પંડિત રામ નારાયણ
પંડિત રામ નારાયણ (હિન્દી: राम नारायण) (જન્મ ડિસેમ્બર ૨૫, ૧૯૨૭), હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે સારંગીવાદક તરીકે ખૂબ જ લોકપ્રિય છે.. એમના શાસ્ત્રીય સંગીતમાં આંતર રાષ્ટ્રીય પ્રદાન બદલ, તેઓ પંડિત તરીકે ઓળખાયા. એમના થકી સારંગી સંગીતવાદ્ય તરીકે લોકપ્રિય બની છે.. તેઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રથમ સફળ સારંગીવાદક બન્યા તેમ જ ઘણા કાર્યક્રમો પણ સફળતાપૂર્વક કર્યા છે..
પંડિત રામ નારાયણનો ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલા ઉદેપુર ખાતે થયો હતો, અને તેઓ બાળવયે જ સારંગી વગાડવાનું શીખી ગયા હતા. તેઓએ સારંગી વાદકો અને શાસ્ત્રીય ગાયકો પાસે નાની ઉંમરમાં જ તાલિમ મેળવી અને સંગીત શિક્ષક તેમ જ સંગીતકાર પણ નાની ઉંમરમાં જ બન્યા હતા. તેમને શાસ્ત્રીય ગાયકોના સહાયક તરીકે ઓલ ઇન્ડીયા રેડિઓ, લાહોર ખાતે ઇ.સ. ૧૯૪૪ના વર્ષમાં રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડવાને કારણે ભારતમાં દિલ્હી ખાતે આવ્યા ત્યારબાદ તેઓ ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડવાને કારણે ભારતમાં દિલ્હી ખાતે આવ્યા અને તેમને કોઈની સાથમાં નહીં પણ હવે પોતાના બલબૂતા પર કામ કરવાની ઈચ્છાને કારણે તેઓ ભારતીય સિનેમામાં કામ કરવા ઇ. સ. ૧૯૪૯માં મુંબઈ આવ્યાં.
ઈ. સ. ૧૯૫૪ના અસફળ પ્રયત્ન પછી, નારાયણ એક એકલ કલાકાર બન્યા. તેમણે ૧૯૫૬થી એકલ કાર્યક્રમ આપવા શરૂ કર્યાં. એમણે એકલ આલ્બમ રેકોર્ડ કરવા શરૂ કર્યાં અને ૧૯૬૦માં અમેરિકા અને યુરોપનો પ્રવાસ કર્યો. નારાયણ ભારતીય અને વિદેશી વિદ્યાર્થીને શીખવાડતા અને સન ૨૦૦૦ મોટે ભાગે ભારત બહાર કાર્યક્રમ કરતાં. તેમને ૨૦૦૫માં ભારતનો બીજો સૌથી મોટો રાષ્ટ્રીય પુરસ્કાર પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] પ્રારંભિક જીવન
રામ નારાયણનો જન્મ ડિસેમ્બર ૨૫, ૧૯૨૭ના દિને રાજસ્થાન રાજ્યના ઉદેપુર ખાતે થયો હતો.[૧] એમના વડ દાદાના પિતા બાગાજી બિયાવત અંબર ખાતેના ગાયક હતા, તેમ જ તેઓ નારાયણજીના વડદાદા સગડ દાનજી બિયાવત ઉદેપુરના મહારાણાના દરબારમાં ગાવાનું કાર્ય કરતા હતા.[૨] નારાયણના દાદા હરલાલજી બિયાવત અને એમના પિતાજી નાથુજી બિયાવત ગાયક તરીકે તેમ જ ખેતી કરવાનું કાર્ય પણ કરતા. નાથુજી દિલરુબા, અને નારાયણજીના માતાજી પણ સંગીતચાહક હતા.[૩]
[ફેરફાર કરો] કુટુંબ અને અંગત જીવન
નારાયણના પત્ની શિલા ગૃહીણી હતાં, તેઓ ૧૯૫૦માં મુંબઈ આવ્યાં,[૪][૫] અને તેઓનાં ચાર સંતાનો હતાં.[૬] She died prior to 2001.[૭] તેઓના સૌથી મોટા પુત્ર સરોદ વાદક બ્રિજ નારાયણ, એપ્રિલ ૨૫, ૧૯૫૨ના દિવસે ઉદેપુર ખાતે જનમ્યા હતા.[૮] તેઓની એક દિકરી અરૂણા નારાયણ કાલ્લે ૧૯૫૦ના દાયકાની મધ્યમાં મુંબઇ ખાતે જનમ્યા હતા.[૯][૫] અરૂણા નારાયણ સારંગી વાદક તરીકેનો કાર્યક્રમ આપનાર સૌથી પહેલા મહિલા હતા. આ પછીના સમયમાં તેઓને કેનેડા ખાતે સ્થાયી થયા હતા.[૧૦][૧૧] બીજા પુત્ર શિવા તબલાં વગાડવાનું શીખ્યા હતા. [૧૨] રામનારાયણના પૌત્ર, તેમ જ બ્રિજ નારાયણના પુત્ર, હર્ષ નારાયણ પણ સારંગી વાદક હતા.[૧૩] નારાયણજીએ બ્રિજ, અરુણ અને હર્ષ સાથે કાર્યક્રમ આપ્યો છે.[૧૩][૧૪][૧૫] ચતુરલાલ ને ચાર પુત્રો હતાં, તેમના પિતાના મૃત્યુ પછી નારાયણે તેમના પુત્રોને સહાય કરી.[૬] ચતુરલાલના પુત્ર ચરણજીતલાલ તબલાવાદક હતા અને તેમણે નારાયણજી સાથે યુરોપના દેશોમાં સંગીતના કાર્યક્રમોમાં સંગત કરવા માટે પ્રવાસ પણ કર્યો હતો.[૧૬] નારાયણ હજીપણ મુંબઈમાં રહે છે.[૧૭]
[ફેરફાર કરો] ગ્રંથ સૂચિ
- સોરેલ, નીલ; નારાયણ, રામ (૧૯૮૦). ઈંડિયન મ્યુઝીક ઈન પરફોર્મેન્સ : અ પ્રેક્ટીકલ ઈન્ટ્રોડક્શન. માંચેસ્ટર યુનીવરસીટી પ્રેસ. ISBN 0719007569.
[ફેરફાર કરો] સંદર્ભ
- ↑ Bor, Joep (March 1987). "The Voice of the Sarangi". Quarterly Journal 15, 16 (3, 4; 1). Mumbai, India: National Centre for the Performing Arts.
- ↑ Sorrell, Neil; Narayan, Ram (1980). Indian Music in Performance: a practical introduction. Manchester University Press, 11. ISBN 0719007569.
- ↑ Sorrell 1980, p. 13
- ↑ Ghosh, Soma. "एक जुनून है सारंगी" (in Hindi). Yahoo! India. http://in.jagran.yahoo.com/sakhi/?page=article&articleid=4702&edition=200811&category=6. Retrieved on 2009-07-19.
- ↑ ૫.૦ ૫.૧ Qureshi, Regula Burckhardt (2007). Master musicians of India: hereditary sarangi players speak. Routledge, 131. ISBN 0415972027.
- ↑ ૬.૦ ૬.૧ "An Interview with Pandit Ram Narayan". Official website. Archived from the original on 2009-06-25. http://www.freezepage.com/1246468587ZLHJFLVNDZ. Retrieved on 2009-06-25.
- ↑ Qureshi 2007, p. 133
- ↑ "Magic in his fingers". Screen. 2003-11-14. http://www.screenindia.com/old/fullstory.php?content_id=6637. Retrieved on 2009-06-25.
- ↑ Qureshi 2007, p. 129
- ↑ Qureshi 2007, p. 130
- ↑ Qureshi 2007, p. 126
- ↑ ઢાંચો:Cite album-notes
- ↑ ૧૩.૦ ૧૩.૧ Suryanarayan, Renuka (2002-09-07). "Sarangi at its best". The Indian Express. http://cities.expressindia.com/fullstory.php?newsid=28762. Retrieved on 2009-04-16.
- ↑ "Pop and Jazz Guide". The New York Times. 2003-10-31. http://www.nytimes.com/2003/10/31/movies/pop-and-jazz-guide-927686.html?pagewanted=all. Retrieved on 2009-06-19.
- ↑ "Chords & Notes". The Hindu. 2009-05-19. http://www.hindu.com/thehindu/mp/2003/05/19/stories/2003051900720300.htm. Retrieved on 2009-06-24.
- ↑ Sorrell 1980, p. 28
- ↑ Sharma, S.D. (2008-02-28). "Sarangi maestro calls present music soulless drudgery". The Tribune. http://www.tribuneindia.com/2008/20080229/cth2.htm#14. Retrieved on 2009-03-08.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- "પંડિત રામ નારાયણ". આધિકારીક વેબસાઈટ. http://ramnarayansarangi.com/.