દેવાનંદ સ્વામી
વિકિપીડિયા થી
[ફેરફાર કરો] પુર્વ ભુમિકા
ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર કવિ દલપતરામના કાવ્યગુરુ અને બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય એવા દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક અજોડ કવિ હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. જ્યારે કોઇ ધ્યાન દઇને તેમની રચનાઓ સાંભળે છે, ત્યારે તે વ્યક્તિને સંસાર અસાર લાગે છે. આજે પણ તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવાય છે. તેઓ બહુધા મુળીમાં નિવાસ કરીને રહેતા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દલપતરામ ના કાવ્યગુરુ હતા. તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ" ના નામથી સુરેન્દ્રનગર ગુરુકુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે.
[ફેરફાર કરો] જન્મ , શિક્ષા અને પ્રભુમિલન
ઇ.સ.૧૮૦૩માં ધોળકાપાસેના બરોળ ગામમાં શંકરભક્ત શંભુદાન ગઢવીને જે તેજસ્વી બાળકે જન્મ ધારણ કર્યો તે જ આ દેવાનંદ સ્વામી થયા.તેમનું બાળપણનું નામ દેવીદાન ગઢવી હતું.બાલ્યાવસ્થામાં પ્રહ્લાદની જેમ તેમને અધ્યાત્મમાં વધુ રુચી થયેલી.પરિવારમાં ભગવાન ભોળાનાથની ભક્તિની પરંપરા હતી.આનુવંશિક ગુણૉ પ્રમાણે ભક્તિ કવિતાની રચના તેને કુદરતી રીતે જ આવડતી.પિતા પાસે જ થોડું અધ્યયન કરતા અને નામસ્મરણમાં લીન રહેતા .આ બાળક દેવીદાન મંદિરના પુજારી હોય તેમ જાજો સમય મંદિરમાં ભોળાનાથની ઉપાસનામાં વ્યતીત કરતા.તેમના નાજુક મનમાં પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી જન્મેલી, તેને રોકવામાં આ બાળ હ્રદય તીવ્ર લાગણીશીલ બની ગયું.એકવાર તો તેમણે જો શિવ પ્રત્યક્ષ ન થાય તો મસ્તક તેમના ચરણે ફુલ જેમ ધરીને આ પાંચભૌતિક શરીરનો ત્યાગ કરવાની ઇચ્છા થઇ આવી. બાળકની આવી હઠીલી ભક્તિથી ભોળાનાથે આકાશમાંથી અવાજ કર્યો.આત્મહત્યા ના કર,બાળક તને પ્રગટ ભગવાન મળશે.આ બાળકે સામે પ્રશ્ન કર્યો.ક્યાં અને કેવી રીતે મળશે? આકાશવાણીએ કહ્યું'વત્સ, તારા જ ગામમાં એ ભગવાન આવશે અને તેની જીભ કોણી સુધિ અડશે.બસ, હવે તો અએ દિવસની ઇંતેજારીમાં દિવસો યુગ યુગના થવા લાગ્યા પણ ભગવાન આવ્યા પણ ખરા.ભગવાન સ્વામિનારાયણ બરોળમાં પધાર્યા,ભક્તો થાળ લાવ્યા,ગાડાના આગળના ભાગે બેસીને જમવા લાગ્યા.જમતા જમતા દહિંના રેલા ઉતર્યા હતા તેને ભગવાન જીહ્વાએ કરીને વાટવા લાગ્યા.આ જોઇને દેવીદાને પગ પકડી લીધા.આપ સ્વયં ભગવાન છો,મને સ્વીકાર કરો.બસ ,ત્યારથી આ દેવીદાન સ્વામિનારાયણના આશ્રિત બની ગયા.