ધારીખેડાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટીમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. ધારીખેડા ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, માધ્યમિક શાળા, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
આ ગામમાં રાજપીપળા વિસ્તારના ખેડુતો દ્વારા સહકારી ધોરણે ચલાવવામાં આવતું ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે. આ ગામ અંકલેશ્વરથી રાજપીપળા જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે.