લખાણ પર જાઓ

અખૈયો

વિકિપીડિયામાંથી

અખૈયો અથવા અખઈદાસના નામથી ઓળખાતા આ સંત કવિ છે. તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે. અખા ભગત (અખો) અને અખૈયો બંને અલગ છે. અખૈયાજી આદરીયાણા (તા. દસાડા) ગામના વતની હતા. પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામના નાથ સંપ્રદાયના ગુરુ ભૂતનાથજીના તેઓ શિષ્ય હતા. આદરિયાણાથી દરરોજ રાત્રે ગુરુજીને મળવા મુજપુર જતા હતા. ગુરુકૃપાથી તેમણે એક જ બેઠકે ૩૬૧ જેટલી વાણી (ભજનો, પદો) રચી હતી જે આજે પણ લોકમુખે ગામેગામ ગવાય છે. એમાંય તેમનો હરિ મંદિરમાં હોય થાળી.‌.. એ થાળ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમના નિમંત્રણથી ગુરુ ભૂતનાથ આદરિયાણા આવ્યા હતા, તેથી વરસોથી ધમલા આયરના ચોરા તરીકે ઓળખાતો ચોરો એ પછી ભૂતનાથદાદાના ચોરા તરીકે પ્રસિદ્ધિ પામ્યો. અખૈયાજી અને ભૂતનાથજીની સ્મૃતિરૂપ એવો ચોરો આજે પણ આદરિયાણામાં હયાત છે. અખૈયાની જગ્યા ભૂતનાથ ચોરો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનાં આદરીયાણા (તા. દસાડા) ગામે આવેલી છે.

દર મહિનાની પૂર્ણિમાના દિવસે ગામની સ્ત્રીઓ અને અમાસના દિવસે પુરુષો આ ચોરામાં અખંડ ધૂનભજન કરે છે.