હાથીના પગ તળે દેહાંતદંડ

વિકિપીડિયામાંથી
સેયલોનમાં હાથી દ્વારા આરોપી કેદીનું અંગ વિચ્છિન્ન.આયલેન્ડ સેયલેનનું એન હિસ્ટોરીકલ રીલેશનમાંથી રોબર્ટ ક્નેક્ક્ષનું ચિત્ર (1681).

દક્ષિણ અને અગ્નિ એશિયામાં, ખાસ કરીને ભારતમાં હજારો વર્ષો સુધી હાથીના પગ તળે દેહાંતદંડ એ મોતની સજા માટેની એક સામાન્ય પદ્ધતિ રહી હતી. જાહેર દેહાંતદંડમાં કેદીઓને છૂંદવા, અંગ-વિચ્છેદન કરવા અથવા તેમને રિબાવવા માટે એશિયાઈ હાથીનો ઉપયોગ થતો હતો. કેદી-પીડિતોને તાત્કાલિક મારી નાખવા અથવા લાંબા સમય સુધી ધીમે ધીમે તડપાવીને મારવા માટે એમ બંને રીતથી મોત આપવા માટે આ પ્રાણીઓને સર્વતોમુખી તાલીમ આપવામાં આવતી. રાજવીઓ દ્વારા રાખવામાં આવતા આ હાથીઓનો ઉપયોગ, શાસકની અબાધિત શક્તિ અને જંગલી પ્રાણીઓને નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા, એ બંને દર્શાવવા માટે કરવામાં આવતો હતો.

સામાન્ય રીતે ભયભીત એવા યુરોપના મુસાફરોને હાથીના પગ તળે અપાતા દેહાંતદંડનું દૃશ્ય જોવામાં રસ પડતો હતો, એવું અસંખ્ય સમકાલીન પત્રિકાઓ અને એશિયાના જીવનનાં વૃત્તાન્તોમાં નોંધાયેલું હતું. 18મી અને 19મી સદીમાં આ ક્ષેત્રમાં વસાહતો સ્થાપનાર યુરોપિયન સામ્રાજ્યે છેવટે આ પદ્ધતિને નાબૂદ કરી હતી. મોટા ભાગે આ પદ્ધતિ એશિયા સુધી સીમિત હોવા છતાં, પ્રસંગોપાત્ત પશ્ચિમી સામ્રાજ્યો જેમ કે રોમ અને કાર્થેજ દ્વારા પણ, ખાસ કરીને વિદ્રોહી સૈનિકોની સાથે કામ પાર પાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સાંસ્કૃતિક પાસાંઓ[ફેરફાર કરો]

હાથીઓની બુદ્ધિમત્તા, પાલતૂ થવાની અનુકૂલન ક્ષમતા, અને સર્વતોમુખીતાના કારણે રોમનો કેદીઓને દેહાંતદંડ આપવા માટે, સિંહ અને રીંછ જેવાં અન્ય જંગલી પ્રાણીઓ કરતાં તેમને વધુ પસંદગી આપતા હતા. હાથી, ઘોડા કરતાં વધુ કહ્યાગરાં હોય છેઃ એક ઘોડાને યુદ્ધમાં ધસી જવા માટે તાલીમ આપી શકાય છે, પણ તે સ્વેચ્છાએ શત્રુ સૈનિકને કચડી નાખશે નહીં, ઊલટાનું તેના બદલે તે એને કૂદી જશે. હાથીઓ તેમના શત્રુઓને કચડી નાખશે, આથી તે લશ્કરના અધિકારીઓ સાથેના હાથીઓના યુદ્ધની લોકપ્રિયતા છે, જેમ કે હાન્નીબલ. કેદીઓને મારી નાખવા માટે હાથીઓ એક કરતાં વધારે રીતે તાલીમ આપી શકાય છે, અને રીબામણી દ્વારા ધીમી ધીમે મૃત્યુ તરફ ધતેલી લાંબા સમય સુધી પીડા આપવી કે તેના માથા પર પગ મૂકી ઝડપી મૃત્યુ આપવાનું શીખવી શકાય છે.

ઐતિહાસિક રીતે, હાથીઓ એક ડ્રાઈવર અથવા મહાવતના સતત નિયંત્રણ હેઠળ હતાં, તેથી શાસક છેલ્લી ઘડીએ મોતની સજા માફી કરવા અને દયાના ગુણો દર્શાવવા સમર્થ હોય છે.[૧] વિવિધ એશિયાના રાજાની હુકુમતમાં આવા દયાની કિસ્સાઓ નોંધાયા છે. સૈમના રાજાઓ તેમના હાથીઓને ગુનેગારોની ઉપર "લગભગ જમીનની ઉપર ચોક્કસપણે ધીમેથી ગબડવા તાલીમબદ્ધ કરવામાં આવ્યાં હતાં કે જેથી તેમને ખરાબ રીતે ઈજા ન થાય". મુઘલના સમ્રાટ મહાન અકબર કહ્યું છે, "આ પદ્ધતિનો ઉપયોગ બળવાખોરોને સજા આપવા માટે કરવો અને પછી કેદીઓના અંતમાં, કદાચ વધુ શિસ્તમાં લાવી તેઓને તેમનો જીવ આપી દેવો."[૧] એક પ્રસંગમાં એક વ્યક્તિને સજામાંથી મુક્તિ મળતાં પહેલાં આવી પદ્ધિત દ્વારા હાથીની પાસે ફેંકી દેતાં તે પાંચ દિવસ સુધી પીડાતો રહ્યો હતો, એવું અકબરે નોંધ્યું હતું.[૨] હાથીઓનો ઘણી વખત અગ્નિપરીક્ષા દ્વારા પરિક્ષણ જેવા પ્રકારમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમાં દોષિત કેદી જો હાથીને રોકી શકે તો તેને મુક્ત કરવામાં આવતો હતો.[૧]

આ પ્રચલિત રૂઢિમાં હાથીઓનો ઉપયોગ સામાન્ય શાહી સત્તાની જીવન અને મરણની વહેચણીથી આગળ વધી ગયો હતો. હાથીઓનો ઘણાં લાંબા સમય સુધી શાહી સત્તાના પ્રતિક તરીકે ઉપયોગ થતો હતો (અને હજી પણ કેટલીક જગ્યાએ, જેમ કે થાઈલેન્ડ, જ્યાં સફેદ હાથીઓને અત્યંત આદરપૂર્વક રાખવામાં આવે છે). રાજ્ય સત્તાના ઉપકરણોના રૂપમાં તેમનો ઉપયોગ એવો સંદેશો મોકલવા થતો કે શાસક અત્યંત શક્તિશાળી પ્રાણીઓ જે તેમના સંપૂર્ણ અંકુશમાં રહેલાં હતાં તેમની પર સર્વોપરી સત્તા કરવા સક્ષમ છે. આમ શાસકને જંગલી પ્રાણીઓ પર તેમની સત્તા અને વિષયોની મર્યાદામાં રહસ્ય અને આકર્ષકતા ઉમેરતાં તેઓ એક નૈતિક અને આધ્યાત્મિક વર્ચસ્વ બનાવી રાખનાર તરીકે જોવામાં આવ્યાં હતાં.[૧]

ભૌગોલિક અવકાશ[ફેરફાર કરો]

પશ્ચિમી અને એશિયાઈ એમ બંને સામ્રાજ્યો દ્વારા દુનિયાના ઘણાં ભાગોમાં હાથી દ્વારા કચરવામાં આવ્યાં છે. આવી ફાંસીની પૂર્વકાલીન નોંધો શિષ્ટ યુગના સમયમાં લઈ જાય છે. તેમ છતાં, તે સમયમાં આ પદ્ધતિ પહેલેથી ખૂબ જ સારી રીતે સ્થાપિત થઈ હતી અને 19મી સદીમાં તેની પ્રથા ચાલી એવી જ રીતે ચાલુ રહી હતી.

જો કે આફ્રીકાના હાથીઓ એશિયાના હાથીઓ કરતાં ઘણાં મોટા છે, યુદ્ધ અથવા ઔપચારિક બાબતોમાં પ્રાણીઓના ઉપયોગ જેટલું નજીકનું પણ આફ્રિકન શક્તિ બનાવી શક્તી ન હતી, જેનાથી આફ્રિકાના હાથીઓના પ્રતિરૂપ એશિયાના હાથીઓની સરખામણીમાં તે સરળતાપૂર્વક કાબુમાં આવી જતાં હતાં. આફ્રિકામાં કેટલીક પ્રાચીન શક્તિઓ હાથીઓનો ઉપયોગ કરતાં, પણ તેઓ હવે દક્ષિણ આફ્રિકાની પેટાજાતિ લોક્સોડોન્ટા (અફ્રિકાના) ફારાઓઈન્સીસ (નીરિક્ષણ માટે યુદ્ધના હાથીઓ પરનો લેખ જુઓ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેથી દુનિયાના કેટલાંક હિસ્સાઓમાં વસેલા (અથવા પહેલાં વસવાટ કરતાં) એશિયાના હાથીઓ દ્વારા પાળતુ હાથીઓનો મોટાપાયે ઉપયોગ કરવો સીમિત હતો.

એશિયાની શક્તિઓ[ફેરફાર કરો]

પશ્ચિમ એશિયા[ફેરફાર કરો]

મધ્યયુગના સમય દરમિયાન, પશ્ચિમ એશિયાના સામ્રાજ્ય શક્તિઓ દ્વારા હાથીઓ દ્વારા ફાંસીનો ઉપયોગ થતો હતો, જેમાં બાયઝાન્ટીન, સાસ્સાનીડ, સેલીક્યુ અને ટીમઉરીડ સામ્રાજ્યોનો સમાવેશ થતો હતો.[૧] જ્યારે સાસ્સાનીડના રાજા ખોસ્રાઉ બીજો, જેને 3000 પત્નીઓ અને 12000 મહિલા ગુલામો હતી, તેણે હાદીક્યાહ, ક્રિશ્ચન આરબ નાઅમાનની દીકરીની પત્ની તરીકેની માંગણી કરી. નાઅમાનએ તેની ક્રિશ્ચન દીકરીને પારસીના અંતઃપુરમાં પ્રવેશવાનો ઈન્કાર કરી દીધો, આ ઈન્કાર માટે તેને એક હાથીએ વડે કચડાવીને મોતને ઘાટ ઉતારી દીધો.

મુસ્લિમ મધ્ય પૂર્વના કેટલાંક હિસ્સાઓમાં આ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો હતો એવું દેખાય છે. રબ્બી રાટીસ્બોના પેટાચૈહ, બારમી સદીના જેવીશ મુસાફરે, સેલ્જુક શાસનમાં ઉત્તર મેસોપોટામિયા (આધુનિક ઈરાક)માં તેમના વસવાટ દરમિયાના આ પ્રકારના દેહાંતદંડને નોંધવામાં આવ્યો હતો.[૩]

At Nineveh there was an elephant. Its head is not protruding. It is big, eats about two wagon loads of straw at once; its mouth is in its breast, and when it wants to eat it protrudes its lip about two cubits, takes up the straw with it, and puts it in its mouth. When the sultan condemns anyone to death, they say to the elephant, "this person is guilty." It then seizes him with its lip, casts him aloft and slays him.

દક્ષિણ એશિયા[ફેરફાર કરો]

શ્રીલંકા[ફેરફાર કરો]
હાથી દ્વારા દેહાંતદંડનો ભૌગોલિક અવકાશ

ભારતીય ઉપખંડ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં હાથીઓનો ઉપયોગ દેહાંતદંડની પદ્ધતિ તરીકે વિસ્તૃત રીતે થતો હતો. અંગ્રેજી નાવિક રોબર્ટ ક્નોક્સએ 1681માં લખ્યું હતું તે પ્રમાણે શ્રીલંકામાં કેદમાં પૂરી રાખવામાં આવેલાં કેદી પર હાથી દ્વારા દેહાંતદંડની સજાનું વિવરણ કરવામાં આવ્યું હતો. ક્નોક્ક્ષ કહે છે, હાથીના દાંત પર "ત્રણ બાજુઓ સાથેનો તીક્ષ્ણ લોખંડ વાળું ખામણું બેસાડેલું હોય છે". શૂળીની શિક્ષાના અમલી બાદ તેના દંત શૂળ સાથે ભરાયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિને "હાથી પછી ટુકડામાં તોડે છે અને પછી એક પછી એક અંગો ફેંકે છે". [૪]

19મી સદીના મુસાફર જેમ્સ ઈમર્સન ટેન્નેન્ટ ટીકા કરે છે કે કાન્ડ્યાન (શ્રીલંકા)ના વડા, જેઓ આ પ્રકારના દશ્યોના સાક્ષી હતાં, તેઓએ એમને ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે "હાથી ક્યારેય તેના દંતશૂળોનો એક વખત ઉપયોગ કરતો નથી, પરાજિત શિકાર પર પોતાના પગ રાખવાથી, તેના સૂંઢના અચાનક હલનચલનથી બાકીના અંગોને ખેંચી નાખે છે. " [૫] ક્નોક્સનું પુસ્તક તેના પ્રખ્યાત ચિત્ર "એન એક્યુશન બાય એન એલીફન્ટ" (ઉપર જુઓ)માં આ દેહાંતદંડની પદ્ધતિનું આબેહૂબ ચિત્રણ રજૂ કર્યું છે.

બ્રિટિશ રાજદૂત સર હેન્રી ચાર્લ્સ સર્રે હાથીઓમાંના એક સાથેની મુલાકાતના વિવરણ અંગે 1850માં લખ્યુ કે હાથીનો ઉપયોગ શ્રી વિક્રમ રાજસિન્હા, કાન્ડીના છેલ્લાં રાજા દ્વારા, ગુનેગારોને દેહાંતદંડ કરવા માટે કરતાં હતાં. 1815માં કાન્ડીઅનની સત્તા બ્રિટિશ દ્વારા ઉઠલાવ્યા બાદ હાથી દ્વારા કચડવાની પ્રથા નાબૂદ કરવામાં આવી હતી, પણ દેહાંતદંડની સજા આપતો રાજાનો હાથી હજી પણ જીવતો હતો અને પુરાવાઓને આધારે તેને તેની પહેલાંની ફરજો યાદ આવી હતી. સર્રે ટીપ્પણી કરી છેઃ[૬]

During the native dynasty it was the practice to train elephants to put criminals to death by trampling upon them, the creatures being taught to prolong the agony of the wretched sufferers by crushing the limbs, avoiding the vital parts. With the last tyrant king of Candy, this was a favourite mode of execution and as one of the elephant executioners was at the former capital during our sojourn there we were particularly anxious to test the creature's sagacity and memory. The animal was mottled and of enormous size, and was quietly standing there with his keeper seated upon his neck; the noble who accompanied us desired the man to dismount and stand on one side.

The chief then gave the word of command, ordering the creature to 'slay the wretch!' The elephant raised his trunk, and twined it, as if around a human being; the creature then made motions as if he were depositing the man on the earth before him, then slowly raised his back-foot, placing it alternately upon the spots where the limbs of the sufferer would have been. This he continued to do for some minutes; then, as if satisfied that the bones must be crushed, the elephant raised his trunk high upon his head and stood motionless; the chief then ordered him to 'complete his work,' and the creature immediately placed one foot, as if upon the man's abdomen, and the other upon his head, apparently using his entire strength to crush and terminate the wretch's misery.

ભારત[ફેરફાર કરો]

ભારતમાં ઘણી સદીઓ સુધી હાથીઓનો ઉપયોગ પસંદગીના જલ્લાદ તરીકે થતો હતો. હિન્દુ અને મુસ્લીમ શાસકો કરચોરો, વિદ્રોહીઓ અને શત્રુ સૈનિકોને "હાથીઓના પગ નીચે" ફાંસી આપવામાં આવતી.[૧] મનુસ્મૃતિ અથવા મનુના કાયદાઓમાં સન 200ની આસપાસ ઘણાં ગુનેગારોને હાથીઓ દ્વારા દેહાંતદંડની સજા વિશે લખવામાં આવ્યું છે. ઉદા તરીકે જો સંપત્તિ ચોરી કરવામાં આવી હતી, ત્યારે "રાજાએ તેની સાથેના જોડાણ ધરાવતાં કોઈ પણ ચોરોને પકડ્યા બાદ જો તે અદૃશ્ય થઈ જાય તો તેને હાથી દ્વારા કચડી નાખવામાં આવતો."[૭] ઉદા તરીકે, 1305માં દિલ્હીના સુલતાને મોંગલ કેદીઓને સાવર્જનિક મંનોરંજનમાં હાથીઓ દ્વારા કચડીને મોતને ધાટ ઉતારી દીધા. [૮]

લુઈસ રોયુઝલેટએ આ દેહાંતદંડનું "લે ટુર ડુ મોન્ડ"માં 1868માં વર્ણન કર્યું

મુઘલ સામ્રાજ્ય દરમિયાન, "તે દિવસોમાં ફાંસીના પ્રકારમાં ગુનેગારને હાથીઓ દ્વારા પગ તળે કચડી નાખવો એ સામાન્ય પ્રકાર હતો. " [૯] કેપ્ટન એલેક્ઝાન્ડર હામીલ્ટોનએ મુઘલ સમ્રાટ શાહરજહાઁએ કેવી રીતે ગુનેગાર મિલેટરી કમાન્ડરને "હાથીના બગીચામાં લઈ જવામાં આવ્યો અને ત્યાં જે એક હાથી જે શરમજનક અને ભયાનક મૃત્યુ માટે જાણીતો છે, તેના દ્વારા તેને દેહાંતદંડની સજા આપવામાં આવી" તે વિવરણ 1727માં લખ્યું હતું.[૧૦] મુઘલ સમ્રાટ હુમાયુએ એક ઈમામને હાથી નીચે કચડી નાખવાનો આદેશ આપવામાં આવ્યો, તેના શાસનકાળમાં તે ભૂલથી ટીકાત્મક માનવામાં આવે છે. [૧૧] કેટલાંક સમ્રાટોએ તેઓના પોતાના મંનોરંજન માટે દેહાંતદંડના આ પ્રકારને પણ સ્વીકાર્યો હતો. અન્ય મુઘલ શાસક, સમ્રાટ જહાંગીરે તેના મનોરંજન માટે મોટી સંખ્યામાં ગુનેગારોને કચડી નાખવાનો આદેશ આપ્યો હોવાનું કહેવામાં આવે છે. ફ્રાંસનો મુસાફર ફ્રાંન્કોસ બર્નિયર, જે આવા દેહાંતદંડનો સાક્ષી હતો, તેણે સમ્રાટો દ્વારા આવી ક્રૂર સજામાંથી વ્યત્પન્ન થતાં આનંદની હતાશાપૂર્વક નોંધ કરી હતી. [૨] દિલ્હીની મુઘલ સલ્તનતમાં મુઘલોના હાથીઓ દ્વારા દેહાંતદંડની સજા એક માત્ર પદ્ધતિ ન હતી પરંતુ, હાથીઓને તેમના દંતશૂળમાં ધારદાર છરી ગોઠવી કેદીઓના કટકા કરવા માટે હાથીઓને તાલીમબદ્ધ બનાવવામાં આવ્યાં હતાં.[૧]

અન્ય ભારતીય રાજ્યવ્યવસ્થામાં પણ હાથીઓ દ્વારા દેહાંતદંડ આપવામાં આવતો હતો. મરાઠા છત્રપતિ સામ્ભાજીએ ઘણાં કાવતરાખોરોને આ પ્રકારના મૃત્યુનો આદેશ આપ્યો હતો, જેમાં 17મી સદીના છેલ્લા વર્ષોમાં મરાઠા અધિકારી એનાજી ડાટ્ટોનો સમાવેશ થતો હતો.[૧૨] અન્ય મરાઠા નેતા, જનરલ સન્તાજી પર મિલેટરી શિસ્તનું ઉલંઘ્ઘન કરવા બદલ આ સજા લાદવામાં આવી હતી. સમકાલીન ઇતિહાસકાર ખાફી ખાને નોંધ્યું હતું કે "સન્તાજીને નજીવા ગુના બદલ હાથીના પગ નીચે ફેંકી દેવામાં આવ્યો હતો."[૧૩]

19મી સદીના શરૂઆતમાં લેખક રોબર્ટ કેર્રએ "ગોવાના રાજાએ અપરાધીના દેહાંતદંડ માટે કેટલાંક હાથીઓ રાખ્યાં હતાં તેની સાથે જોડાણ કરે છે. જ્યારે તેમાંના એકની આગળ એક અપરાધીને મોકલી દેવામાં આવતો, જો તેનો રખેવાળ એવું ઈચ્છો કે ગુનેગારનો ખૂબ ઝડપી નાશ થાય, ત્યારે આ કદાવર પ્રાણી તેના પગ તળે તેને તાત્કાલિક કચડી નાખતો, પણ જો તેનો રખેવાળ તેને યાતના આપવા ઈચ્છતો તો તે જેમ માણસ પૈડાને તોડતો હોય એમ તે ગુનેગારને અંગો સફળતાપૂર્વક તોડશે. "[૧૪] " પ્રકૃતિવાદી જ્યોર્જ લુઈસ લેક્લેર્સ, કોમ્ટે ડે બુફ્ફોન પુરાવા સાથે આ લવચીકતાપૂર્વક હેતુને સમર્થન આપતાં દર્શાવે છે કે "હાથીઓ માનવીય તર્ક, (બલ્કિ) એક સરળ, સ્વાભાવિક વૃત્તિ માટે સક્ષમ હતાં".[૧૫]

કોઈ પણ કાયદાઓનોનું ઉલ્લંઘન કરનારને ચેતવણી આપવામાં આવતી હોય તેમ કેટલાંક દેહાંતદંડ ઘણી વખત જાહેરમાં થતાં હતાં. અંત આણવા માટે ઘણાં હાથીઓ ખાસ કરીને મોટા હતાં, તેમાંના મોટાભાગનાનું વજન 9 ટનથી પણ વધુ હતું. દેહાંતદંડને ભયાનક બનાવવાનો ઈરાદો હતો અને, તમામ જવાબદારીઓ તેથી તેઓ મોટાભાગે તેમ કરતાં. તેઓ ઘણી વખત જાહેરમાં યાતનાઓ આપવા માટે દેહાંતદંડ તે જ હાથી દ્વારા લાદવામાં આવતો. 1814માં બરોડા ખાતે થયેલી આવી જ એક યાતના અને દેહાંતદંડનો ખુલાસો પર્સી ટુચકાઓમાં સંરક્ષિત કરવામાં આવ્યો છે. :

The man was a slave, and two days before had murdered his master, brother to a native chieftain, called Ameer Sahib. About eleven o'clock the elephant was brought out, with only the driver on his back, surrounded by natives with bamboos in their hands. The criminal was placed three yards behind on the ground, his legs tied by three ropes, which were fastened to a ring on the right hind leg of the animal. At every step the elephant took, it jerked him forward, and every eight or ten steps must have dislocated another limb, for they were loose and broken when the elephant had proceeded five hundred yards. The man, though covered in mud, showed every sign of life, and seemed to be in the most excruciating torments. After having been tortured in this manner for about an hour, he was taken to the outside of the town, when the elephant, which is instructed for such purposes, was backed, and put his foot on the head of the criminal.

હાથીઓનો જલ્લાદના રૂપમાં થતો ઉપયોગ 19મી સદીના ઉત્તરાર્ધમાં પણ સારી રીતે ચાલુ હતો. 1868માં મધ્ય ભારતમાટે એક અભિયાન વખતે, લુઈસ રોઉસ્સેલેટએ એક હાથીએ એક અપરાધીના દેહાંતદંડની સજાનું વર્ણન કર્યું હતું. દેહાંતદંડ દર્શાવતું એક ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પેડેસ્ટલની ઉપર બળજબરીપૂર્વક અપરાધીને તેનું માથું મૂકવા માટે દબાણ થઈ રહ્યું હતું અને પછી હાથી દ્વારા તેનું માથું પગતળે કચડી નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર લાકડાના ટુકડામાં બનાવવામાં આવ્યું હતું અને તેનું પ્રકાશન લે ટુર ડુ મોન્ડે, એક મુસાફરી અને સાહસિક પ્રવાસની ફ્રેન્ચ ભાષાની મોટી સંખ્યામાં વેચાણ ધરવતું સાપ્તાહિક, ઉપરાંત હાર્પસ્ સાપ્તાહિક જેવી વિદેશી અખબારોમાં પણ કરવામાં આવ્યું હતું. [૧૬]

ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યની વધતી તાકાત સાથે હાથીઓ દ્વારા દેહાંતદંડની સજાની પડતી થઈ અને અંતે તે પ્રથા નાબૂદ કરવામાં આવી. ઈલેયનોર માડ્ડોકે 1914માં લખીને નોંધ કરી હતી કે કાશ્મીરમાં યુરોપીયનો આવ્યાં ત્યારથી, ઘણી જૂની પ્રથાઓ અદ્રશ્ય બની અને તેમાની એક તાલીમ બદ્ધ હાથીઓ દ્વારા દોષિતોને દેહાંતદંડ આપવાની મોતની પ્રથા છે અને વંશપરંપરાગત નામ "ગુન્ગા રાવ"થી જાણીતી હતી. [૧૭]

દક્ષિણ પુર્વ એશિયા[ફેરફાર કરો]

દક્ષિણપૂર્વ એશિયામાં દેહાંતદંડો કરવા માટે હાથીઓનો વ્યાપક રીતે ઉપયોગ કરવાનું નોંધાયેલું છે અને બર્મામાં પ્રારંભિક ઐતિહાસિક સમય[૧૮]થી સાથો સાથે ચામ્પાના રાજ્યામાં અને બીજી બાજુ ઈન્ડો ચાઈનીઝ પેન્નીશુલામાં હાથીઓનો ઉપયોગ થતો હતો. [૧૯] સૈમમાં હાથીઓ આરોપીને પગતળે કચડી નાખે તે પહેલાં હવામાં ફેંકવાની તાલીમ આપવામાં આવતી. [૧] કોચીનચીના (આધુનિક દક્ષિણ વિયેતનામ)ના રાજ્યમાં હાથીઓ દ્વારા દેહાંતદંડની અન્ય પદ્ધતિ જોહ્ન ક્રાવફર્ડની પત્રિકામાં નોંધાયેલી છે, જ્યાં તેઓ 1821માં બ્રિટિશ એટલી તરીકે સેવા બજાવતાં હતાં. ક્રાઉફર્ડ તે ઘટનાને પુનયાદ કરતાં જ્યારે આરોપી થાંભલા સાથે બાંધી દેવામાં આવે છે અને (રાજ્યપાલના પસંદગીનનો) હાથી તેની ઉપર દોડીને ધસી જાયે છે અને તેને કચડી મોત આપે છે. [૨૦]

પશ્ચિમી સામ્રાજ્યો[ફેરફાર કરો]

રોમનો, કાર્થાગીનીયનો અને મેકદોનીયન ગ્રીકો પ્રસંગોપાત દેહાંતદંડ માટે હાથીઓનો ઉપયોગ કરતાં હતાં, જ્યારે યુદ્ધના હાથીઓનો મિલેટરીના ઉદ્દેશ્યમાં પણ ઉપયોગ થતો હતો, ખાસ કરીને અત્યંત પ્રચલિત હૈનિબલના કિસ્સામાં ઉપયોગ થતો હતો. ઇતિહાસકાર દ્વારા નોંધાયેલું છે કે લશ્કરી નોકરી છોડીને ભાગી જનાર સૈનિક, યુદ્ધના કેદીઓ અને મિલેટરીના આરોપીઓનું મૃત્યુ હાથીના પગ તળે આવી જવાથી થયું હતું. પેર્ડીક્કાસ, જે ઈ.પૂ. 323માં મહાન એલેક્ઝાન્ડરના મૃત્યુ પર મેકેડનના કારભારી બન્યા હતાં, જેઓ સ્વાર્થી મેલીગેર પક્ષ વિરુદ્ધ બંડ પોકારતાં બેબીલોન શહેરમાં તેમને હાથીના પગ નીચે ફેંકી કચડી દેવામાં આવ્યાં હતાં.[૨૧] રોમન લેખક ક્વીનટસ કુર્ટીયસ રીફુસે તેના ઇતિહાસકાર એલેક્ઝાન્ડર મોગ્નીમાં વાર્તા સાંકળતાં લખે છે, પેર્ડીક્કાસે જોયું હતું કે તેઓ (સ્વાર્થી પક્ષ) નિષ્ક્રિય બની ગયા હતાં અને તેઓ તેની દયાની યાચના કરતાં હતાં. તેમણે મુખ્ય સંગઠનમાંથી લગભગ 300 માણસોને કાઢી મૂક્યા, જ્યારે એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું ત્યાર પછી યોજાયેલી પહેલી મિટીંગ બાદ તેમના જાણવામાં આવ્યું કે તેઓ મેલીગેરને અનુસરતાં હતાં, અને સમગ્ર આર્મી આગળ આવે તે પહેલાં તેઓને હાથીઓ નીચે નાખી દેવામાં આવ્યાં હતાં. ચોપગા પ્રાણીના પગ તળે તમામ આરોપીને મૃત્યુ ભણી કચડી નાખવામાં આવ્યાં હતાં...."[૨૨]

એવી જ રીતે, રોમન લેખક વાલેરીયસ મેક્સીમસે નોંધ્યું છે કે કેવી રીતે જનરલ લુસીયસ અઈમીલીયલ પૌલય માસેડોનીક્સે પેરસેયસ રાજાને (ઈ.પૂ. 167માં) હરાવ્યાં પછી, એક સરખા ભૂલ બદલ (લશ્કર છોડીને ભાગી જનારા સૈનિક) તેને દેહાંતદંડ માટે હાથીઓ નીચે ફેંકી દેવામાં આવ્યાં હતાં... અને અલબત્ત મિલેટરી શિસ્ત માટે આ પ્રકારની સખત અને ઓચિંતી સજા જરૂરી છે, કારણ કે હાથોમાં નકકર મજબૂતાઈ હોય છે, જે જ્યારે સાચી દિશામાંથી દૂર ફેંકાય છે, ત્યારે વિધ્વંશ કરશે."[૨૩]

સભ્ય સમાજ માટે સીધો જ હાથીઓને જલ્લાદ તરીકેનો ઉપયોગ થયો હોય એવાં ખૂબ ઓછા કિસ્સાઓ નોંધાયેલાં છે. એવું એક ઉદાહરણ જોસેફઅસ દ્વારા ઉલ્લેખાયેલું છે અને ઈજિપ્તના યહુદીઓ સાથે જોડાયેલી 3 મક્કાબીઓનું ડેઉટેરોકાનોનીકલ પુસ્તક હતું, જો કે વાર્તા કદાચ શંકાસ્પદ છે. 3 મક્કાબીઓ પ્લોલેમી ચોથો ફિલોપાટર (ઈ.પૂ. 221-204શાસન કાળ) દ્વારા કરવામાં આવેલાં પ્રયત્નનું અને ડીયનોસસના ચિન્હ સાથે ઈજિપ્તના યહુદીઓની બ્રાન્ડનું વિવરણ કરવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના યહૂદીઓએ તેનો વિરોધ કર્યો, કહેવાય છે કે રાજાએ તેમની ધરપકડ કરી અને તેઓને હાથીઓ દ્વારા કચડી નાખવાનો આદેશ આપ્યો. [૨૪] આખરે સ્વર્ગદૂતોના હસ્તક્ષેપથી સામૂહિક દેહાંતદંડ નિષ્ફળ બનાવવામાં આવ્યાં, ત્યાર બાદ, પ્ટોલેમીએ તેમના યહૂદીઓના વિષયો સંબંધિત ક્ષમાનું વલણ રાખી દરેકને પોતાની સાથે અનુસરણ કરવા રાખ્યાં. [૨૫][૨૬]

હાથી દ્વારા આધુનિક મૃત્યુઓ[ફેરફાર કરો]

વર્તમાન સમયમાં કોઈ પણ દેશ સજા તરીકે હાથી દ્વારા દેહાંતદંડનો ઉપયોગ કરતો નથી. તેમ છતાં, આકસ્મિક રીતે હાથી દ્વારા મૃત્યુ હજી પણ થાય છે. જેને નીચેના મુખ્ય ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય છેઃ

  • જંગલી હાથીઓ  : આફ્રિકા અને દક્ષિણ એશિયા જ્યાં માણસો અને હાથીઓનું સામૂહિક અસ્તિત્વ જોવા મળે છે ત્યાં હાથી દ્વારા મૃત્યુ થાવ તે હજી પણ સામાન્ય છે. એકલા શ્રીલંકામાં, માણસો અને જંગલી હાથીઓ વચ્ચેની અથડામણાં વર્ષો 50-100 માણસોનું મૃત્યુ થાય છે. [૨૭]
  • પાળતુ હાથીઓ  : જ્યારે 1926માં બર્મામાં બ્રિટિશ વસાહત સરકાર માટે પોલીસ ઓફિસર તરીકે કામ કરતી વખતે, જ્યોર્જ ઓરવેલને એક ઘટના સાથે દબાણપૂર્વક કામ કરવાનું કહેવામાં આવ્યું, જેમાં એક પાળતું હાથી મુસ્થમાં ગયો અને ત્યાં એક માણસ પર પગ મૂકતાં તે માણસનું મૃત્યુ થયું. ઓરવેલે તેના જાણીતા નિબંધ શૂટીંગ એન એલીફન્ટમાં આ ઘટનાનું વિવરણ કર્યું છે, જ્યારે નોંધમાં લીધું કે "એક સસલાં કોઈ એક વ્યક્તિ છાલ ઉતારે છે, તેમ વિશાળ ચોપગાના પગ સાથે ઘર્ષણ થતાં તેની પીઠ પરની ચામડી ઉતરાઈ ગઈ હતી."
  • કેદમાં પૂરેલા હાથીઓ  : કેદમાં પૂરાયેલાં હાથી દ્વારા કચડાઈ જવું એ પ્રાણીસંગ્રાહલય અને સર્કસના રખેવાળો માટે મોટું વ્યવસાયિક જોખમ છે[૨૮]; 1990ના દાયકા પછી, એવી કેટલીક સુવિધાઓ "સુરક્ષિત સંપર્ક"ની સાથે હાથી અને રખેવાળની વચ્ચે મુક્ત સંપર્કને બદલવાનો મુદ્દો આગળ મૂકવામાં આવ્યો છે, જ્યાં રખેવાળ હાથીના વાડાની બહારની બાજુએ રહી શકે છે. [૨૯]

સંદર્ભો[ફેરફાર કરો]

ઢાંચો:Spoken Wikipedia

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ઓલસેન, પાન નં. 156.
  2. ૨.૦ ૨.૧ શીમ્મેલ, પાન નં. 96.
  3. બેનીસ્ચ, એ. (ટ્રાન્સ). "ટ્રાવેલ્સ ઓફ પેટાચીના ઓફ રાટીસબોન". લંડન, 1856 .
  4. ક્નોક્ક્ષ, રોબર્ટ. "An Historical Relation of the Island Ceylon". લંડન 1681.
  5. ટેન્નેન્ટ, પાન નં. 281.
  6. સર્ર, સર ચાર્લ્સ હેન્રી, બાર્રોવ, જ્યોર્જ. "સેયલોન: પાસ્ટ અને પ્રેઝેન્ટ ". જોહ્ન મુર્રાય, 1857. પાન નં. 135–6.
  7. ઓવીવેલ્લે, p. 125.
  8. જેક વેઝરફોર્ડ-જાહન્ગીર ખાન, પાન નં.116
  9. નાટેસન, જી.એ.ધી ઈન્ડિયન રીવ્યુ , પાન નં. 160
  10. હેમીલ્ટન, પાન નં. 170.
  11. ઈરાલી, પાન નં. 45.
  12. ઈરાલી, પાન નં. 479.
  13. ઈરાલી, પાન નં . 498
  14. કેર્ર, પાન નં. 395.
  15. બુફ્ફોન, જ્યોર્જ લુઈસ લેક્લેર્ક. "નેચરલ હીસ્ટ્રી ઓફ મેન, ધી ગ્લોબ, અને ઓફ ક્વાડ્રાપેડસ ભાગ 1. લેવીટ્ટ એન્ડ ઓલઈન, 1857. પાન નં. 113.
  16. હાર્પર્સ વિકલી , ફેબ્રુઆરી 3, 1872
  17. મેડ્ડોક, ઈલૈનોર. "વોટ ધી ક્રીસ્ટલ રીવીલ્ડ". અમેરીકન થીઓસોફીસ્ટ મેગેઝીન , એપ્રિલ થી સપ્ટેમ્બર 1914. પાન નં. 859.
  18. ચેવેર્સ, પાન નં. 261.
  19. સ્ચાફર, એડવર્ડ એચ. "ધી ગોલ્ડન પીચીસ ઑફ સમરકન્દઃ અ સ્ટડી ઑફ તાંગ એક્ઝોટિક્સ. યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા પ્રેસ, 1985. પાનું 80. એએસઆઈએન: બી0000સીએલટીઈટી
  20. ક્રાવફ્રોર્ડ, જોહ્ન. "જર્નલ ઓફ એન ઈમ્બાસ્સી ફ્રોમ ધી ગવર્નર- જનરલ ઓફ ઈન્ડિયા ટુ ધી કોર્ટસ ઓફ સૈમ અને કોચીન ચીના". એચ. કોલબર્ન અને આર. બેન્ટલેય, 1830. પાનુ 419.
  21. ફોક્સ, રોબીન લેને. "એલેક્ઝાન્ડર ધી ગ્રેટ". પેનગુઈન, 2004. પાનું. 474. આઇએસબીએન 0-14-008878-4
  22. Curt. સંગ્રહિત ૨૦૦૬-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન10.6-10 સંગ્રહિત ૨૦૦૬-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન (નોંધણી જરૂરી)
  23. ફુટ્રેલ્લ, એલીસન (કોટેડ બાય) (એડી.). "અ સોર્સ બુક ઓન ધઈ રોમન ગેમ્સ". બ્લેકવેલ પબ્લીશીંગ, 2006. પાનું. 8.
  24. 3 મક્કાબીસ 5
  25. 3 મક્કાબીસ 6
  26. કોલિન્સ પાનું 122
  27. "People–Elephant Conflict: Monitoring how Elephants Use Agricultural Crops in Sri Lanka સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન" સ્મીથસોનીઅન નેશનલ ઝુઓલોજીકલ પાર્ક. સુધારો ફેબ્રુઆરી 29, 2008.
  28. "Accidents with Elephants" એલીફન્ટ મેગેઝીન . સુધારો ફેબ્રુઆરી 29, 2008.
  29. Tim Desmond and Gail Laule (1994). "Converting Elephant Programs to Protected Contact" (PDF). Active Environments, Inc. મેળવેલ May 3, 2010.

સ્રોતો[ફેરફાર કરો]

  • ઓલસેન,થોમસ ટી. "ધી રોયલ હન્ટ ઈન ઈરાસન હિસ્ટ્રી". યુનિવર્સીટી ઓફ પેન્નીસુલવેનીયા પ્રેસ, મે 2006. આઇએસબીએન 0-8122-3926-1
  • ચેવેરસ, નોરમન. "અ મેન્યુઅલ ઓફ મેડિકલ જુરીસ્પ્રુડેસન્સ ફોર બેન્ગાલ અને ધી નોર્ધનવેસ્ટર્ન પ્રોવીનસસ". કારબેરી, 1856.
  • કોલ્લીન્સ, જોહ્ન જોસેફ. "બીટવીન એથેન્સ અને જેરુસલેમ: જેવીશ આઈડેન્ટીટી ઈન ધ હેલ્લેનીસ્ટીક ડાયસ્પોરા". વ્મ. બી. ઈર્માન્સ પબ્લીશીંગ કંપની, ઓક્ટોબર 1999. આઈએસબીએન 0-14-200226-7
  • અર્લી, અબ્રાહમ. "મુઘલ થ્રોન: ધી સાગા ઓફ ઈન્ડિયાસ ગ્રેટ ઈમ્પેરરસ, ફોઈનીક્સ હાઉસ, 2005. આઇએસબીએન 0-7538-1758-6
  • હેમીલ્ટન એલેઝાન્ડર. "અ ન્યુ એકાઉન્ટ ઓફ ધી ઈસ્ટ ઈન્ડીઝઃ બીઈન્ગ ધ ઓબઝર્વેશન એન્ડ રીમાર્કસ ઓફ કેપ્ટન એલેક્ઝાન્ડર હેમીલ્ટન, ફ્રોમ ધી યર 1688 ટુ 1723". સી. હીટચ અને એ મીલર, 1744.
  • કેર, રોબર્ટ "અ જનરલ હીસ્ટ્રી અને કલેક્શન ઓફ વોયેજ એન્ડ ટ્રાવેલ્સ". ડબલ્યુ. બ્લેકવુડ, 1811.
  • ઓલીવેલ્લે, પાટ્રીક (ટ્રાન્સ). "ધી લો કોડ ઓફ મેન્યુ". ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ , 2004. આઇએસબીએન0-253-33074-2
  • સ્કીમ્મેલ, એન્નેમોરૈ. "ધ ઈમ્પેર ઓફ ધી ગ્રેટ મુઘલસ: હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર". રૈકશન બુક્સ, ફેબ્રુઆરી 2004. આઇએસબીએન 1-86189-185-7.
  • ટેન્નેન્ટ, ઈમેર્સન જેમ્સ. "સેયલોન: એન એકાઉન્ટ ઓફ ધી આઈલેન્ડ ફીઝીકલ, હીસ્ટોરીકલ અને ટ્રોપોગ્રાફિકલ". લોન્ગમેન, ગ્રાન, લોન્ગમેન અને રોબ્ટસ, 1860.


ઢાંચો:Death