કનૈયાલાલ મુનશી
વિકિપીડિયા થી
| કનૈયાલાલ મુનશી | |
મુનશી ગ્રંથાવલી ના મુખપૃષ્ઠ પર કનૈયાલાલ મુનશીનું ચિત્ર
|
|
| જન્મની વિગત | ૩૦ ડિસેમ્બર,૧૮૮૭ ભરૂચ |
|---|---|
| મૃત્યુની વિગત | ૮ ફેબ્રુઆરી,૧૯૭૧ મુંબઇ |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| અભ્યાસ | બી.એ. એલ.એલ.બી. |
| વ્યવસાય | વકીલાત,સાહિત્યકાર |
| ખિતાબ | પાંચ વિશ્વવિધાલયો તરફથી "ડી.લિટ" ની માનદ પદવી |
| ધર્મ | હિંદુ |
| જીવનસાથી | અતિલક્ષ્મી,લીલાવતી |
| માતા-પિતા | તાપીબા,માણેકલાલ |
પુરું નામ: કનૈયાલાલ માણેકલાલ મુનશી
ક.મા.મુનશી એ સત્યાગ્રહ ના સમયના બહુપાર્શ્વીય વ્યક્તિત્વ ધરાવનાર લેખક હતાં. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ એક લેખક તરીકે મળી. તેમની નવલકથાઓ મોટા ભાગે ઐતિહાસીક કથાનકો પર આધારીત રહેતી. તેમની નવલકથાઓ માં તેમના ઇતિહાસ ના રસ અને જ્ઞાન નો પ્રભાવ ચોખ્ખો દેખાય છે, જે તેમને બીજા તમામ ગુજરાતી નવલકથાકારોથી જુદા પાડે છે.
કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ મુનશી ગ્રંથાવલી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
[ફેરફાર કરો] જીવન ઝરમર
- ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
- ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના
- ૧૯૧૫-૨૦ 'હોમરુલ લીગ’ ના મંત્રી
- અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
- ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન
- ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા
- ૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
- ૧૯૩૦- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
- ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
- ૧૯૩૩- કોંગ્રેસના બંધારણનું ઘડતર
- ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
- ૧૯૩૮- ભારતીય વિદ્યાભવનની સ્થાપના
- ૧૯૩૮- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- ૧૯૪૬- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
- ૧૯૪૮- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર
- ૧૯૪૮- હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
- ૧૯૪૮- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
- ૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
- ૧૯૫૭- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
- ૧૯૫૪- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
- ૧૯૫૯ - ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ
- ૧૯૬૦- રાજકારણમાંથી નિવૃત્ત
[ફેરફાર કરો] સાહિત્ય કૃતિઓ
તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.
- "ગુજરાત નો નાથ"
- "પાટણની પ્રભુતા"
- "પૃથીવી વલ્લભ"
- કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૭
- "રાજાધિરાજ"
- "જય સોમનાથ"
- "ભગવાન કૌટિલ્ય"
- "ભગ્ન પાદુકા"
- "લોપામુદ્રા"
- "લોમહર્ષિણી"
- "ભગવાન પરશુરામ"
- "વેરની વસુલાત"
- "કોનો વાંક"
- "સ્વપ્નદ્રષ્ટા"
- "તપસ્વિની"
- "અડધે રસ્તે"
- "સીધાં ચઢાણ"
- "સ્વપ્નસિદ્ધિની શોધમાં"
- "પુરંદર પરાજય"
- "અવિભક્ત આત્મા"
- "તર્પણ"
- "પુત્રસમોવડી"
- "વાવા શેઠનું સ્વાતંત્ર્ય"
- "બે ખરાબ જણ"
- "આજ્ઞાંકિત"
- "ધ્રુવસંવામિનીદેવી"
- "સ્નેહસંભ્રમ"
- "ડૉ. મધુરિકા"
- "કાકાની શશી"
- "છીએ તે જ ઠીક"
- "બ્રહ્મચર્યાશ્રમ"
- "મારી બિનજવાબદાર કહાણી"
- "ગુજરાતની કીર્તિગાથા"
આ સિવાય ઘણી કૃતિઓ તેમણે અંગ્રેજીમાં પણ લખી છે.
- "Gujarat & its Literature"
- "I Follow the Mahatma"
- "Early Aryans in Gujarat"
- "Akhand Hindustan"
- "The Aryans of the West Coast"
- "The Indian Deadlock"
- "The Imperial Gurjars"
- "Ruin that Britain Wrought"
- "Bhagavad Gita and Modern Life"
- "The Changing Shape of Indian Politics"
- "The Creative Art of LIfe"
- "Linguistic Provinces & Future of Bombay"
- "Gandhi : The Master"
- "Bhagavad Gita - An Approach"
- "The Gospel of the Dirty Hand"
- "Glory that was Gurjaradesh"
- "Our Greatest Need"
- "Saga of Indian Sculpture"
- "The End of an Era (Hyderabad Memories)"
- "Foundation of Indian Culture"
- "Reconstruction of Society through Trusteeship"
- "The World We Saw"
- "Warnings of History"
- "Gandhiji's Philosophy in Life and Action"