સંપ્રતિ

વિકિપીડિયામાંથી
સંપ્રતિ
પાંચમા મૌર્ય શાસક
શાસનઈ.સ.પૂ. ૨૨૪–૨૧૫
પુરોગામીદશરથ મૌર્ય
અનુગામીશાલીશુક્લા
વંશમૌર્ય
પિતાકુણાલ
માતાકંચનમાલા
ધર્મજૈન[૧]

સંપ્રતિ મૌર્ય રાજવંશના શાસક હતા. તે મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર હતા. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તે તેના પિતરાઈ ભાઈ દશરથ મૌર્યના ઉત્તરાધિકારી બન્યા.

શાસનકાળ[ફેરફાર કરો]

જૈન સ્ત્રોત પરિશિષ્ટપર્વણ અનુસાર તેણે પાટલીપુત્ર અને ઉજ્જૈન બન્ને પર શાસન કર્યું.[૨] જૈન સાહિત્ય દર્શાવે છે કે અશોકના મૃત્યુ પછી (દશરથ મૌર્યના શાસનકાળ દરમિયાન) સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, આંધ્રા અને મૈસૂરના ક્ષેત્રો મૌર્ય સામ્રાજ્યમાંથી અલગ થઈ ગયા. જેને સંપ્રતિ દ્વારા પુન: પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.[૩]

સંપ્રતિ અને જૈનધર્મ[ફેરફાર કરો]

સંપ્રતિ મહારાજાને પૂર્વ ભારતમાં જૈન ધર્મના પ્રચાર તથા સંરક્ષણ માટેના પ્રયાસો માટે ઓળખવામાં આવે છે. તેઓ જૈન મુની 'શ્રી સુહસ્તી સૂરી' ના શિષ્ય હતા.[૪] સ્ત્રોત દર્શાવે છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામી દ્વારા સ્થાપિત મંડળના આઠમા ગુરુ[૧] અને જૈન મુની સુહસ્તી સૂરી પાસે તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો, જ્યારે સ્થવિરાવલી (૯.૫૩) અનુસાર તેઓ જન્મે જૈન હતા.[૫] જૈન ધર્મ અપનાવી તેઓ ભારતના ઘણા ભાગોમાં જૈન ધર્મના પ્રચાર પ્રસારનું શ્રેય પામ્યા. તેમણે મુનીઓની યાત્રા તેમજ દેરાસરોના નિર્માણ અને જીર્ણોદ્ધાર કરી લાખો જિન પ્રતિમાઓની સ્થાપના કરાવી.[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Cort 2010, p. 199.
  2. Thapar, Romila (2001). Aśoka and the Decline of the Maurya, New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.187
  3. Moti Chandra (1977). Trade and Trade Routes in Ancient India. Abhinav Publications. પૃષ્ઠ 75–. ISBN 978-81-7017-055-6.
  4. Shah, Natubhai (2004) [First published in 1998], Jainism: The World of Conquerors, I, Motilal Banarsidass, ISBN 81-208-1938-1, https://books.google.com/books?id=qLNQKGcDIhsC 
  5. Tukol, T. K., Jainism in South India, http://www.fas.harvard.edu/~pluralsm/affiliates/jainism/article/south.htm 
  6. Cort 2010, p. 199-200.

સંદર્ભ સૂચિ[ફેરફાર કરો]