ઘંટીયાળી (તા. થરાદ)

વિકિપીડિયામાંથી
ઘંટીયાળી
—  ગામ  —
ઘંટીયાળીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ઘંટીયાળી (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. ઘંટીયાળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં ૩૫૦ વર્ષ પુરાણું એક ખોડીયાર માતાજીનું મંદિર ઢીમા-ભોરોલ રોડ પર આવેલું છે. આ ગામની વસ્તિ ૧૧૫૦ની છે. આ ગામમાં મુખ્યત્વ જીરું, બાજરી, દિવેલા, તેમ જ કઠોળની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.