મહારાણા પ્રતાપ
| મહારાણા પ્રતાપ | |
|---|---|
| મેવાડના મહારાજા | |
| શાસન કાળ | ૧૫૬૮-૧૫૯૭ |
| જન્મ | મે ૯, ૧૫૪૦ |
| જન્મ સ્થળ | કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન |
| અવસાન | જાન્યુઆરી ૧૯, ૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ) |
| પૂર્વગામી | મહારાણા ઉદય સિંહ (બીજા) |
| વંશ/ખાનદાન | સૂર્યવંશી રાજપુત |
| પિતા | મહારાણા ઉદય સિંહ (બીજા) |
| માતા | મહારાણી જીવંત બાઈ |
| સંતાન | ૩ પુત્રો અને ૨ પુત્રીઓ |
| ધર્મ | હિંદુ |
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઈતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
એમનો જન્મ ૯ મે ૧૫૪૦ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો[૧][૨]. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોધલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા માહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમા ૧૭,૦૦૦ સૈનીકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણા પ્રતાપની હાલત દિન-પ્રતિદિન નબળી પડતી ગઈ. ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.