ભૂપેશ અધ્વર્યુ

વિકિપીડિયામાંથી
ભૂપેશ અધ્વર્યુ
જન્મભૂપેશ ધીરુભાઈ અધ્વર્યુ
૫ મે ૧૯૫૦
ચિખલી, વલસાડ તાલુકો
મૃત્યુ૨૧ મે ૧૯૮૨
ગણદેવી
વ્યવસાયઅધ્યાપક, લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારત
નાગરિકતાભારત
શિક્ષણબી.એ., એમ.એ.

ભૂપેશ અધ્વર્યુ (૫ મે ૧૯૫૦ - ૨૧ મે ૧૯૮૨) ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, વિવેચક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ વલસાડ તાલુકાના ચીખલી ગામમાં થયો હતો. ૧૯૬૬માં તેમણે એસ.એસ.સી.; ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી સાથે બી.એ.; ૧૯૭૨માં એ જ વિષય સાથે એમ.એ.ની પદવીઓ મેળવી. તેઓ ૧૯૭૨-૭૩ પાલનપુરમાં, ૧૯૭૩-૭૪ બાલાસિનોરમાં, ૧૯૭૪-૭૭ મોડાસામાં અધ્યાપક રહ્યા હતા. વ્યવસાયની નિરર્થકતા જણાતાં તેમણે અધ્યાપન છોડ્યું અને સ્વતંત્ર સાહિત્યલેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યો. છેલ્લે-છેલ્લે તેમને કલા અને સાહિત્યની સાર્થકતા અંગે પણ શંકા ઉભી થઇ હતી.

ગણદેવીની નદીમાં ડૂબી જવાથી ૨૧ મે ૧૯૮૨ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

સાહિત્યિક સર્જન[ફેરફાર કરો]

હનુમાન લવ કુશ મિલન (૧૯૮૨) રમણ સોની, જયદે શુકલ અને ધીરેશ અધ્વર્યુ દ્વારા સંપાદિત મરણોત્તર વાર્તાસંગ્રહ છે, જેમાં ૧૬ વાર્તાઓનો સમાવેશ થયો છે. પ્રથમ સ્નાન (૧૯૮૬) તેમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે, જેમાં પ્રથમ સ્નાન અને બૂટકાવ્યો કાવ્યો નોંધપાત્ર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]