ભોપાલ
ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર ભોપાલ ખાતે આવેલું છે. આ ઉપરાંત ભોપાલમાં ભોપાલ જિલ્લાનું મુખ્ય મથક પણ છે.
આ શહેરમાં આવેલ નાનાં મોટાં જળાશયોને કારણે ભોપાળને સરોવરનું નગર (झीलों की नगरी ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરમાં ૧૯૮૪ના વર્ષમાં અહીં આવેલી અમેરીકન કંપની યૂનિયન કાર્બાઇડમાં થયેલા મિથાઇલ આઇસો સાઇનાઇડ નામના ઝેરી વાયુના ગળતરના કારણે લગભગ વીસ હજાર લોકોનાં મૃત્યુ થતાં કાળો કેર વ્યાપી ગયો હતો. ભોપાલ ગેસ કાંડના કુપ્રભાવનાં પરિણામે અહીં આજે પણ વાયુ પ્રદુષણ, ભુમિ પ્રદુષણ, જળ પ્રદુષણ ઉપરાંત જૈવિક વિકલાંગતા અને અન્ય રુપે જોવા મળે છે. આ કારણે આ શહેર ઘણાં આંદોલનોનું કેન્દ્ર પણ રહ્યું છે.
ભોપાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે.
| ભારતનાં રાજ્યો | |
|---|---|
| અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
| કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |