બ્રહ્મગુપ્ત
વિકિપીડિયા થી
જીવન અને કાર્ય= બ્રહ્મગુપ્તનો જન્મ ૫૯૮ ઇ.પૂ.માં રાજશ્થાન ના ભિનમાલ શહેરમાં થયો હતો.તેણે તેનું મોટાભાગનું જીવન ભિનમાલ (જે ત્યારે ભિલ્લમાલા તરીકે ઓળખાતું)માંજ,હર્ષસામ્રાજ્યમાં રાજા વ્યાધ્રમુખના સમયમાં વિતાવ્યું હતુ.પરીણામે બ્રહ્મગુપ્તને ભિલ્લમાલાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.તેઓ ઉજ્જૈનની વેધશાળાના વડા તરીકે પણ રહ્યા હતા,અને તે દરમ્યાન તેમણે ગણિત અને ખગોળશાસ્ત્ર પર ચાર પૂસ્તકો પણ લખ્યા:કદમકલા(૬૨૪ માં),બ્ર્હ્મસ્ફૂટસિધ્ધાંત (૬૨૮ માં),ખંડઅખંડ્યકા (૬૬૫ માં) અને દુરકેન્દ્ર (૬૭૨ માં).બ્ર્હ્મસ્ફૂટસિધ્ધાંત તેમનું ઘણુંજ પ્રસિધ્ધ પૂસ્તક છે.મશહુર ઇતિહાસકાર અલ-બરૂનીએ તેના પૂસ્તક તારીક-અલ-હિન્દ માં નોંધ્યા મૂજબ,ખલીફા અલ-મા`મુનના ભારત ખાતેનો રાજદુત એક પૂસ્તક બગદાદ લાવેલ,જેનું અરબીમાં સિંદહિંદ નામે ભાષાંતર કરવામાં આવેલ.મનાયછેકે આ પૂસ્તક બ્રહ્મગુપ્તનું બ્ર્હ્મસ્ફૂટસિધ્ધાંત હતું.