ઝઘડીયા
વિકિપીડિયા થી
ઝઘડીયા ભરૂચ જિલ્લાનો તાલુકો છે. આ તાલુકાની મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે. ઝઘડીયા અંકલેશ્વરથી રાજપીપળા જતા રાજ્ય ધોરીમાર્ગ તેમ જ નેરોગેજ રેલ્વેમાર્ગ પર આવેલ છે.
અહીં ગાયત્રી મંદિર, જૈન દેરાસર, ગુમાનદેવ હનુમાનદાદાનું મંદિર, સેવા રૂરલ હોસ્પિટલ, વિવેકાનંદ ગ્રામીણ તકનીકી કેન્દ્ર વગેરે મહત્વનાં સ્થળો આવેલ છે.

