ગૌતમ બુદ્ધ

વિકિપીડિયાથી
(બુદ્ધ થી અહીં વાળેલું)
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ
Buddha in Sarnath Museum (Dhammajak Mutra).jpg
સારનાથમાંથી મળી આવેલી બુદ્ધની પ્રતિમા, ૪થી સદી
જન્મની વિગત આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની, આજના નેપાળમાં
મૃત્યુની વિગત આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦) અથવા ઇ.પૂ. ૪૧૧ અને ૪૦૦
કુશીનગર, ઉત્તર પ્રદેશ, આજનું ભારત
માતા-પિતા મહામાયા-શુદ્ધોધન

</noinclude> સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધબૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શક્યમુનિ પણ કહેવાય છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] ગૌતમ બુદ્ધનું જીવન

પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિ, જે આજે નેપાળમાં છે,માં થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.

એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.

૨૯ વર્ષની ઉંમરે એક દીવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું . બુદ્ધ્ ભગવાન્ ખરે ખર્ બહુ મહાન્ હતા.

[ફેરફાર કરો] બોધીની પ્રાપ્તિ

એક સન્યાસી તરીકે જીવન જીવીને અને આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ (સવોચ્ચ જ્ઞાન) પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ (સર્વજ્ઞ) કહેવાયા અને તેમણે જીવનમૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી.શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિય ને વિપસના ધ્યાન કહે છે.

[ફેરફાર કરો] શેષ જીવન

બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. ૮૦ વર્ષની વયે તેમણે ભૌતિક શરીરનો ત્યાગ કર્યૉ.

'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.."

Buddha lantau.jpg
Buddha nobletruths.jpg

[ફેરફાર કરો] સંદર્ભ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં