અમદાવાદ
| અમદાવાદ | |
|
|
|
| રાજ્ય - જિલ્લો |
ગુજરાત - અમદાવાદ |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
૧,૩૦૦ km² - (174 ft) ૫૩ m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(૨૦૦૬) - ગીચતા - મેટ્રો વિસ્તાર (૨૦૦૬) |
૩,૭૬૯,૮૪૬ - ૩,૯૭૮/ચો.કીમી - ૫,૦૮૦,૫૬૬(૭મો) |
| મેયર | અસિત્ વોરા |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૮૦ ૦XX - +૦૭૯ - GJ-1 |
અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્ર્મનું શહેર છે. અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુ.
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું, અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનુ એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરિકે ઓળખવામાં આવતું હતું.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] ઇતિહાસ
પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદી થી વસે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ થી ઓળખાતું.[૧] એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ[૨] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળ દ્વારા કરવામાં આવ્યું અને ૧૪૧૧માં કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો હતો, અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. દંતકથા અનુસાર અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે " જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા".
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૩] ઈ.સ. ૧૫૫૩ માં જ્યારે ગુજરાત ના રાજા બહાદુર શાહ ભાગી ને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુ એ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૪] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકો નો ફરી થી કબજો થાય ગયો હતો, અને પછી મુગલ રાજા અકબર એ અમદાવાદ ને પાછુ પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલ કાળ દરમ્યાન અમદાવાદ, રાજ્ય નું ધગ-મગતું ઓદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાં થી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાં એ પોતાનો ઘણો સમય અમદાવાદ માં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગ માં આવેલું મોતી શાહી મહાલ બનાવડાવ્યું. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલો નું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૫] મરાઠા કાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂના ના પેશ્વા અને બરોડા ના ગાયકવાડ ના મતભેદ નો શિકાર બન્યું.[૬]
સન્ ૧૪૧૧ માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ 'અહમદાબાદ' તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ'[૭] તરીકે ઓળખાવા લાગ્યું. અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એમ પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. અને એટલે જ આ પંક્તિનો ઉદ્ભવ થયો કે "જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા".
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલૉને લીધે અમદાવાદ પૂર્વનું 'માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦ થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે, સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર (political capital) અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર (economical capital) કહેવામા આવે છે.
ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અહમદાબાદ શહેર ઈતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.
આગામી વર્ષૉમાં સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાશે તથા આ જિલામાં હાલમા બિ.આર.ટિ.એસ. સુવિધા શરૂ થઇ ગયેલ છે. જેને લીધે શહેરમા રોનક આવી ગઇ છે.
નાના મોટા ધન્ધા ને લિધે અમદાવાદ એક માર્કેટ સમાન બની ગયુ છે.
[ફેરફાર કરો] ભુગોળ
[ફેરફાર કરો] હવામાન
અમદાવાદ પશ્ચિમ ભારતમાં આવેલ ગુજરાત રાજ્યમાં સ્થિત છે. તે સમુદથી ૫૩ મીટર ની ઊંચાઈ પર આવેલુ છે. અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલુ છે. શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં છે. શહેરમાં બે તળાવ પ્રખ્યાત છે – કાંકરિયા તળાવ અને વસ્ત્રાપુર તળાવ. બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવનું કામ ચાલુ છે. નરૉડામાં પણ તળાવ બનશે. આ ઉપરાંત વટવામાં બીબી તળાવ અને ઇસનપુરમાં ચંડોળા તળાવ પણ છે.
[ફેરફાર કરો] અમદાવાદ બી.આર.ટી.ઍસ
અમદાવાદ શહેર ની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે. આ સેવાનો પેહલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ અક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.
[ફેરફાર કરો] મહત્વ
- સરદાર પટેલે અમદાવાદથી જ રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું.
- મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે. અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
- ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
- ડો. વિક્રમ સારાભાઇ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઇ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક પ્રયોગ શાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
- કસ્તુરભાઇ લાલભાઇ અને લાલભાઇ દલપતભાઇ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં એલ.ડી. એન્જીનીયરીંગ અને એલ.ડી. આર્ટસ્ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
- ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ્ ઓફ્ કોમ્યુનિકેશન એન્ડ્ ઇન્ફ્ર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા રીસર્ચ સેન્ટર પણ અમદાવાદમાં આવેલ છે.
- અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્લી(દિલ્હી), કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
- ગાંધી આશ્રમ
- સરદાર પટેલ સ્મારક ભવન
- કાંકરિયા તળાવ
- હઠીસિંહનાં દેરા
- સાયન્સ સીટી
- અડાલજની વાવ
- સીદીસૈયદની જાળી
- જામા મસજિદ
- ઝૂલતા મિનારા
- ઈસરો
- ઇસ્કોન મંદિર
- સ્મૃતિ મંદિર, ઘોડાસર
- વૈષ્ણોદેવી મંદિર
- ભાગવત વિદ્યાપીઠ
- વસ્ત્રાપુર તળાવ
- કેમ્પ હનુમાન
- ભદ્રકાલી મંદિર
- આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ
- સરખેજનો રોજો
- કેલિકો મ્યુઝિયમ
- માણેક ચોક
- રાણીનો હજિરો
[ફેરફાર કરો] સંદર્ભ
- ↑ ટરનર, જેન (૧૯૯૬). ધ ડીક્ષનરી ઓફ આર્ટ 1. ગ્રોવ, ૪૭૧. ISBN 1884446000.
- ↑ મિચેલ, જ્યોર્જ; શાહ, સ્નેહલ; બરટોન-પેજ, જોહન: મેહતા, દિનેશ (૨૮ July ૨૦૦૬). અમદાવાદ. માર્ગ પબલીકેશન, ૧૭-૧૯. ISBN 8185026033.
- ↑ કુપ્પુરમ, જી (૧૯૮૮). ઇન્ડિયા થ્રુ ધ એજીસ: હિસ્ટરી, આર્ટ્, કલ્ચર એન્ડ રેલીજીયન. સુન્દીપ પ્રકાશન, ૭૩૯. ISBN 8185067082. Retrieved on 2008-07-26.
- ↑ ધ મુઘલ થ્રોન by Abraham Eraly pg.47
- ↑ પ્રકાશ, ઓમ. Encyclopaedic History of Indian Freedom Movement. અનમોલ પબ્લીકેશન year=૨૦૦૩, ૨૮૨-૨૮૪. ISBN 8126109386. Retrieved on 2008-07-26.
- ↑ Kalia, Ravi (2004). "The Politics of Site", Gandhinagar: Building National Identity in Postcolonial India. Univ of South Carolina Press, 30–59. ISBN 157003544X. Retrieved on 2008-07-26.
- ↑ (૧૯૯૮) સેતુ શહેર મેપ: અમદાવાદ-ગાંધીનગર. સેતુ પબલીકેશન, ૧.
| ગુજરાતના જિલ્લાઓ |
|---|
| અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |