વણછરા

વિકિપીડિયામાંથી
વણછરા
—  ગામ  —
વણછરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′00″N 73°05′00″E / 22.2333°N 73.0833°E / 22.2333; 73.0833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો પાદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ કપાસ, તુવર , શાકભાજી

વણછરા (તા.પાદરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા પાદરા તાલુકામાં આવેલું એક ગામ છે. વણછરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ ખાતે પાદરા-જંબુસર રાજ્ય ધોરીમાર્ગ પર આવેલ મુવાલ ચાર રસ્તા થી દક્ષિણ દિશામાં મોભા ગામ થઈને જઈ શકાય છે. આ ઉપરાંત કરજણ થી હાડોદ થઈને પણ વણછરા જઈ શકાય છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં ૧૮૦૦ વર્ષ જુનું ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું જૈન દેરાસર આવેલું છે. આ દેરાસર ખાતે વર્ષ ૨૦૧૪માં જિર્ણોદ્ધાર કરી ચિંતામણી પાર્શ્ચનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Driving directions to Vanachhara Jain Tirth". મૂળ માંથી 2016-11-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૮.