રૂપિયાપુરા

વિકિપીડિયામાંથી
રૂપિયાપુરા
—  ગામ  —
રૂપિયાપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′36″N 72°47′57″E / 22.476641°N 72.79921°E / 22.476641; 72.79921
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો પેટલાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,
શક્કરીયાં તેમજ શાકભાજી

રૂપિયાપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલું એક ગામ છે. રૂપિયાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, અંગ્રેજી માધ્યમની માધ્યમિક શાળા (ન્યૂ ઇંગ્લીશ હાઇસ્કુલ, રૂપિયાપુરા), પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વર્તમાન સમયમાં આ ગામમાં ઘણા ખેડુતો કેળાં, લીલાં મરચાં. બટાટા તેમ જ અન્ય નવા પાકોની પણ ખેતી કરે છે. આ ગામમાં સત કૈવલ મંદિર આવેલું છે, જે ઘણું સુંદર છે. આ ગામના ઘણા લોકો અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકા તેમ જ આરબ દેશોમાં રોજગારી મેળવવા જઇ ત્યાં જ સ્થાયી થયા છે. આ ઉપરાંત પરદેશમાં ઘણા યુવાનો વધુ અભ્યાસ માટે પણ ગયા છે.