સહસ્ત્રકુંડ ધોધ

વિકિપીડિયામાંથી

સહસ્ત્રકુંડ ધોધ (અંગ્રેજી: Sahastrakund Fall) એક ધોધ છે[૧][૨][૩][૪], જે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના યવતમાળ જિલ્લાના ઉમરખેડ નજીક આવેલ છે.[૫] આ સ્થળ યવતમાળ અને નાંદેડ જિલ્લાઓની સરહદ પર આવેલ પેનગંગા નદી પર આવેલ છે.[૬]

સ્થાન[ફેરફાર કરો]

સહસ્ત્રકુંડ યવતમાળથી ૧૭૨ કિલોમીટર અને નાંદેડથી ૧૦૦ કિ. મી. જેટલા અંતર પર આવેલું છે. નિરમાળથી ૫૦ કિ.મી. અને અદિલાબાદથી ૧૦૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે.

મંદિરો આસપાસ પાણીનો ધોધ[ફેરફાર કરો]

ધોધની કુદરતી દૃશ્યાવલિ સાથે સાથે  આસપાસ આવેલા જાણીતા મંદિરો માટે પણ આ સ્થળ જાણીતું છે. પાણીના ધોધ આસપાસ આવેલ આ મંદિરોની યાદી નીચે મુજબ છે:

  1. પંચમુખી મહાદેવ મંદિર
  2. રામ મંદિર
  3. બાણગંગા મહાદેવ મંદિર

વરસાદની મોસમમાં આ સ્થળને મહત્વનું પ્રવાસી આકર્ષણ તરીકે ગણવામાં આવે છે.[૭] આ ધોધના પથ્થરોની સંરચના કાળી ધાતુ જેવી લાગતી હોવાથી પણ તે પ્રસિદ્ધ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "mytraveltales.in". www.mytraveltales.in. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
  2. "सकाळ - सौंदर्याची उधळण; सहस्त्रकुंड धबधबा (फोटो)". Esakal.com. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-08.
  3. "सकाळ - सहस्त्रकुंड". Esakal.com.
  4. "Maharashtra Darshan | Sahastrakund Water Fall". Maharashtradarshan.in. મૂળ માંથી 2017-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-08.
  5. "one dead in sahastrakund waterfall while taking selfie - Maharashtra Times". Maharashtratimes.indiatimes.com.
  6. "Welcome to Nanded District". Nanded.nic.in.
  7. एबीपी माझा वेब टीम. "ABP Majha formerly Star Majha". Abpmajha.abplive.in. મૂળ માંથી 2015-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-08.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]