રતિલાલ બોરીસાગર
વિકિપીડિયા થી
રતિલાલ બોરીસાગર ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર છે, જેઓ હાસ્યલેખક તરીકે જાણીતા છે. એમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૩૮ના દિને સાવરકુંડલા ખાતે થયો.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] કુટુમ્બ
- માતા - સંતોષબહેન
- પિતા - મોહનલાલ
- પત્ની -સુશીલાબહેન -1963
- સંતાન - એક પુત્ર
[ફેરફાર કરો] અભ્યાસ
એમ. એ. , બી. એડ., પી. એચ. ડી.
[ફેરફાર કરો] વ્યવસાય
શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર; વિવિધ નોકરીઓના અનુભવમાંથી પસાર થઈને ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા.
[ફેરફાર કરો] જીવન ઝરમર
હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી તરીકે કાર્યરત; ગુજરાતી સાહિત્યમાં “જ્યોતીન્દ્ર બીજા” તરીકે સન્માન પામનાર હાસ્યલેખક
[ફેરફાર કરો] રચનાઓ
વિવિધ સામયિકોમાં સાહિત્યકૃતિઓ; વિશેષમાં હાસ્યલેખન.
[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ
- હાસ્ય લેખ - મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ
- લઘુનવલ - સંભવામિ યુગે યુગે *બાલસાહિત્ય - બાલ વન્દના
[ફેરફાર કરો] સન્માન
- જ્યોતીન્દ્ર દવે પારિતોષિક (ગુજરાતી સાહિત્ય પરિષદ)
- ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક