નવનીત મદ્રાસી

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

જન્મ: ૨૭ જાન્યુઆરી ૧૯૧૯ જન્મ સ્થળઃ મદ્રાસ (હાલનું ચેન્નૈ)

નવનીત મદ્રાસીનો જન્મ ૨૭ જાન્યુઆરી ૧૯૧૯નાં રોજ મદ્રાસ (હાલનું ચેન્નૈ)માં થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતાં અને સાથે સાથે લેખક/અનુવાદક પણ હતાં. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૦૦થી પણ વધુ પુસ્તકોનો અનુવાદ કરીને તેને ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવી છે. ખાસ કરીને તેમનું દક્ષિણ ભારતીય ભાષાઓ પરનું કાર્ય વધુ જાણીતું છે. તેમણે ચારેય દક્ષિણ ભારતીય ભાષાઓ (તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ)માંથી પુસ્તકોનું ભાષાંતર કર્યું. આ ઉપરંત તેઓએ અંગ્રેજી અને ઉર્દુ પુસ્તકોનું પણ ભાષાંતર કર્યું છે. તેમના ભાષાંતરિત કેટલાક પુસ્તકો નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, સાહિત્ય અકાદમી-દિલ્હી અને ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા પણ પ્રકાશિત થયા છે.

તેઓએ 'આદર્શ પુસ્તક ભંડાર' નામે પોતાનું પ્રકાશન ગૃહ શરું કર્યું હતું જે આજે 'આદર્શ પ્રકાશન' તરિકે ઓળખાય છે અને અમદાવાદમાં ગાંધી માર્ગ પર આવેલું છે.

૮૬ વર્ષની જૈફ વયે તેઓએ ૧૭ મે ૨૦૦૬નાં રોજ પોતાનો દેહ છોડ્યો.