મોક્ષ
હિન્દુ ધર્મનાં શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવ્યા અનુસાર મોક્ષ એટલે ભવ ભવના બન્ધનમાંથી મુક્ત થવું.
ઍમ તો આધ્યાત્મ અને મારા કાંઈ અબોલા નથી પણ દોસ્તી પણ નથી. કોઈક વાર પ્રભુ ના દર્શન કરી લુ' ખરો. ઍક વાર અચાનક મારા પપ્પા ને મે પુછ્યુ કે પપ્પા આમ આખો દિવસ અલગ અલગ ભગવાન ની માળા ફેરવવા મા આનંદ આવે છે કે ભગવાન થી કઈ આશા પુરી કરવા મનામના કરો છો? ઍમની પાસે આમ તો કોઈ જવાબ હતો નઈ પણ ઍમને ભારીભરખમ જવાબ આપ્યો કે " મને આંતરિક આનંદ મળે છે".
ઍટલે હૂ અવાક થઈ ગયો. પણ તોય મને સંતોષ કારક જવાબ નોહતો મળ્યો. ઍટલે મે ઍક ધર્મ ગુરુ ને પુછયુ કે અધ્યાત્મ નો છેડો શું ? ઍમણે જવાબ આપ્યો "મોક્ષ, મોક્ષ મા જવા માટે નો ઍક માત્ર રસ્તો છે અધ્યાત્મ." વળી પાછો હું મૂંઝાયો. આ "મોક્ષ" નો અર્થ મને કોઈ ડીક્ષનરી મા મળ્યો નહી. અને ઍક બે બુધ્ધીજીવીઑ ઍ તો મને કટાક્ષ પણ કર્યો કે મોક્ષ નો મતલબ કોઈ ડીક્ષનરી મા નહી પણ અન્તર આત્મા મા શોધવો પડે. હવે તો હૂ બિલકુલ મોક્ષ પાછળ જ પડી ગયો. મને જવાબ તો ઘણા મળ્યા. જેમકે ઍક ભલા માણસે તેના ગુરુ પાસે થી મળેલુ જ્ઞાન હલકુ કર્યુ ઍને કહ્યુ કે "જીવ (આત્મા) ઍક યોની માથી બીજી યોની મજતિ હાય છે. આવી ૮૪ લાખ યોની મા જીવ ભટકે છે. અહીં યોની નો અર્થ શુદ્ધ કરતા ઍમણે કહ્યુ કે યોની ઍટલે પૃથ્વી પરના જીવ જેમકે મનુષ્ય,હાથી, ઘોડા, કીડી, મકોડા, કુતરા , બિલડા વગેરે.જેને પોતાના જીવ નૅ ભટકતો દેવો ના હોય તેના માટે મોક્ષ હોય છે. પણ મોક્ષ આસની થી મળતુ નથી. મોક્ષ મા જવા માટે પુણ્ય ના પોટલા બાંધવા પડે. જે સંસાર મા રહી નૅ શક્ય નથી."
હવે તો હું વધારે ડઘાયો કે લોકો ને મોક્ષ ઍટલે જોઈયે છે કે મનુષ્ય જન્મ થી કંટાળી ગયા છે ? કટલી સુંદર દુનિયા કુદરત જાણે કારામતી બૅની ગયી ઍમ કેટલો સુંદર કુદરત નો સ્વભાવ અન આ સુંદરતા માણવા ની જગ્યા ઍ બધા છટક બારી શોધી રહ્યા છે. અરે મને તો ખુબજ આઘાત લાગ્યો જ્યારે મારા સ્વજને મને કહ્યુ કે જો તૂ આવતા જન્મ મા કૂતરો બન્યો તો ઍક્સિડેન્ટ મા મોત થશે. આને તારી પાસે તારુ પોતાનુ કાય નહી હોય.
પણ મિત્રો હવે ઍ વાત તો પાક્કી કે કોઇ ભેંટ મા પણ મોક્ષ આપે તો મને નથી જોઈતૂ. મને તો દુનિયા ના બધા જીવ નો જન્મ જોયે છે. મારે કીડી બની નૅ સેનાપતિ થવુ છે, હાથી બની નૅ મદ મસ્ત થવુ છે., સિંહ બની નૅ શિકાર પણ કરવો છે. અને પક્ષી બની નૅ ઉંચા અમ્બર મા ઉડવુ છે. બધા જીવ ની ખુશી અને દુખ બંને જોવા છે. મારે તો ૮૪ લાખ યોની માથી પસાર થવુ છે. હવે તો મને મોક્ષ મા નહી જવુ પડે નૅ. !!!!! રહ્યો અધ્યાત્મ નો સવાલ તો ઍનિ જરૂર પડશે ???