સભ્ય:રામચંદ્ર પટેલ
Appearance
પરિચય
જન્મ : ૧ ઓગસ્ટ , ૧૯૩૯ (જન્મસ્થળ: ઉમતા ) મુળવતન : ઉમતા (જિ. મહેસાણા) અભ્યાસ : એસ.એસ.સી., ડી.એમ.(સી.એન.કલાવિદ્યાવિહાર,અમદાવાદ) વ્યવસાય : શિક્ષણકાર્ય,૩૮ વર્ષ,ચિત્રશિક્ષક તરીકે રહીને હાલ નિવૃત.
હાલ પોતાના ગામમાંજ શિક્ષણ ખેતી સમાજ ગામ વિકાસ સેવા . ગામ વચોવચ ૪૦' ઊંચા રાજગઢી ટીંબામાં ધરબાયેલા સોલંકીકાલીન જૈન મંદિર ના શોધક. એમને ,કવિતા, નિબંધ સાહિત્યના પંદર પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. જે પુરસ્કારને પાત્ર બન્યા છે. 'મારી અનાગસી ઋતુ'(કવિતા), 'રાજગઢી','અરણ્યદ્વાર', 'મેરુયજ્ઞ'(નવલકથા), 'સ્થળાંતર'(વાર્તાસંગ્રહ), અને 'અડધો સૂરજ સૂકો'(નિબંધ) ખ્યાતનામ છે. 'માટી અને મોભ' (સર્જનાત્મક લલિતનિબંધ ૨૦૧૦ માં પ્રસિદ્ધ). તેઓ અત્યંત સંવેદનશીલ,ખુલ્લી નજરે જગતને જોનારા છે. સારું જોવાનું સાંભળવાનું રાખે,. પાછા અંતર્મુખી, બોલવાનું ઓછું, પ્રેમાળ પુરા, તેમજ નીર્દંભી, નિર્વ્યસની , નીતીવાદી, સદાકારી વ્યક્તિત્વ.