ઓણમ
| Onam | |
|---|---|
Intricately decorated Pookalam,Onam 2009 |
|
| અધિકૃત નામ | Malayalam: ഓണം |
| પ્રકાર | Harvest Festival/Indian festival |
| મહત્વ | On Thiruvonam, King Mahabali is believed to visit every Malayali home and meet his people. |
| તારીખ | Onam Nakshatra in the month of Chingam |
| રિવાજ | Sadya, Thiruvathira Kali, Puli Kali, Pookalam, Ona-thallu |
ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે. આ ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે અને તે કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે. અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, હોડીઓની સ્પર્ધા અને કઇકોટ્ટિકલી નૃત્ય એ આ તહેવારમાં રંગત જમાવે છે. આ તહેવાર માટે, લોકો નવા કપડા પહેરે છે: પુરૂષો શર્ટ અને મુન્ડુ (ઓફ-વ્હાઇટ રંગની લાંબી લુંગી), સ્ત્રીઓ મુન્ડુ, નરિયાથું તરીકે ઓળખાતી ગોલ્ડ પટ્ટી વાળી પોષાક. છોકરીઓ પાવડા તરીકે ઓળખાતું સ્કર્ટ, અને બ્લાઉઝ પહેરે છે. ઓણમ એ કેરળમાં કાપણીનો તહેવાર છે. (સંદર્ભ આપો)
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] મહત્વ
ઓણમ એ ખૂબ પ્રાચિન ઉત્સવ છે હજુ આજના આધુનિક સમયમાં જ પણ તે ઉજવાય છે. કેરળનો ચોખાની લણણીનો તહેવાર અને મલયાલમ મહિના ચિંગમમાં આવતા રેઇન ફ્લાવરના તહેવારને રાજા માવેલિની પાથાલમની વાર્ષિક મુલાકાત તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચિન સમયથી રાજા માવેલિને કેરળના લોકો દ્વારા આદરભાવ આપવામાં આવે છે ત્યારથી ઓણમ એક અનોખો તહેવાર છે.
દંતકથા પ્રમાણે, રાજા મહાબલિના શાસનકાળ દરમિયાન કેરળનો સૂવર્ણયુગ હતો. રાજ્યના તમામ લોકો આનંદી અને સુખી હતા અને રાજા ખૂબ જ માન ધરાવતો હતો. આ બધા જ ગુણો ઉપરાંત, મહાબલિ ફક્ત એક દુર્ગુણ ધરાવતો હતો. તે અહંકારી હતો. આમ છતાં, મહાબલિ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોને કારણે, ભગવાને તેને એક વરદાન આપ્યું હતું કે જેથી તે તેના લોકોને વર્ષે એક વાર મળી શકે કે જેમની સાથે તે મનથી જોડાયેલો હતો. આ મહાબલિની તે મુલાકાત છે જેને પ્રત્યેક વર્ષે ઓણમ તરીકે ઉજવવામાં આવે છે. લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે અને તેમના માનીતા રાજાને સંદેશો આપે છે કે તેઓ ખુશ છે અને તેઓ શુભેચ્છા પણ પાઠવે છે. દસ દિવસ સુધી ચાલતી આ ઉજવણીમાં કેરળનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠે છે. થિરૂઓણમને દિવસે તૈયાર કરવામાં આવતી ઓનાસાડ્યા નામની મહાભોજનની મિઠાઇ ઓણમની ઉજવણીનો સૌથી મહત્વનો ભાગ છે. તે ભોજનમાં નવ અલગ પ્રકારની વાનગીઓ હોય છે અને તેમાં 11 થી 13 આવશ્યક ડીશનો સમાવેશ થાય છે. ઓનાસાડ્યાને કેળના પત્તા પર પિરસવામાં આવે છે અને ભોજન આરોગવા માટે લોકો જમીન પર સાદડી પાથરીને બેસે છે.
ઓણમની અન્ય આકર્ષક બાબત સર્પાકારની હોડીની સ્પર્ધા એટલે કે વલ્લમકાલિ છે, જે પમ્પા નદી પર યોજાય છે. એકસાથે ઘણા બધા નાવિકો ગીતો ગાતા શણગારેલી હોડીને ચલાવતા હોય અને પ્રેક્ષકો તેમને ઉત્સાહ આપતા હોય તે દ્રશ્ય ખૂબ જ આહલાદક છે. ઓણમના દિવસે સંયુક્ત રીતે રમત રમવાનો પણ રિવાજ છે, જેને ઓનાકાલિકલ તરીકે ઓળખવામાં આવે છે. પુરૂષો તલપ્પાન્થુકાલિ (દડા સાથેની રમત), અમ્બેય્યાલ (તીરંદાજી), કુટુકુટુ અને કાય્યાન્કાલિ અને અટ્ટકાલમ જેવી લડાઇ સ્પર્ધા જેવી ભારે રમતો રમે છે. મહિલાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેઓ રાજા મહાબલિને આવકારવા માટે તેમના ઘરના આંગણામાં જટીલ રીતે બનાવવામાં આવેલી ફુલોની સાદડી, પૂકાલમ બનાવે છે. ઓણમના દિવસે મહિલાઓ કઇકોટ્ટિ કાલિ અને થુમ્બી થુલ્લાલ જેવા બે મનમોહક નૃત્યો કરે છે. કુમ્માટ્ટિ કાલિ અને પુલિકાલિ જેવા લોકગીતો પરનું નૃત્ય ઉજવણીના ઉલ્લાસમાં વધારો કરે છે.
મહાબલિનો શાસનકાળ કેરળ માટે સૂવર્ણયુગ ગણાય છે. ઓણમના પ્રસંગે નીચેનું ગીત હંમેશા ગવાય છે: (અનુવાદ)
| “ | When Maveli, our King, ruled the land,
All the people had equality. |
” |
[ફેરફાર કરો] દંતકથા
મહાબલિ એ પ્રહલાદનો (હિરણ્યકશ્યપનો પુત્ર કે જેને વિષ્ણુએ નરસિંહ અવતારમાં વધ કર્યો હતો) પૌત્ર હતો. પ્રહલાદ અસુર હોવા છતાં વિષ્ણુમાં ખૂબ શ્રદ્ધ ધરાવતો હતો. મહાબલિએ એક બાળક તરીકે નાનપણથી જ પ્રહલાદ પાસેથી વિષ્ણુ પ્રત્યેના પ્રેમ અને ભક્તિની શીખ મેળવી હતી.
[ફેરફાર કરો] મહાબલિએ ત્રણ લોક પર જીત મેળવી
કશ્યપને બે પત્નીઓ હતી, દિતી અને અદિતી, જેઓ અનુક્રમે રાક્ષસો અને દેવો (અસુરાસ અને દેવો)ના માતાપિતા હતા. તપસ્યા કરીને હિમાલય પરથી પરત આવેલા કશ્યપે અદિતી રાણીના રડતી જોઇ. દૈવિક શક્તિને કારણે, કશ્યપ તરત જ તેણીના દુ:ખનું કારણ સમજી ગયા. તેમણે રાણીને દિલાસો આપવાનો પ્રયત્ન કરતા જણાવ્યું કે દૈવી સંકેત વિના જગતમાં કઇં જ થતું નથી અને લોકોએ તેમની ફરજ નિભાવતા રહેવું જોઇએ. તેમણે રાણીને વિષ્ણુની આરાધના કરવા જણાવ્યું અને પાયોવ્રતા વિષે જ્ઞાન આપ્યું, જે ધાર્મિક વિધી કારતક મહિનાના સુદ પક્ષના 12મા દિવસ (શુક્લ-પક્ષ દ્વાદસી)થી અનુસરવામાં આવે છે. અદિતીએ પવિત્ર હદય સાથે વ્રત પૂર્ણ કર્યુ હોવાથી વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે તેણીને એવી માહિતી આપી કે તેઓ ઇન્દ્રને મદદ કરશે.
સાથેસાથે, મહાબલિ દેવોને હરાવીને ત્રણ લોકનો વિજેતા બની જતા દેવો ખૂબ જ ત્રાસી ગયા હતા. દેવો પર હિંસા પણ કરવામાં આવતી હતી.[૧] દેવોએ વિષ્ણુનો સંપર્ક કરીને તેમની પાસેથી મદદની માગ કરી. વિષ્ણુએ દેવોને જણાવ્યું કે મહાબલિ એ તેના પ્રમાણે સારા કાર્યો કરી રહ્યો છે અને તે સુર (દેવો) બનવા માટે લાયક છે. તમારે દેવોએ તે અંગે ઇર્ષ્યા કરવાની જરૂર નથી. ઇર્ષ્યા કરવાથી તમને અસુર બની જશો. વિષ્ણુએ મહાબલિની પરિક્ષા લેવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, મહાબલિ નર્મદા નદીને કિનારે વિશ્વજીત યાગમ અથવા અશ્વમેઘ યાગમ[૨]ની યજ્ઞબલિનો ધાર્મિક વિધી કરી રહ્યો હતો. તેણે એવી જાહેરાત પણ કરી હતી કે યાગમ દરમિયાન તે કોઇ પણ વ્યક્તિને કઇ પણ વસ્તુ દાનમાં આપી દેશે.
[ફેરફાર કરો] વામનની મહાબલિ સાથેની મુલાકાત
યાગમ અને મહાબલિની જાહેરાતનો લાભ લઇને, વામન (બ્રાહ્મણના રૂપમાં મહાવિષ્ણુ) યાગા-શાળામાં ગયા. વામને તેમનો સંપર્ક કરતા, મુનિઓ આ તેજસ્વી યુવાન છોકરાની આભા જોવા માટે એકઠા થઇ ગયા. મહાબલિ આ યુવાન બ્રાહ્મણને પરંપરાગત આદરસન્માન સાથે આવકારવા ગયા અને પવિત્ર પુરૂષને છાજે તેવું સર્વોપરી આસન આપ્યું. મદદ માટે આવતા લોકોને આપવામાં સૌજન્યના ભાગરૂપે, મહાબલિએ તેમને જણાવ્યું કે તેમને હાજરી આપીને જે માન આપ્યું છે તે માટે પોતે ભાગ્યશાળી છે. વામનની જે પણ ઇચ્છા હશે તે મહાબલિ પૂર્ણ કરવા માટે તૈયાર છે. વામને હાસ્ય વેરતા જણાવ્યું: "તમારે મને કોઇ મોટી વસ્તુ આપવાની જરૂર નથી. મારા ત્રણ પગલા થાય તેટલી જમીન તમે આપી શકો તો તે પૂરતું છે. આ વાત સાંભળીને મહાબલિના ગુરુ, બ્રાહ્મણ શુક્રાચાર્ય (દૈત્યનો પૂજારી) કે જેઓ ભવિષ્યમાં જોવાની દૂરદ્રષ્ટિ ધરાવતા હતા, તેમણે મહાબલિને કહ્યું કે તેમની પાસે ભિક્ષા માગવા આવેલી વ્યક્તિ કોઇ સાધારણ બ્રાહ્મણ નથી પરંતુ પોતે ભગવાન વિષ્ણુ આ સ્વરૂપમાં આવ્યા છે. તેમણે મહાબલિને આ બ્રાહ્મણને કોઇ વચન ન આપવાની સલાહ આપી. પરંતુ મહાબલિ માટે પોતાના શબ્દો પાછા ખેંચવા એ પાપ બરાબર હતું. શુક્રાચાર્યે ભારપૂર્વક જણાવ્યું કે તેણે વામનની માગ પૂરી કરવી જોઇએ નહીં કેમકે તે બધુ જ છીનવી લેશે.
મહાબલિ વામનને આપેલા શબ્દો પાળવા માટે મક્કમ રહ્યો અને તેણે ગુરૂની આજ્ઞા ન માનવા બદલ માફી પણ માગી. અગાઉ, જ્યારે મહાબલિ ઇન્દ્ર સાથે યુદ્ધ કરી રહ્યો હતો, ત્યારે તેણે તેના ગુરૂ શુક્રાચાર્યનું શરણ લીધું હતું અને તેમની સલાહથી તેણે વિશ્વજીત યાગમની શરૂઆત કરી હતી, જેને પગલે તે કેટલાક શક્તિશાળી શસ્ત્રોનો સ્વામી બની ગયો હતો. ફક્ત શુક્રાચાર્યની મદદને કારણે જ તે ઇન્દ્ર સામે જીત મેળવવામાં સફળ થયો હતો. મહાબલિએ તેમનો આદેશ માનવાની ના કહેતા શુક્રાચાર્ય ગુસ્સે ભરાયા હતા. તેમણે મહાબલિને શાપ આપતા જણાવ્યું: 'તે તારા ગુરૂના શબ્દોની ઉપેક્ષા કરી હોવાથી તું ભસ્મિભૂત થઇ જઇશ'. મહાબલિ મક્કમ હતો અને તેણે જવાબ આપ્યો: 'હું કોઇ પરિણામનો સામનો કરવા માટે તૈયાર છું પરંતુ હું મારા શબ્દો પાછા નહીં ખેંચુ'.
[ફેરફાર કરો] મહાબલિના શાસનનો અંત
આમ કહેતા, તેણે વામનને ત્રણ પગલા જમીન માપવા જણાવ્યું. મહાબલિને સમજાવવામાં શુક્રાચાર્યના બધા જ પ્રયત્નો નિષ્ફળ પૂરવાર થયા. મહાબલિ તેની પાસે મદદ માટે આવતા પ્રત્યેક લોકોને ભગવાન માનતો અને કઇ પણ ના આપવા માટે તેણે ક્યારેય કોઇને ના પાડી ન હતી. મહાબલિએ તેના ગુરૂને કહ્યુ: "પ્રાણ (જીવન) અને માન (પ્રતિષ્ઠા) એક વ્યક્તિની બે આંખો સમાન છે. જીવનના ભોગે પણ પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું જોઇએ. મારા દ્વારા આવેલી વ્યક્તિ ખુદ ભગવાન છે તેવું હું જાણતો હોઉ, તો હું ખૂબ ભાગ્યશાળી છું કે જે માનવજાતને બધુ જ આપે છે તે શક્તિ આજે મારી પાસે કઇંક માગવા માટે આવી છે. " મહાબલિએ આત્મસ્તુતિ કરતા જણાવ્યું કે જો ખુદ વિષ્ણુએ પણ આવીને કઇં માગ્યું હોત તો તે જરૂર વચન પૂરુ કરતો.[૩]
વામને પોતાનું કદ દેવલોક સુધી વિસ્તાર્યું. એક પગલાથી, તેણે પૃથ્વીને સર કરી લીધી. બીજા પગલામાં, તેણે આખું દેવલોક લઇ લીધું. મહબલિએ તેને આપેલા વચન પ્રમાણે હજુ એક પગલું જમીન લેવાની બાકી હતી. મહાબલિ પાસે હવે કઇં બાકી રહ્યું ન હોવાથી તેણે વામનને અંતિમ પગલું પોતાના મસ્તક પર મુકવા જણાવ્યું. વામને તેમ કર્યુ અને તેને (પૃથ્વી નીચે રહેલા સામ્રાજ્ય) પાતાળલોકમાં ધકેલી દીધો.
[ફેરફાર કરો] વિષ્ણુના વરદાન
આ દૈત્ય મહાબલિની ભક્તિથી ખુશ થઇને, ભગવાન વિષ્ણુએ (વામન) તેને પાતાળલોકનું રાજ્ય આપી દીધું આ ઉપરાંત તેને એક માનવાંતર સુધી ઇન્દ્રનું સ્થાન ગ્રહણ કરવાનું પણ વરદાન આપ્યું, આમ કરીને તેમણે તેમના ભક્તની ઇચ્છા પૂર્ણ કરી (ઇન્દ્રની સભામાં સ્થાનમાં દર માનવાંતરમાં ફેરફાર થાય છે). અંતિમ વરદાન રૂપે, મહાબલિને વર્ષમાં એક વાર પોતાના સ્વજનોની મુલાકાત લેવાની મંજુરી આપી. આથી, કેરળવાસીઓ મહાન રાજા મહાબલિની યાદમાં ઓણમના તહેવાની ઉજવણી કરે છે, જે મુલાકાત લેવાનું પોતાનું વચન પાળે છે. મહાબલિની ગણના સત્ય ("સત્ય") માટે આત્મબલિદાન કરનાર મહાન વ્યક્તિ તરીકે થાય છે. "મહાબલિ" નામનો અર્થ જ મોટું બલિદાન આપવું થાય છે. ઓણમ દરમિયાન, મિઠાઇ અને લોકોમાં આનંદનું વાતાવરણ, સૌથી સારા વસ્ત્રપરિધાન, એ મહાબલિના પૂર્ણ શાસનકાળ દરમિયાન સમૃદ્ધિ અને આનંદભર્યા જીવનનું સંસ્મરણ કરાવે છે. લોકો ઓણમ દરમિયાન નવા વસ્ત્રો પહેરે છે. 'વસ્ત્ર'નો એક અર્થ હદય પણ થાય છે. આથી નવા કપડા પહેરવા પાછળનું મહાત્મ્ય એ છે કે બધા જ ખરાબ વિચારો અને લાગણીઓને ત્યજી દઇને હદયને પણ નવું બનાવવું. લોકો પોતાના સાંપ્રદાયિક વિચારોને ભૂલી જઇ, પવિત્ર 'થિરૂવોણમ' દિવસને આવકારે છે.
[ફેરફાર કરો] નૈતિક પ્રશ્નો
ભગવાન વિષ્ણુએ મહાબલિને શિક્ષા કરી તે અનૈતિક લાગશે, જેના દાદાજી (પ્રહલાદ) ભગવાન વિષ્ણુના સૌથી મહાન ભક્ત માનવામાં આવે છે. આમ છતાં, મહાબલિને વિષ્ણુએ કોઇ દંડ કર્યો છે તેમ મનાતું નથી, કેમકે તેને વિષ્ણુના વરદાન પ્રાપ્ત થયા હતા અને ઓણમના રૂપે તેની યાદગીરી શાશ્વત કાળ સુધી રહેવાની છે. તેણે પોતાનું મસ્તક ભગવાન વિષ્ણુના પવિત્ર ચરણ નીચે રાખવાની પણ તક મળી હતી, આથી તેના બધા જ પાપ ધોવાઇ ગયા હતા. આ ઉપરાંત વિષ્ણુના વરદાનથી, મહાબલિ આઠમા મનુ, (સવર્ણી મનુ)ના સમય દરમિયાન આગામી (આઠમા) ઇન્દ્ર બનશે. પુરંધરા પ્રવર્તમાન ઇન્દ્ર છે[૪]. મહાબલિ પોતાનું સમગ્ર સામ્રાજ્ય સમર્પિત કરીને ભગવાના વિષ્ણુનો પૃથ્વી પરના સૌથી મહાન ભક્ત બની ગયો હતો તેમ મનાય છે. સુર એટલે સારા માણસો અને અસુર એટલે ખરાબ લોકો. હિન્દુવાદ પ્રમાણે, સુર તેમના ખરાબ કાર્યોથી અસુર થઇ શકે છે અને અસુર પવિત્ર કામો કરીને સુર બની શકે છે. મહાબલિ અસુરમાંથી સુર બનવા માગતા હતા. આથી, તેમણે લોકો માટે હંમેશા સારા કામો કર્યા હતા. મહાબલિની પરમાર્થવૃત્તિ અને નિ:સ્વાર્થપણાની પરિક્ષા કરવા માટે, મહાવિષ્ણુએ વામનનો અવતાર લીધો હતો અને તેને પાતાળમાં મોકલી આપ્યો હતો, જે નિર્ણયને મહાબલિએ વિના સંકોચે સ્વીકાર્યો હતો. આમ, મહાબલિ સુર અથવા દેવ બની ગયો, અને ઓણમ હિન્દુવાદના અદ્વૈત સિદ્ધાંતનું પ્રતિક છે.
[ફેરફાર કરો] દસ દિવસની ઉજવણી - અથમ પત્થીનુ પોન્નોનમ
ઓણમની ઉજવણી અથમ દિવસની શરૂ થાય છે, જે ઓણમના 10 દિવસ પહેલા આવે છે. મહાબલિ અને વામન (વિષ્ણુનો અવતાર)ને દર્શાવતા માટીના ઢગલા કે જે આકારમાં ચોરસ પિરામીડ જેવા દેખાય છે તેને ઘરની સામે છાણથી લીપવામાં આવેલા આંગણામાં મુકવામાં આવે છે અને તેને ફુલોથી સુંદર રીતે શણગારવામાં આવે છે. એકઠા કરેલા ફુલો સાથે એક કે બે જાતના પાંદડાઓને ચૂંટીને સુશોભનના માધ્યમથી એક કાર્પેટ બનાવવામાં આવે છે જે 'ઓનાપૂક્કાલમ' તરીકે ઓળખવામાં તે કલાના પ્રાવિણ્યનું એક ઉત્કૃષ્ટ કાર્ય છે અને તેના ઉચ્ચ પ્રકારની કારિગરી અને કૌશલ્યની જરૂર પડે છે. (આ જ રીતે ઉત્તર ભારતીયો તેની જેમ "રંગોલી" બનાવે છે જેમાં વિવિધ રંગના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.) આ પૂર્ણ થયા બાદ નાના તોરણ સાથેનો પંડાલ બનાવવામાં આવે છે. આ તહેવારના મહત્વના ભાગની શરૂઆત કેટલાસ સ્થાનો પર થિરૂવોણમ દિવસે અને અન્ય સ્થાનો પર ઉથરદમ તરીકે ઓળખાતા આગલા દિવસે થાય છે. રાજા મહાબલિ થિરૂવોણમ દિવસે પ્રત્યેક મલયાલિના ઘેર જઇને લોકોને મળે છે તેમ મનાય છે. ઘરોને સ્વચ્છ રાખી ફુલો તથા પરંપરાગત દિવડાઓથી તેને સજાવવામાં આવે છે. ફટાકડાના અદભૂત પ્રદર્શનથી પાટનગર થિરૂવનંથપુરમ સાક્ષાત પરિલોકમાં ફેરવાઇ જાય છે. પ્રત્યેક ઘરોમાં ભપકાદાર મિઠાઇઓ બનાવવામાં આવે છે. દરેક કુટુંબનો વડીલ સભ્ય કુટુંબના પ્રત્યેક સભ્યને વસ્ત્રોની ભેટ આપે છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ રાષ્ટ્રીય તહેવારને તેની પરિસ્થિતી પ્રમાણે ઉજવે છે.
ઓણમ "ચિંગમ" મહિનામાં આવે છે જે મલિયાલમ કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો છે. રાજા મહાબલિને આવકારવા માટે લોકો તેમના ઘરોની આગળ ફુલોની ચાદર પાથરે છે. ફુલોની પથારીના સુશોભન માટે સ્પર્ધા થાય છે; સમગ્ર વિશ્વના કેરાલિયનો આ દસ દિવસને ભવ્યતા અને ઉલ્લાસથી ઉજવે છે. તેઓ નવા વસ્ત્રો પહેરે છે, શક્ય તેટલા મંદિરે દર્શન કરવા જાય છે, થિરૂવધીરા કાલિ થુમ્બી ટુલ્લાલ વગેરે જેવા નૃત્યો પણ કરે છે. થિરૂવોણમ દિવસે ભવ્ય ભોજન એ સૌથી મહત્વની બાબત છે, જેને બીજી ઓણમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કોઇ પણ ભોગે ભવ્ય ભોજન (સાદયા )ના કાર્યક્રમને ચૂકશે નહીં. મલયાલમમાં એક કહેવત છે કે "કાનમ વિટ્ટુમ ઓણમ ઉન્નાનમ" એટલે કે "આપણે બધી જ સંપત્તિ વેચી દેવી પડે તો પણ થિરૂવોણમ ભોજન ચૂકવું જોઇએ નહીં" જે થિરૂવોણમ દિવસે ભવ્ય ભોજનનું મહત્વ દર્શાવે છે. ઓણમની ઉજવણી વિવિધ સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક વિચારધારાઓને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. અથચમાયમ - ચિંગમ ના અથમ દિવસે એર્નાકુલમ - કોચી નજીક થિપુનીથુરાના વૈભવી નગરમાં એક સાંસ્કૃતિક રેલી નીકળે છે, જે ઓણમની ઉજવણીની શરૂઆત પણ ગણાય છે. થ્રીક્કાકારામાં આવેલા વામનામૂર્તિ મંદિરનો વાર્ષિક સમારોહ ઓણમની સાથે જ હોય છે. આ મંદિર વામન|ભગાવન વામનને અર્પણ કરવામાં આવ્યું છે અને તે ઓણમના પૌરાણિક મહાત્મ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. ઓણમ પૂક્કાલમને ધર્મનિરપેક્ષતાનું પ્રતિક મનાય છે. વિવિધ પ્રકારના ફુલો એકસાથે અદભૂત દેખાતા પૂક્કાલમની રચના કરે છે. કે જેથી તે રાજા મહાબલિના શાસનકાળ સમયના સારા દિવસોનું પ્રતિબિંબ પાડી શકે. કેરળના લોકો માટે અથમથી થિરૂવોણમ સુધી વિશેષરૂપે બાળકો માટે પૂક્કાલમ બનાવવા એ ખૂબ આનંદની વાત છે.
મલયાલમ નવા વર્ષના પખવાડિયા દરમિયાન જ ઉજવણીની શરૂઆત થઇ જાય છે અને તે દસ દિવસ સુધી ચાલે છે. થિરૂવોણમ તરીકે ઓળખાતો અંતિમ દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. સમગ્ર રાજ્યમાં, આ લણણીના ઉત્સવને ઉજવવા માટે રિવાજો સાથે નવા વસ્ત્રો, પારંપારિક ભોજન, નૃત્ય અને સંગીત પણ હોય છે. વલ્લુવાનદ (મુખ્યત્વે ઓટ્ટાપાલમ, શોર્નુર ક્ષેત્રોમાં) ખાતે, કથકલિ નૃત્યકારો સુંદર વસ્ત્રોમાં ભાગ ભજવે છે. થ્રિસુર ખાતે શણગારેલા હાથીઓની ખૂબ જ આકર્ષક સરઘસ કાઢવામાં આવે છે, જ્યાં મુખવટા પહેરેલા નૃત્યકારો ઘેર ઘેર જઇને કુમ્મટ્ટિકાલિ નૃત્ય ભજવે છે. ચેરૂથુરુથી ખાતે, લોકો મહાકાવ્યો અને લોકગીતોના દ્રશ્યો પર પ્રસ્તુત થતા કથકલિ નૃત્ય જોવા માટે એકઠા થાય છે. પુલિકાલી કે જે કડુવકલિ તરીકે પણ જાણીતી છે તે ઓણમની મોસમમાં જોવા મળતી સામાન્ય બાબત છે. તેજસ્વી પીળા અને લાલ તથા કાળા રંગમાં વાઘની જેમ રંગાયેલા લોકો ઉડુક્કુ અને થાકિલ જેવા સાધનોની ધૂન પર નૃત્ય કરે છે. ઓણમના દિવસો દરમિયાન, અરણમુલા ખાતે પ્રખ્યાત અરણમુલા વલ્લમ કાલિ યોજાય છે. ઝૂલા એ વિશેષરૂપે ગ્રામીણ વિસ્તારોમાં ઓણમનું અભિન્ન અંગ છે. શ્રેષ્ઠ શણગારમાં રહેલા યુવાન પુરૂષો અને સ્ત્રીઓ ઓનાપ્પાટ્ટ અથવા ઓણમ ગીતો ગાય છે, અને ઉંચી ડાળીઓ પરથી એકબીજાનો ઝૂલાવે છે.
[ફેરફાર કરો] ઓણમની પ્રવૃત્તિઓ
ઓણમની ખૂબ મહત્ત્વાની બાબતોમાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે, ઓનાક્કોડિ , આ દિવસે પહેરવામાં આવતા નવા વસ્ત્રો અને ઓણમ સાદયા , જે આ દિવસે ખાવામાં આવતી મિઠાઇ છે. સામાન્ય રીતે મિઠાઇને કેળના પત્તા પર ભાતની સાથે પીસરવામાં આવે છે અને તેને 4 વસ્તુઓની સજાવવામાં પણ આવે છે. પરંપરાગત અથાણા અને પાપડમ પણ પીરસવામાં આવે છે. મધુર વાનગીમાં મોટે ભાગે 'પયાસમ' હોય છે, જે દૂધ, ખાંડ અને અન્ય ભારતીય પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. ઓણમ દરમિયાન, લોકો વિવિધ રંગના ફુલોથી તેમના ઘરની સામે સુશોભન કરે છે, જેને પૂક્કાલમ કહેવામાં આવે છે. યુવાન બાળકો અને વિશેષરૂપે છોકરીઓને ફૂલોને એકઠા કરવાની અને તેને સરસ રીતે ગોઠવવાની કામગીરી સોંપવામાં આવે છે. ફૂલોની આ રચના બનાવવાની સ્પર્ધા પણ ઓણમના દિવસે યોજવામાં આવે છે. તે સામાન્ય રીતે ગોળાકારમાં 1.5 મિટરનો ઘેરાવો ધરાવતી હોય છે. ડિઝાઇનના ભાગરૂપે દિવડો પણ મુકવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, ફૂલોની ડિઝાઇનમાં કેરળના જીવનના સાંસ્કૃતિક અને સામાજિક પાસાઓને પણ દર્શાવતી પારંપરિક ગોળાકાર રચનાનો સમાવેશ કરવામાં આવે છે.
વલ્લમકાલિ (સર્પાકાર હોડીની સ્પર્ધા) પણ ઓણમનું એક અભિન્ન અંગ છે. જાણીતી સ્પર્ધાઓમાં અરણમુલા બોટ રેસ અને નેહરૂ ટ્રોફિ બોટ રેસનો સમાવેશ થાય છે. આશરે 100 હલેસા મારનારા વિશાળ અને સુશોભિત સર્પાકાર હોડીઓનો ચલાવે છે અને નજીક તેમજ દૂરના વિસ્તારોમાંથી પુરૂષો અને સ્ત્રીઓ પાણીમાં સરકતી હોડીઓનો નિહાળવા આવે છે. જેમ હિન્દુઓ ગણેશ ચતુર્થીની ઉજવણી સમયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે તેવી જ રીતે ઓણમ દરમિયાન કેરળવાસી હિન્દુઓ થ્રીક્કાકરી અપ્પન (વામનના સ્વરૂપમાં વિષ્ણુ)ની ઘરમાં સ્થાપના કરે છે. આ તહેવાર કેરળના બધા જ સમુદાયોમાં લોકપ્રિય હોવાથી પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઓણમનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલો હોવા છતાં, આજે કેરળમાં હિન્દુઓ, મુસ્લીમો, અને ખ્રિસ્તીઓ દ્વારા એકસમાન ભાવનાથી ઉજવવામાં આવે છે. ઉજવણી દરમિયાન, કેરળના હિન્દુ મંદિરોમાં ઘણા દિવડાઓ પ્રગટાવવામાં આવે છે.[૫] મંદિરોની સામે તાડનું વૃક્ષ ઉભું કરવામાં આવે છે અને જેની આસપાસ લાકડાની થાંભલીઓ કરીને તેને સૂકા તાડના પાંદડાઓથી ઢાંકવામાં આવે છે.[૫] મહાબલિ બલિદાન આપીને નરકમાં ગયા તે દર્શાવવા માટે તેને મશાલથી બાળી નાખવામાં આવે છે.[૫]
[ફેરફાર કરો] આ પણ જુઓ
- મહાબલિ
- કેરળ
- સાદયા
- પુલિકલી
- બલિપ્રતિપદા
- લણણીના ઉત્સવોની યાદી
[ફેરફાર કરો] સંદર્ભો
- ↑ પાનુ. 161 મેની રામાયણાઝ: ધી ડાઇવર્સિટી ઓફ એ નેરેટિવ ટ્રેડિશન ઇન સાઉથ એશિયા પૌલા રિચમેન દ્વારા
- ↑ પાનુ. 368 Śrīmadbhāgavatam =: શ્રીમદ્ ભાગવત, ધી હોલી બુક ઓફ ગોડ તપસ્યાનંદ દ્વારા
- ↑ પાનુ. 66 પાથ ટુ ધી સાઉલ અશોક બેદી દ્વારા
- ↑ પાનુ. 30 નો ધી પુરાન્સ પુસ્તક મહલ દ્વારા
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ પાનુ. 179 જિનીયાલોજી ઓફ ધી સાઉથ ઇન્ડિયન ડાયેટીઝ બાર્થોલોમસ ઝીગનબાગ, ડેનિયલ જેયરાજ દ્વારા