારવાર ન કરી. માનવ , પ્રાણી કે સંજોગો દ્વારા થતા સારા કે ખરાબ સૌ અનુભવો સમતા ભાવે સહન કર્યાં. | „ |
|
—કલ્પ સૂત્ર ૧૧૭ |
||
[ફેરફાર કરો] પાછલા વર્ષો
પાછલા વર્ષો મહાવીરે ભારતના લોકોને આત્મીક મુક્તિનો શાસ્વત સત્ય માર્ગ બતાવવામાં કર્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર ફરતાં, વાતાવરણનેએ તીવ્રતા સહન કરતાં, જીવનના કોણ પણ સ્તર પરથી તેઅમ્ની દેશના સાંભળવા આવેલા માણસોને મળતાં. એક સમયે મહાવીરના ૩૭,૦૦૦,૦૦૦ અનુયાયીઓ હતાં. મહાવીરની દેશના અને જૈન તત્વજ્ઞાન સમજાવવા માટે કરેલા શ્રમને પરિણામ સ્વરૂપ જૈન ધર્મના ફેલાવાને બળ મળ્યું.
૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. કિન લોકો માને છે કે ભ્ગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ ઈ. પૂ. ૫૯૯-૫૨૭ હતો જ્યારે અમુક વિદ્વાનો માને છે આ કાળ ઈ.પૂ.૫૪૯-૪૭૭નો હતો. [૪]
[ફેરફાર કરો] પૂર્વ જન્મો
ત્રેસઠ શલાકા પુરુષ અને ઉત્તર પુરાણ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં મહાવીરના પૂર્વ જન્મનો ઉલ્લેખ આવે છે. સંસાર ચક્રમાં રહેતાં જીવ અનંત જન્મ લે છે. તીર્થંકરોના જન્મના કાળની ગણના ત્યારથી થાય છે જ્યારથી તેઓ સમયક્ત્વ કે તીર્થંકર નામ ગોત્ર કર્મ પામે છે. તીર્થંકરના ભવ પહેલાં જૈન દર્શનમાં ભગવાન મહાવીરના ૨૬ ભવોનું વર્ણન આવે છે. [૫] તે આ પ્રમાણે છે:[૬]
- નયસાર – ગામના મુખી, જેમણે જૈન સાધુનોઇ ઉપદેશ સાંભળીની અર્ધ આત્મજ્ઞાન મેળવ્યું.
- દેવ - પ્રથમ સુધર્મ દેવલોક
- મરિચિ રાજકુમાર – પ્રથમ તીર્થંકર ઋષભ દેવના પૌત્ર.
- દેવ પાંચમા બ્રહ્મ દેવલોક
- કૌશિક– બ્રાહ્મણ
- પુષ્યમિત્ર– બ્રાહ્મણ
- દેવ પ્રથમ સૌધર્મ દેવલોક
- અગ્નિદ્યોત – બ્રાહ્મણ
- દેવ બીજું ઈશન દેવલોક
- અગ્નિભૂતિ – બ્રાહ્મણ
- દેવ- ત્રીજું સુધર્મ
- ભારદ્વાજ – બ્રાહ્મણ
- દેવ - ચોથું મહેન્દ્ર
- સ્થવીર – બ્રાહ્મણ
- દેવ- પાંચમા બ્રહ્મ દેવલોક
- રાજકુમાર વિષ્ણુભૂતિ
- દેવ સાતમું મહાશુક્ર
- ત્રિપુષ્ટ વાસુદેવ – કાલચક્રના પ્રથમ વાસુદેવ
- નારક સાતમી નરકમાં
- સિંહ
- નારક ચોથી નરકમાં
- માનવ (નામ અજ્ઞાત)
- પ્રિયમિત્ર – ચક્રવર્તી (સાત ખંડના અધિપતી)
- દેવ - સાતમું મહાશુક્ર દેવલોક
- નંદન રાજકુમાર – તેમણે સ્વ-નિયંત્રણ દ્વારા તીર્થમ્કર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.
- દેવ - દસમું પ્રાણત દેવલોક
- વર્ધમાન મહાવીર (અંતિમ ભવ)
[ફેરફાર કરો] આધ્યાત્મ
મહાવીરના તત્વ ચિંતન અનુસાર આઠ મૂળભૂત સિદ્ધાંત છે. - ત્રણ આધ્યત્મીક અને પાંચ નૈતિક. જેનો ઉદ્દેશ્ય જીવન સ્તરની ઉન્નતી છે.
મહાવીરે શીખવાડ્યું કે અનંત કાળથી દરેક જીવ (આત્મા) તેણે કરેલા સારા અને ખરાબ કાર્યને પરિણામે તે કાર્મિક અણુઓ દ્વારા બંધાયેલો છે.ક્રમો દ્વારા થયેલી ભ્રમણાને પરિણામે જીવને ભૈતિક દુનિયાની સુખ સમૃદ્ધિની હંગામી સામગ્રીમાં સુખ દેખાય છે. જેને પરિણામે જીવમાં સ્વાર્થ સભર હિંસક વિચાર સરણી અને કાર્યો કરે છે. આગળ જતાં તેને કારણે ક્રોધ, નફરત, લાલચ અને અન્ય દુર્ગુણો વિકસે છે. આને કારણે આગળ જતાં વધુ કર્મો બંધાય છે.
આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી, સમ્યક દર્શન (સાચો વિશ્વાસ) , સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રનું ના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે:
- અહિંસા - કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી;
- સત્ય - હમેંશા સત્ય બોલવું;
- અસ્તેય - અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું;
- બ્રહ્મચાર્ય - મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું;
- અપરિગ્રહ - ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી.
અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતાં નથી. સાધુ અને સાધ્વીજીઓ ને કઠોરતા પૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે.
મહાવીરે શીખવ્યું કે આધ્યાત્મીક દ્રષ્ટીએ પુરુષો અને સ્ત્રીઓ એક સમાન હોય છે અને બંને મોક્ષ મકે મુક્તિ ની શોધમાં સંસાર ત્યાગી આત્મીક આનંદની પ્રાપ્તિમાં નીકળી શકે છે.
મહાવીર દ્વારા જીવનના દરેક સ્તરના લોકો આકર્ષિત થયાં હતાં; અમીર - ગરીબ, સ્ત્રીઓ - પુરુષો, છૂત- અછૂત. તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે.
મહાવીર સ્વામીની દેશનાને ગણધર તરીકે તેમના તેમના શિષ્યોએ સૂત્રમાં ગૂંથીને શ્રાવ્ય જ્ઞાન રૂપે સાચવ્યું. સમય વીતતો ગયો તેમ ઘણાં આગમ સૂત્રિ ભૂલાતાં ગયાં અને નામશેષ થયાં કે બદલાઈ ગયાં. મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાઅવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.
મહાવીરના સમય પહેલાં પણ જૈનત્વનું અસ્તિત્વ હતું અને તેમની શિક્ષા તેમના પૂરોગામી અનુસાર જ હતી. આમ મહાવીર એક વિહરમાન ધર્મના પરિવર્તક કે ઉદ્ધારક કે પ્રસારક હતાં. તેમણે આગલા તીર્થંકર પાર્શ્વનાથના ચીલાને આગળ ચલાવ્યો.જો કે મહાવીરે તેમના સમ્યમાં પ્રચલિત સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મના નિયમો રચ્યાં.
મહાવીર નિર્વાણ પછી જૈન સંઘવધુ અને વધુ જટિલ બનવા લાગ્યો. નાના મુદ્દે મતભેદો પડવા લાગ્યાં જોકે મહાવીરની મૂળભૂત સીખમાં કાંઈ ફરક ન હતો. પાઘળની પેઢીઓમાં ક્રિયા કાંડો આદિ પ્રવેશ્યાં.
[ફેરફાર કરો] ગ્રંથો
મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુઇસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ-૧ રચિત કલ્પસૂત્ર. ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં - 'વર્ધમાનચરિત્ર- અસાગ દ્વારા લખાયું. [૭]
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] નોંધ
- ↑ "મહાવીર" બ્રિટાનિકા કન્સાઈઝ એન્સાયક્લોપીડિયા. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, Inc., ૨૦૦૬. Answers.com ૨૯ નવેં ૨૦૦૯. http://www.answers.com/topic/mahavira
- ↑ મેહતા, ટી.યુ (૧૯૯૩). "પાથ ઓફ અર્હત (અરિહંત) - અ રીલીજીયસ ડેમોક્રેસી" ૬૩. પુજ્ય સોહનલાલ સ્મારક પાર્શ્વનાથ શોધપીઠ. Retrieved on ૨૦૦૮-૦૩-૧૧.
- ↑ જેકોબી, હર્મન; એડ.એફ મેક્સ. મુલરr (૧૮૮૪). ધ કલ્પ સૂત્ર,, સેક્રીડ બુજ્સ ઑફ ધ ઈસ્ટ ખંડ ૨૨, ભાગ ૧]] (in અંગ્રેજી: પ્રાકૃતમાંથી અનુવાદિત). ઓક્સફોર્ડ: ધ ક્લેરડોન પ્રેસ. ISBN 070071538X.
- ↑ ધ પેરિનિયલ ડિક્ષનરી ઓફ વર્લ્ડ રિલિજીયન્સ. કેઈથ ક્રીમ, સંપાદક. હાર્પર એન્ડ રો પબ્લીશર્સ: ન્યૂ યોર્ક, ૧૯૮૯. ૪૫૧.
- ↑ ગ્લાસેનેપ, હેલ્મથ વોન; (અનુ.) શ્રીધર બે.શ્રોત્રી (૧૯૯૯). જૈનીઝમ: એન ઈંડિયન રીલીજીયન ઓફસાલ્વેશન (in અંગ્રેજી, જર્મનમાંથી અનુવાદિત). દીલ્હી: મોતીલાલ બનારસીદાસ પબ્લી.. ISBN 8120813766. p. 327
- ↑ હેલન, ઝોન્સન [૧૯૩૧] (2009). in મુનિ સંવેગયશવિજય મહારાજ: ત્રેશઠ શલાકા પુરુષ્હ ચરિત્ર ઓફ હેમચંદ્ર: ધ જૈન સૅગા ખંડ ૩ (in અંગ્રેજી. પ્રાકૃતમાંથી અનુવાદિત). વડોદરા: ઓરિયેન્ટલ ઈન્સ્ટીટ્યુટ. ISBN 978-81-908157-0-3. પૃ. ૩૧૮—૩૩૩
- ↑ જૈન, કૈલશ ચંદ (૧૯૯૧). લોર્ડ મહાવીર એન્ડ હીઝ ટાઈમ્સ, લાલા એસ. એલ. જૈન રિસર્ચ સીરીઝ. મોતીલાલ બનારસીદાસ, ૫૯. ISBN 8120808053.
[ફેરફાર કરો] વધુ વાંચન
- "શ્રમણ મહાવીર" - આચાર્ય મહાપ્રજ્ઞ
- "લોર્ડ મહાવીર એન્ડ હીઝ ટાઈમ્સ" - કૈલાશચંદ જૈન(૧૯૯૧) મોતીલાલ બનારસીદાસ પબ્લીશર્શ પ્રા. લિ. દીલ્હી (ભારત)
- "લોર્ડ મહાવીર (અ સ્ટડી ઈન હીસ્ટોરીકલ પર્સપેક્ટીવ)" - બૂલ ચંદ(૧૯૮૭) પી.વી. રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ આય.ટી.આય રોડ વારાણસી -૫(ભારત)
- "લોર્ડ મહાવીર ઈન આઈઝ ઓફ ફોરેનર્સ" - અક્ષયકુમાર જૈન (૧૯૭૫) મીના ભારતી નવી દીલ્હી ૧૧૦૦૦૩ (ભારત) વૈભવ સિંહ ૮મો