ડાળખીથી સાવ છૂટાં

વિકિપીડિયામાંથી
ડાળખીથી સાવ છૂટાં
લેખકઅશોક ચાવડા
પૃષ્ઠ કલાકારસંજય વૈદ્ય
દેશભારત
ભાષાગુજરાતી
વિષયકવિતા
પ્રકારગઝલ, ગીત, એકલ શેર
પ્રકાશકરન્નાદે પ્રકાશન, અમદાવાદ
પ્રકાશન તારીખ
૬ ડિસેમ્બર ૨૦૧૨
માધ્યમ પ્રકારમુદ્રિત (પાકું અને કાચું પૂઠું)
પાનાં૮૨
ISBN978-93-82456-08-7
દશાંશ વર્ગીકરણ
891.471

ડાળખીથી સાવ છૂટાંઅશોક ચાવડા 'બેદિલ' દ્વારા લખાયેલ ગુજરાતી કાવ્યસંગ્રહ છે. સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા સ્થાપિત વર્ષ ૨૦૧૩નો યુવા પુરસ્કાર આ પુસ્તકે મેળવ્યો છે. પુસ્તકમાં ગઝલ, ગીત અને એકલ શેર જેવા કવિતાના વિવિધ સ્વરૂપોમાં કવિની ઊંડી અને તીવ્ર લાગણીઓ વ્યક્ત થઈ છે. આ પુસ્તકની કવિતાઓ ભારતના સામાજિક મુદ્દાઓ, જેમ કે જાતિવાદ અને અસ્પૃશ્યતા સાથે સંકળાયેલી છે.

વાંચન સામગ્રી[ફેરફાર કરો]

પુસ્તકમાં ૨૪ ગઝલો, ૩ મુક્તકો, ૧૫ ગીતો અને ૧૦ એકલ શેર છે. આ પુસ્તકની મોટાભાગની ગઝલો અરબી મીટર 'ખફીફ', 'રામલ' અને 'હઝાજ'માં રચાયેલ છે. આ પુસ્તકની કૃતિઓ દેશમાં ઊંડી ઉતરેલી જાતિવાદી પદ્ધતિ, પેઢી દર પેઢી પસાર થતી ઐતિહાસિક અને સામાજિક દુર્ઘટનાઓ અને દલિતોના વિખેરાયેલા સપનાઓની આસપાસ કેન્દ્રિત છે.[૧]

પ્રતિભાવ[ફેરફાર કરો]

આ પુસ્તક પર રઘુવીર ચૌધરી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રાજેશ પંડ્યા અને નીરવ પટેલ સહિત અનેક ગુજરાતી ભાષાના લેખકો અને વિવેચકોની વિવેચન કર્યું છે. આ પુસ્તકની એક ગઝલ, બહાર રાખ્યો છે, દલિત સમુદાયની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. કેટલાક વિવેચકોને તેને ગઝલ વર્ગમાં શ્રેષ્ઠ માને છે. આ ગઝલ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત વર્ષની પસંદ કરેલી કવિતાઓ - કવિતાચયન (૨૦૦૯) માં પણ પ્રગટ થઈ છે. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સમીપે (અંક - મે ૨૦૧૪) માં નોંધ્યું છે કે, "હરિ નું ઘર આમ હોય છે કેવુ?, કેમ પુછી શકાય હરિજન થી? એ પંક્તિ ચાબખાના કાવ્ય પ્રકારની ચરમ સીમા સ્પર્શે છે."[૨]

પુરસ્કાર[ફેરફાર કરો]

આ પુસ્તકને સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા સ્થાપિત વર્ષ ૨૦૧૩નો યુવા ગૌરવ પુરસ્કાર અને ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૪માં દાસી જીવણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ચૌહાણ, સુધા (સપ્ટેમ્બર ૨૦૧૫). "ડાળખીથી સાવ છૂટાં". પરબ.
  2. ટોપીવાળા, ચન્દ્રકાન્ત (મે ૨૦૧૪). "પત્રચર્યા". સમીપે.
  3. "જામનગરના બેદિલને 2 એવોર્ડ". દિવ્ય ભાસ્કર. ૩ માર્ચ ૨૦૧૬. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.