ચર્ચા:હરિવંશ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હરિવંશ પુરાણ તે નામે વાસ્તવિક રીતે જોવા જઈએ તો કોઈ પુરાણ નથી, તેનો સમાવેશ આપણા ૧૮ પુરાણોમાં પણ થતો નથી. ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતું આ અધિકૃત સાહિત્ય છે જેની રચના વેદવ્યાસ મુનીએ જ કરી છે, છતાં તે પુરાણ તો નથી જ. તો લેખનું નામ બદલીને ફક્ત હરિવંશ ના કરવું જોઈએ? કેમકે આ આખો ગ્રંથ ફક્ત હરિવંશ ના નામે જ લખાયેલો છે, જે ખરૂં જોતા તો મહાભારતથી પણ સ્વતંત્ર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૬, ૨૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)

આજ વાત મને પણ લાગે છે. હરિવંશએ સ્વતંત્ર ગ્રંથ છે અને તેને પુરાણ તરીકે ન ગણતા તેની ગણના ઐતિહાસીક ગ્રંથ તરીકે થાય છે. શ્રીભાણદેવના એક [લેખ] મુજબ આપ્રમાણે જાણવા મળે છે. "ઈતિહાસપુરાણને વેદનું ઉપાંગ કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ રચિત વાલ્મીકીય રામાયણ અને ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત – આ બે ઈતિહાસના પ્રધાન ગ્રંથો છે. હરિવંશ, અધ્યાત્મ રામાયણ આદિ ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે."

આમ આ લેખનું નામ બદલીને ફક્ત હરિવંશ કરવું જોઈએ. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૫૨, ૨૫ ઓકટોબર ૨૦૧૦ (UTC) સ્વાધ્યાય પરિવારના પરમ પુજ્ય પાડુરગ દાદા ના મતે હરીવશ એ પુરાણ નથી જ. હરિવશ એ શ્રીક્રુષ્ણના જીવનને સમજવાનો પ્રમાણભૂત ગ્રથ છ