હિંમતનગર
| હિંમતનગર | |
|
|
|
| રાજ્ય - જિલ્લો |
Gujarat - સાબરકાંઠા |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
- ૧૨૭ m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૫૮,૨૬૭ - |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૮૩૦૦૧ - +૦૨૭૭૨ - જી જે ૦૯ |
</noinclude> હિંમતનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. હિંમતનગર આ તાલુકાનું તેમ જ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે.
[ફેરફાર કરો] હિંમતનગરનો ઇતિહાસ
હિંમતનગર શહેરની સ્થાપના સુલતાન અહમદ ૧લાએ (ઈ. સ. ૧૪૧૧ થી ઈ. સ. ૧૪૪૩) કરી હતી. ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ. સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું, એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ. સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું અને ઇ. સ. ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનું નામ અહમદનગરમાંથી તેનું હાલનું નામ હિંમતનગર બદલવામાં આવ્યું.
શહેરમાં ર દિગ્મબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂનીદરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અને પ્રજા માટેનાં અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સોથી જૂની વાવ કાઝીની વાવ તરીકે પ્રખ્યાત છે,જે રેલવેપુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.