આદિવાસી

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

આદિ કાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે કૂકણા. ધોડિયા, ગામિત, ચૌધરી, વસાવા, ભીલ, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] ઇતીહાસ

[ફેરફાર કરો] સામાજીક વ્યવસ્થા

આદિવાસી સમાજ માતુપ્રધાન છે. જેમાં કુટુંબ નાં મહત્વનાં નિર્ણયો મોડી આયો(દાદીમાં) લેતી હોય છે. કુટુંબનાં ભરણ-પોષણ નીં જવાબદારી પતિ-પત્નીં બન્ને જણ ઉપાડતા હોય છે.સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલનં કરે છે.તેમની રીત-રસમો અનોખી હોય છે.

[ફેરફાર કરો] લગ્નવિધી

જેમાં છોકરો તેનાં પિતા અનેં કેટલાક સંબંધીઓ કન્યાનેં જોવા જાય છે. જો છોકરાનેં કન્યા ગમી જાયતો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતાં દહેજની રકમ નંક્કિ થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાયતો "પિયાણ દિવસ"(સગાઇ)નક્કી કરવામાં આવે છે. આ પિયાણ નાં દિવસે બંન્ને પક્ષો સાથે મળીને મહુડાનાં દારૂનીં મહેફીલ જમાવે છે. અને તે દિવસે લગ્નની તીથી નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇનેં વરનાં ઘરે પરણવા જાય છે. સાંજ અથમ્યા બાદ કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાનેં જમાડતા પહેલા તેનીં થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો મુકવામાં આવે છે. અનેં ત્યાર પછીજ જમણ ચાલું થતુ. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે નેમાં વર અને કન્યાને તેનાં મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઇઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાળા ની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે. (આદિવાસી સંસ્કુતીમાં મામા અને ફોઇ નાં બાળકો વચ્ચે લગ્નપ્રથા માન્ય છે)

[ફેરફાર કરો] જન્મવિધી

અન્ય સંસ્કુતીઓની જેમં જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનોં હોય ત્યારે કન્યા તેનાં પિયર જાય છે અને ત્યાં બાળકનેં જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહીનાં સુધી પિયરમાં રહે છે. એક મહીનાં બાદ બાળક નાં મામાં બાળક નાં માથાનાં વાળ કાપે છે, તેનાં બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવો પડે છે.

[ફેરફાર કરો] મરણવિધી

આદિવાસીઓ માં જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નીસંસ્કાર કરીને અથવા દાટીને શબ ને મુકિત અપાય છે . સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકિત નથી તેથી તે સ્મશાનં ની બહાર ઉભી રહીને તેનેં વિદાય આપે છે. શબ ને તેનાં મુળ્ દાગીનાં અને પસંદગી નીં વસ્તુઓ સાથે મુકિત અપાય છે, કારણ કે તેઓ માને છે કે પરાલૌકીક જીવનમાં તેમને આ વસ્તુઓનીં જરૂર પડશે, અને ત્યાર બાદ તેનો ખાટલો પણ ઉંધો વાળી સ્મશાનમાં મુકી આવવામાં આવે છે. મરણ પ્રક્રિય સમાપ્ત થયા બાદ હાથપગ ધોઇનેં ઘરમાં પ્રવેશ કરાય છે. મરણનાં દિવસે ઘરમાં રસોઇ થતી નથી. મરણનાં ૧૨ અથવા ૪૦ દિવસ પછી તેની શોકસભા રખાય છે.

[ફેરફાર કરો] ભાષા તથા વ્યાકરણ

આદિવાસીઓ ની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતીજ સિમીત રહી શકી છે. આમ જોઇયેતો તમામં આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન જ લાગે છે. આદિવાસી બોલી નાં ઘણાખરા શબ્દો આપણનેં થોડા સંસ્કુત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં ગામીત બોલી, વસાવા બોલી, કુકણા બોલી, ચૌધરી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓ માં બહુવચન હોતુ નંથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમં તેમાં ૧૨ કાળ, પુલ્લીંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે જેની સરખામણી આપણે આધુનીક કેલેન્ડર સાથે કરીએ તો નીચે મુજબ ના શબ્દો મળે છે.

[ફેરફાર કરો] પચાંગ

[ફેરફાર કરો] મહિનાઓ

ડોણ નીતરા -(જાન્યુઆરી-ફેબ્રુઆરી), ઉનાઇઓ -(ફેબ્રુઆરી-માર્ચ), ખાડી -(માર્ચ-એપ્રિલ), દાણી ખાડી -(એપ્રિલ-મે), ઇન્દલ દેવિયો -(મે-જુન), ઉમાડિયા જાત્રા-(જુન-જુલાઇ), બોન્ડીપાડા જાત્રા-(જુલાઇ-ઓગષ્ટ), હિરા જાત્રા-(ઓગષ્ટ-સપ્ટેમ્બર), મારી માવા જાત્રા-(સપ્ટેમ્બર-ઓક્ટોબર),કિલ્લા જાત્રા-(ઓક્ટોબર-નવેમ્બર), દેવલિયો-(નવેમ્બર-ડિસેમ્બર), ઘોડ જાત્રા-(ડિસેમ્બર-જાન્યુઆરી)

[ફેરફાર કરો] સપ્તાહ

પહેલાનાં સમય માં જ્યારે દક્ષીણ ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય હતું ત્યારે નવસારી પ્રાંતમાં સોનગઢ-મહાલ વિસ્તારમાં ચાર ગામડાનાં ઝુમખામાં કોઇ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હતી, અને તે બજારનાં દિવસનેં તે ગામનાં નામ પ્રમાણે નામો અપાયા હતાં જેથી નીચે મુજબનાં નામો અસ્તિત્વમાં આવ્યા
'બંધારપાડિયો ,વોડિઓ-(સોમવાર), અરોહાર, બાણો, બોરડી-(મંગળવાર), ઉમાડિયો, માંડવિઓ-(બુધવાર), દેવ ગાડિયો, ઇશરવાડિયો-(ગુરૂવાર), વલોડિયો, રાયપુરીયો-(શુક્રવાર), વ્યારિયો-(શનીવાર), ' -(રવિવાર)

[ફેરફાર કરો] પારંપરીક તહેવારો

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી હતો, અનેં ખેતીની મોસમં પ્રમાણે તેમનાં તહેવારો રહેતા હત્તાં

[ફેરફાર કરો] હોળી

આ આદિવાસીઓનો મહત્વનોં તહેવાર છે. જેમાં ફાગણ મહિનાંની પુનમની રાતે ગામમાં નક્કિ કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પળી જાય અનેં રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાનેં ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેનેં અહોભાગ્ય માનંવામાં આવે છે.

[ફેરફાર કરો] ઉંદરીયો દેવ

ખેતર માં પાક તૈયાર થઇ ગયા બાદ કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરનીં મુર્તી બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોડી બનાવી પકડે છે અનેઆ ઝોડીમાં તે ઉંદરની મુર્તી મુકવામાં આવે છે ત્યારબાદ ઉભેલા લોકો તે ઝોડીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમનીં પાછળ ભાગે છે. એમં કરતાં તે લોકો ગામનીં સીમં માથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર બાદ નાચ-ગાન અને ખાણી-પીણીનીં મહેફીલ જામે છે.

[ફેરફાર કરો] પોહોતિયો

જ્યારે શિયાળામાં વાલનાં છોડોનેં પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અનેં "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂ નીં સાથે માણવામાં આવે છે.

[ફેરફાર કરો] નંદુરો દેવ

આ તહેવાર ખાસતો વર્ષા અને પ્રકૃતિ સાથે સકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.

આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતી આપી પુજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતી સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીથી ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જુન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદીવાસીઓની આ ધાર્મિક વિધિ જોવા લાયક હોય છે.

[ફેરફાર કરો] વાઘ દેવ

આદિવાસી પ્રજામાં આજે પણ આ તહેવારનું ખુબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પુજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમુનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિત્તુ અર્પણ કરાય છે.

[ફેરફાર કરો] ચૌરી અમાસ

વાઘદેવ ઉજવાયા બાદ જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દીવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.

[ફેરફાર કરો] પારંપરીક દેવી-દેવતાઓ

[ફેરફાર કરો] દેવમોગરા માતા

સમગ્ર આદીવાસી સમાજની તે મુખ્ય દેવી છે. દેવમોગરા નામના ગામે દેવમોગરા માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાયછે. તે આદીવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે.

[ફેરફાર કરો] પાંડોર દેવી

આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વુક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવાકે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતી સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.

[ફેરફાર કરો] ઇંદલા દેવી

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં સોનગઢથી ઉચ્છલ વચ્ચેના જંગલમાં આ ઇદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરીક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.

[ફેરફાર કરો] નોકટી દેવી

રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શુણપંખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વિર પુરુષે અહીંની એક મહીલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહીલાને પુજતા હતાં, તેની એક પથ્થરની મુર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડુબી ગઇ છે.

[ફેરફાર કરો] કાલકા માતા

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

Commons
વિકિમીડિયા કૉમન્સ પર આ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:

આદિવાસી સસ્ક્રુતિ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં