ચર્ચા:મહીસા (તા. મહુધા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હિસ્ટોરિકલ (ઈતિહાસ)ઐતિહાસિક માહિતી[ફેરફાર કરો]

ગુજરાત માં એક માત્ર મહિસા નામ ધરાવતું ગામ મહિસા છે આ ગામ મહિસા નું પુરાતન નામ મહિસાક છે અને તેવો ઉલ્લેખ ગામ દાણા થી મળેલ તામ્રપત્ર ની વિગત અનુંસાર મહિસાક પંથક થી ઓળખાતું હતું એટલે કે મહિસા ગામ 42ગામ નું વડુ મથક હતું તેમા ઉલ્લેખ છે કે વલ્લભી નો રાજા બાલાદિત્ય ધ્રુવસેન એ દાન માં ખેતક આહાર (વિષય)ખેડા જીલ્લા માં આવેલ મહિસાક પંથક (મહિસા તાલુકા આવેલ દેયરકાગામ (દૈયપગામ)નું દાન બ્રાહ્મણ ભટ્ટ ને આપેલું તે સંવત-314(624-ઈસ) નું તામ્રપત્ર દાણા ગામ નાં પટેલ મનુભાઈ સોમાભાઈ ને ખેતી કામ કરતાં જણાયું તે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટરીયલ એન્ડ એન્યુઅલ વિભાગ માં ઈન્ચાર્જ માં ક.ન.મોમીન સાહેબ ને સોપેલું (ઈસ1978નાં વર્ષ માં)તામ્રપત્ર ની ટુંક વિગત છે 27.61.204.42 ૧૪:૨૩, ૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

મહિ:રાજ્ય (મહિસા)નો ગોહિલ ઈતિહાસ[ફેરફાર કરો]

મહિસા માં ગોહિલ રાજા મંગળજી ને કઠલાલ નાં ફટાયા તરીકે મહિસા પાટે સાત ગામ મલતાં વિક્રમ સંવત-1424માં મહિસા ગાદીએ બેઠા હતાં 27.61.204.42 ૧૪:૫૦, ૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

મહિસા ની અસ્મીતા[ફેરફાર કરો]

મહિસા ગામ પુરાતન ગામ છે તેવા પુરાવાઓ મલે છે જેમકે સિક્કાઓ ચાંદી નાં મહાક્ષત્રપ રાજા રુદ્રસેન નાં મલ્યા છે તે રાજા નો સમય શક સંવત-130 છે તે સિક્કાઓ ને કારણે એમ કહી શકાય કે ગામ મહિસા શક સંવત- 130જેટલું પુરાતન છે જ આ સિક્કાઓ મહિસા થી દક્ષિણ દિશાએ ખેતરો માંથી મળેલાં તેથી એમ કહી શકાય કે પુરાતન ગામ હાલ નું મહિસા થી દક્ષિણ દિશાએ ખંડેરાન થી પણ દક્ષિણ માં હતું 27.61.204.42 ૧૪:૫૮, ૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

મહિસાનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ[ફેરફાર કરો]

મહિસા માં મોઢ જ્ઞાતી પુરાતન જ્ઞાતી નો ઉલ્લેખ મહિસાનો નંદી(પોઠીયો)શિલાલેખ માં વિક્રમ સંવત 1325માં મહિસા પુર નાં ઉતરેશ્ર્વર મહાદેવ મંદિર માં મોઢજ્ઞાતી શિરોમણી આગેવાન ભીમ નાં દ્વારા પોઠીયો મુકાયો તે પુણ્ય નાં ભાગીદાર સોલંકી રાણક(રાજા)પુગવેન પણ થયા હતાં તેમણે મહિ:રાજય પ્રાપ્ત કરેલું તે પોઠીયા શિલાલેખ ની ટુંક વિગત છે સંસોધન કરતાં નો લેખ મહિસાનો નંદી અને બ્રાહ્મ પ્રતિમાઓ-લેખક ડો. હરીલાલ ગોદાની,હરિપ્રસાદ ગંગાશંકર આચાર્ય 27.61.204.42 ૧૫:૧૧, ૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]