ઝઘડીયા
વિકિપીડિયાથી
ઝઘડીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. આ તાલુકાની મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે. ઝઘડીયા અંકલેશ્વરથી રાજપીપળા જતા રાજ્ય ધોરીમાર્ગ તેમ જ નેરોગેજ રેલ્વેમાર્ગ પર આવેલ છે. ઝઘડીયા વાલિયા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા તેમ જ નેત્રંગ સાથે નેરોગેજ રેલ્વે દ્વારા જોડાયેલું છે. વર્તમાન સમયમાં અંકલેશ્શ્વર થી રાજપીપળા જતા રેલ્વેમાર્ગના ગેજ પરિવર્તન (નેરોગેજમાંથી બ્રોડગેજ)નું કાર્ય ચાલી રહ્યું છે.
અહીં ગાયત્રી મંદિર, જૈન દેરાસર, ગુમાનદેવ હનુમાનદાદાનું મંદિર, સેવા રૂરલ હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ ગ્રામીણ તકનીકી કેન્દ્ર, જી,આઇ.ડી.સી. વગેરે મહત્વનાં સ્થળો આવેલ છે.