ઇસ્લામ
વિકિપીડિયા થી
ઇસ્લામ એક એકેશ્વરવાદી ધર્મ છે જે ઇશ્વર દ્વારા તેના પ્રિય પયગંબર અને નબી મુહંમદ સાહેબ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો, ખુદાઇ આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીયનેતા મહંમદના કહેવાયા. એટલા માટે જ ઇસ્લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં નથી આવતું. સંખ્યાની દ્રષ્ટિએ ઇસ્લામ વિશ્વનો દ્વિતિય ક્રમનો સૌથી વધુ લોકો દ્વારા પળાતો ધર્મ છે.
· ઇસ્લામ શબ્દ અરબી મુળ ધાતુ સ – લ - મ (સલામતી – રક્ષા ) પરથી બન્યો છે.
· એ જ પ્રમાણે ઈમાન મુળ ધાતુ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્યો છે.
· એટલે કે ઇસ્લામ સ્વીકારનાર અને ઇમાન લાવનાર માણાસ માટે અલ્લાહ તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.
· એક બીજી રીતે ઇસ્લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ . અને ઈમાન એટલે શ્રધ્ધા , આસ્થા અને એકરાર .
· એટલે ઇસ્લામનો અર્થ થયો કે અલ્લાહને સમર્પિત થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. અને ઇમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્વામી અને માલિકમાં યકીન – આસ્થા શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.
· પૂર્ણતહ: ઇમાનનો અર્થ છે : અલ્લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્વીકારવું.
· ત્યાર પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્વંયને એના આઘીન કરવું એ ઇસ્લામ.

