ધોલેરા

વિકિપીડિયામાંથી
ધોલેરા
—  નગર  —
ધોલેરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′52″N 72°11′44″E / 22.247734°N 72.195561°E / 22.247734; 72.195561
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો ધોલેરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
સ્વામિનારાયણ મંદિર, ધોલેરા

ધોલેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ધોલેરા તાલુકાનું મુખ્ય મથક છે.

વિગત[ફેરફાર કરો]

ધોલેરા ખંભાતના અખાતનું પ્રાચીન બંદર-નગર છે, જે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરથી ૩૦ કિમી દૂર આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ૬ મંદિરોમાંથી એક અહીં આવેલું છે, આ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાને પોતે પ્રાણપ્રતિષ્ઠા કરીને મૂર્તિઓ પધરાવી હતી.[૧]

ધોલેરા નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધોલેરા સર[ફેરફાર કરો]

ધોલેરા તાલુકામાં વિકાસ અર્થે થઈ ને અમુક ગામોનો એક વિશેષ સમુહ બનાવવામાં આવ્યો છે જેને ધોલેરા વિશેષ રોકાણ વિસ્તાર (Dholera Special Investment Region- Dholera SIR), અંગ્રેજી ટૂંકાક્ષરોને આધારે ધોલેરા સર કહેવામાં આવે છે. આ ધોલેરા સરમાં નીચેના ગામનો સમાવેશ થાય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દવે, રમેશ મ. "ધોલેરામાં મૂર્તિ પ્રતિષ્ઠા". સહજાનંદ ચરિત્ર (pdf) (પાંચમી આવૃત્તિ). અમદાવાદ: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ રોડ. પૃષ્ઠ ૧૩૫.
  2. "ધોલેરા સરમાં સમાવાયેલા ગામની યાદી". મૂળ માંથી 2015-03-16 પર સંગ્રહિત.