અષ્ટાધ્યાયી

વિકિપીડિયામાંથી

અષ્ટાધ્યાયી એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રન્થ છે. ગ્રન્થ આઠ અધ્યાય અને પ્રત્યેક અધ્યાય ચાર-ચાર પાદમાં વિભાજિત છે. આઠ અધ્યાય હોવાથી જ ગ્રન્થનું નામ અષ્ટાધ્યાયી છે. અષ્ટાધ્યાયી ઉપરાંત તેને અષ્ટક, શબ્દાનુશાસન જેવા નામોથી ઓળખવામાં આવે છે. અષ્ટાધ્યાયી ના કર્તા પાણિનિ છે. અષ્ટાધ્યાયી ગ્રન્થ પોતાની આગવી વિશેષતાઓને કારણે જગપ્રસિદ્ધ છે. કેટલીક વિશેષતાઓ નીચે પ્રમાણે છે. -અષ્ટાધ્યાયી ગ્રન્થ એ લાગવપૂર્ણ છે. લગભગ 4000 સૂત્રોમાં લૌકિક અને વૈદિક બન્ને વ્યાકરણની ચર્ચા અહિં અત્યન્ત લાઘવપૂર્ણ રીતે સૂત્ર શૈલીમાં કરવામાં આવી છે. -ગ્રન્થને અનવદ્ય માનવામાં આવ્યો છે. પતંજલિ મુજબ અષ્યાધ્યાયીમાં સૂત્રતો દૂરની વાત પણ એક વર્ણ પણ અનર્થક નથી -અષ્ટાધ્યાયી એ વાક્યનિષ્પાદક યંત્રની જેમ કામ કરે છે. -આધુનિક સમયમાં પાંચમી પેઢિના કમ્પ્યૂટર કે જે કૃત્રિમ બુદ્ધિ ધરાવતા હોય તેમની શોધ માટે પાણિનિ વ્યાકરણ(અષ્ટાધ્યાયી) ગ્રન્થના માળખાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. -અષ્ટાધ્યાયી વ્યાકરણ માં વૈશ્વિક વ્યાકરણ બનવાની ક્ષમતા છે. ટૂંકમાં ગ્રન્થવ્યવસ્થ નીચે પ્રમાણે છે....... અધ્યાય-1 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 અધ્યાય-2 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 અધ્યાય-3 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 અધ્યાય-4 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 અધ્યાય-5 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 અધ્યાય-6 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 અધ્યાય-7 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 અધ્યાય-8 પાદ-1,પાદ-2,પાદ-3,પાદ-4 આમ સમગ્ર ગ્રન્થ અધ્યાયમાં અને પ્રત્યેક અધ્યાય ચાર ચાર પાદમાં વિભાજિત છે. કુલ પાદની સંખ્યા-32 છે. દરેક પાદમાં અમુક સંખ્યામાં સૂત્રો છે. સૂત્રોની કુલ સંખ્યા લગભગ 4000 છે. આવિષયના ગુજરાતી માધ્યમથી તલસ્પર્શી અભ્યાસ માટે શ્રી ડો. વસન્ત ભટ્ટ (ડાયરેક્ટર ,ભાષાસાહિત્ય ભવન,ગુજરાતયુનિવર્સિટિ,અમદાવાદ)ના પુસ્તકો મદદરૂપ થશે. જિજ્ઞાસુએ તે મેળવવા) ।।तस्मै श्री पाणिनये नमः।।