બીલી
| Bael | ||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| વૈજ્ઞાનિક વર્ગીકરણ | ||||||||||||||||||
|
||||||||||||||||||
| Binomial name | ||||||||||||||||||
| Aegle marmelos (L.) Corr.Serr. |
આસુતોષ એટલે કે બહુ સહેલાઇથી રીઝે એવા, સદાય સૌનું કલ્યાણ કરતા શિવ ભગવાનની જેમ ગમે તેવી જમીનમાં અને કોઇપણ આબોહવામાં ઓછા પાણીએ સહેલાઇથી ઉછરી શકતું, શિવને પ્રિય એવું બીલીનું ઝાડ પણ શિવની જેમ જ માનવજાત માટે ઘણું જ કલ્યાણકારી છે. એટલે જ શિવ મંદિરોમાં બીલીનું વૃક્ષ અચૂક જોવા મળે છે. જ્યાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુધ્ધ રહે છે અને તેના ફૂલમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ મહેકતું રહે છે. શ્રાવણ માસમાં શિવજીને બીલીપત્ર ચઢાવવાની પરંપરા ભારતમાં હોવાથી આ ઝાડ આપણા સૌના જીવન સાથે વણાયેલી છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] બીલીનો પરિચય
વૈજ્ઞાનિક નામ : ઇગલ માર્મેલોસ (Aegle marmelos) ભારત ઉપરાંત બ્રહ્મદેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલાયા, શ્રીલંકા, જાવા, ફિલીપાઇન્સ વગેરે દેશોમાં બીલીનું વૂક્ષ જોવા મળે છે.
[ફેરફાર કરો] બીલીના ગુણો
બીલીના ફળમાં દર ૧૦૦ ગ્રામ ખાવાલાયક ભાગમાં પાણી ૫૪.૯૬ગ્રામ, પ્રોટીન ૧.૮ ગ્રામ, ચરબી ૦.૨ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ ૨૮.૧૧ ગ્રામ, કેરોટીન ૫૫ મીલીગ્રામ જેટલા પોષક તત્વો હોય છે. વધુમાં બીલીના પાન, ફળ, છાલ તેમ જ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કેલોઇડઝ, કુમેરીન, સ્ટેરોઇડ, થાઇમીન, રીબોફલેવીન તથા વિટામીન-સી પણ ગણનાપાત્ર પ્રમાણમાં રહેલા છે.
[ફેરફાર કરો] બીલીના ઉપયોગ
આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંખમાં આંજવામાં આવે છે. દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીનાં પાન વપરાય છે. મધુપ્રમેહની સારવારમાં કેટલાક વૈદ્યો અમૂક સંજોગોમાં આ પાનનો ઉપયોગ કરે છે. ભગવાન શિવજીની પૂજામાં ખાસ કરીને શ્રાવણ માસમાં બીલીપત્રનો ઉપયોગ થાય છે. બીલીના કાચાં ફળનું શાક તથા અથાણું થાય છે. કાચાં બીલાંનો ગર્ભ સૂકવીને રાખી શકાય છે. પાકાં બીલાં ગળ્યા લાગે છે, જે ખાવાના કામ આવે છે. વળી એનું શરબત પણ બનાવી શકાય છે, જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. પાકાં બીલાંનો ગર્ભ ઝાડા તેમ જ મરડામાં ઔષધ તરીકે વપરાય છે. બીલાં ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહી છે. આથી અશક્તિમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત અન્ય આયુર્વેદની બનાવટો, જામ, સીરપ, સ્કવોશ, જેલી, ચોકલેટની બનાવટમાં પણ બીલીના ફળનો ઉપયોગ થાય છે.