પ્રશ્નાવડા (તા. સુત્રાપાડા)

વિકિપીડિયામાંથી
પ્રશ્નાવડા (તા. સુત્રાપાડા)
—  ગામ  —
પ્રશ્નાવડા (તા. સુત્રાપાડા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°50′15″N 70°33′23″E / 20.837375°N 70.556452°E / 20.837375; 70.556452
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૨૭૫
    • ફોન કોડ • +૦૨૮૭૬
    વાહન • જીજે-૩૨

પ્રશ્નાવડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. પ્રશ્નાવડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, ઔદ્યોગિક તાલિમ કેન્દ્ર (ITI), પંચાયતઘર, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

પ્રશ્નાવડા ગામથી ૧.૫ કિમી દૂર દક્ષિણ બાજુ પ્રાચીન ગાયત્રી મંદિર આવેલું છે જે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-175) છે. આ મંદિરમાં વિશાળ ઊંડા ચોરસ કુંડ છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર ગૌતમભૂમિ તરીકે પણ ઓળખાતો હતો. અહી દીવાલ પર રાજગઢ નકશીકામમાં વિક્રમ સંવત ૧૫૧૪, મહા વદી ૬, રવિવાર લખેલું કોતરકામ જોવા મળે છે.