બકુલ ત્રિપાઠી
વિકિપીડિયા થી
જન્મ
27 નવેમ્બર - 1928 - નડિયાદ
અવસાન
31 ઓગસ્ટ - 2006 - અમદાવાદ
કુટુમ્બ
માતા - સૂર્યબાળા ; પિતા - પદ્મમણિશંકર ; પત્ની - વીણા - 1957 ; સંતાન - એક
અભ્યાસ
એમ. કોમ. ; એલ. એલ. બી.
વ્યવસાય
અધ્યાપન, પત્રકારત્વ , લેખન
જીવન ઝરમર
અમદાવાદની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર ; જુદા જુદા વર્તમાન પત્રો-સામયિકોમાં સાહિત્યકૃતિઓ પ્રસિદ્ધ થતી રહી છે. હાસ્યલેખોને વિશેષ લોકપ્રિયતા ; લીમ્કા બુક ઓફ રેકોર્ડ - 1996 માં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં 43 વર્ષ સુધી એક જ અખબારમાં (ગુજરાત સમાચાર) સૌથી વધારે (43 વર્ષ) ચાલેલી કોલમના લેખક ; હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ; એક મર્મજ્ઞ સાક્ષર જે “ઠોઠ નિશાળિયો” બનીને “કક્કો અને બારાખડી” ઘૂંટતાં ઘૂંટતાં લાખો ગુજરાતી પરિવારોની સવાર સુધારે છે.
રચનાઓ
હાસ્યલેખો, નિબંધ, નાટક, કવિતા ; ગુજરાત સમાચાર ( દૈનિક) માં લોકપ્રિય કટારો - સોમવારની સવારે અને કક્કો અને બારાખડી
મુખ્ય રચનાઓ
હાસ્ય લેખો - સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું (પુસ્તક સ્તો , તમે કંઇ બીજું ધારી લીધું?! ); નાટક - લીલા, પરણું તો એને જ પરણું; સંપાદન - જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો ; બાળસાહિત્ય - Fantasia - ‘અદ્ભૂત’ નું રૂપાંતર
સન્માન
રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ગુજરાત સરકારના પુરસ્કારો