વીરપુર
વિકિપીડિયાથી
વીરપુર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં આવેલું ગામ છે. અહીંથી રાજકોટથી જૂનાગઢ જતા રેલ્વે માર્ગ તેમ જ રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. આ નાનકડું ગામ આજે પૂજનીય સંત શ્રી જલારામ બાપાને કારણે ગુજરાતનું મહત્વનું યાત્રાધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. અહીં જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પેટે કશું પણ લેવામાં આવતું નથી. વળી હવે તો અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવાનું પણ બંધ કરેલ છે.