નવઘણ

વિકિપીડિયામાંથી

નવઘણ[upper-alpha ૧] પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિસ્તારના ચુડાસમા રાજા હતા જેમણે 1306 CE થી 1308 CE ( VS 1362 થી VS 1364) સુધી શાસન કર્યું હતું. તેમની રાજધાની જૂનાગઢમાં હતી.


શાસન[ફેરફાર કરો]

નવઘણ આધેડ વયના હતા જ્યારે તેઓ તેમના પિતા માંડલિક પહેલાના અનુગામી થયા. ગિરનાર પરના નેમિનાથ મંદિરના અંદાજે વિક્રમ સંવત 1454ના શિલાલેખની વંશાવળીમાં તેમનો ઉલ્લેખ એક શકિતશાળી યોદ્ધા તરીકે કરવામાં આવ્યો છે. આ શિલાલેખ ચુડાસમાને યાદવ કુળના કહે છે.[૧] [૨] તેમના બે વર્ષના ટૂંકા શાસન દરમિયાન, તેમણે સોમનાથ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યું હતું જે તેમના પિતાના શાસન દરમિયાન નાશ પામ્યું હતું. તેઓ કદાચ 1308માં મુસ્લિમો સાથે સ્થાનિક સંઘર્ષમાં મૃત્યુ પામ્યા હતા. તેમના અનુગામી તેમના પુત્ર મહિપાલ પહેલો હતો.[૧][upper-alpha ૨]

નોંધો[ફેરફાર કરો]

  1. જૂની વંશાવલીમાં તે નવઘણ ચોથા તરીકે ઓળખાતા.[૧]
  2. નવઘણને મહિપાલ પહેલાના ભાઈ તરીકે પણ દર્શાવવામાં આવેલ છે .[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Parikh, Rasiklal Chhotalal; Shastri, Hariprasad Gangashankar, સંપાદકો (1977). ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ: સલ્તનત કાલ [Political and Cultural History of Gujarat: Sultanate Era]. Research Series - Book No. 71. V. Ahmedabad: Bholabhai Jeshingbhai Institute of Learning and Research. પૃષ્ઠ 157.
  2. Diskalkar, D. B. (June 1940). "Inscriptions of Kathiawad: No. 77". New Indian Antiquary. 2. પૃષ્ઠ 116–117.
  3. Diskalkar, D. B. (December 1938). "Inscriptions Of Kathiawad". New Indian Antiquary. 1. પૃષ્ઠ 578–579.