કનૈયાલાલ મુનશી

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
કનૈયાલાલ મુનશી
KMMunshiKrishnavataar-front.png
મુનશી ગ્રંથાવલી ના મુખપૃષ્ઠ પર કનૈયાલાલ મુનશીનું ચિત્ર
જન્મની વિગત ૩૦ ડિસેમ્બર,૧૮૮૭
ભરૂચ
મૃત્યુની વિગત ૮ ફેબ્રુઆરી,૧૯૭૧
મુંબઇ
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ બી.એ. એલ.એલ.બી.
વ્યવસાય વકીલાત,સાહિત્યકાર
ખિતાબ પાંચ વિશ્વવિધાલયો તરફથી "ડી.લિટ" ની માનદ પદવી
ધર્મ હિંદુ
જીવનસાથી અતિલક્ષ્મી,લીલાવતી
માતા-પિતા તાપીબા,માણેકલાલ

પુરું નામ: કનૈયાલાલ માણેકલાલ મુનશી

ક.મા.મુનશી એ સત્યાગ્રહ ના સમયના બહુપાર્શ્વીય વ્યક્તિત્વ ધરાવનાર લેખક હતાં. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ એક લેખક તરીકે મળી. તેમની નવલકથાઓ મોટા ભાગે ઐતિહાસીક કથાનકો પર આધારીત રહેતી. તેમની નવલકથાઓ માં તેમના ઇતિહાસ ના રસ અને જ્ઞાન નો પ્રભાવ ચોખ્ખો દેખાય છે, જે તેમને બીજા તમામ ગુજરાતી નવલકથાકારોથી જુદા પાડે છે.

કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ મુનશી ગ્રંથાવલી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

[ફેરફાર કરો] જીવન ઝરમર

  • ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
  • ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના
  • અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
  • ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન
  • ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા
  • ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
  • ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
  • ૧૯૪૬- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • ૧૯૪૮- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર
  • ૧૯૪૮- હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
  • ૧૯૫૭- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
  • ૧૯૫૪- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
  • ૧૯૫૯ - ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ
  • ૧૯૬૦- રાજકારણમાંથી નિવૃત્ત

[ફેરફાર કરો] સાહિત્ય કૃતિઓ

તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.


આ સિવાય ઘણી કૃતિઓ તેમણે અંગ્રેજીમાં પણ લખી છે.

[ફેરફાર કરો] સંદર્ભ


બીજી ભાષાઓમાં