ઘંટીયાળી (તા. થરાદ)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. ઘંટીયાળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં ૩૫૦ વર્ષ પુરાણું એક ખોડીયાર માતાજીનું મંદિર ઢીમા-ભોરોલ રોડ પર આવેલું છે. આ ગામની વસ્તિ ૧૧૫૦ની છે. આ ગામમાં મુખ્યત્વ જીરું, બાજરી, દિવેલા, તેમ જ કઠોળની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.