બકુલ ત્રિપાઠી

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

જન્મ

   27 નવેમ્બર - 1928 - નડિયાદ

અવસાન

   31 ઓગસ્ટ - 2006 - અમદાવાદ

કુટુમ્બ

   માતા - સૂર્યબાળા ;  
   પિતા - પદ્મમણિશંકર ; 
   પત્ની - વીણા - 1957 ; 
   સંતાન - એક 

અભ્યાસ

   એમ. કોમ. ; એલ. એલ. બી.

વ્યવસાય

   અધ્યાપન, પત્રકારત્વ , લેખન

જીવન ઝરમર

   અમદાવાદની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર ;  જુદા જુદા વર્તમાન પત્રો-સામયિકોમાં સાહિત્યકૃતિઓ પ્રસિદ્ધ થતી રહી છે. હાસ્યલેખોને વિશેષ લોકપ્રિયતા ;  લીમ્કા બુક ઓફ રેકોર્ડ - 1996 માં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં 43 વર્ષ સુધી એક જ અખબારમાં (ગુજરાત સમાચાર) સૌથી વધારે (43 વર્ષ) ચાલેલી કોલમના લેખક ; હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ; એક મર્મજ્ઞ સાક્ષર જે “ઠોઠ નિશાળિયો” બનીને “કક્કો અને બારાખડી” ઘૂંટતાં ઘૂંટતાં લાખો ગુજરાતી પરિવારોની સવાર સુધારે છે.

રચનાઓ

   હાસ્યલેખો, નિબંધ, નાટક, કવિતા ; ગુજરાત સમાચાર ( દૈનિક) માં લોકપ્રિય કટારો - સોમવારની સવારે અને કક્કો અને બારાખડી

મુખ્ય રચનાઓ

   હાસ્ય લેખો - સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે,  દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું (પુસ્તક સ્તો , તમે કંઇ બીજું ધારી લીધું?! ); નાટક - લીલા, પરણું તો એને જ પરણું; સંપાદન - જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો ; બાળસાહિત્ય - Fantasia - ‘અદ્ભૂત’ નું રૂપાંતર

સન્માન

   રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ગુજરાત સરકારના પુરસ્કારો