છંદ

વિકિપીડિયામાંથી

કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.

મુખ્ય પ્રકાર[ફેરફાર કરો]

  • અક્ષરમેળ છંદ
  • માત્રમેળ છંદ

લગુ ગુરુ કોષ્ટક[ફેરફાર કરો]

કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ કૃ
લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ

લઘુ અક્ષરો[ફેરફાર કરો]

જેના ઉચ્ચાર કરતાં સમય ઓછો લાગે તે અક્ષર લઘુઅક્ષર જેવા કે, ક, કિ, કુ, કૃ છે. લઘુઅક્ષર માટે U (અર્ધચંદ્રાકાર) નિશાની વપરાય છે.

ગુરુ અક્ષરો[ફેરફાર કરો]

જેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર ગુરુઅક્ષર છે, જેવા કે, કા કી કૂ કે કૈ કો કૌ કં કઃ

નિયમો[ફેરફાર કરો]

જોડાક્ષરનો નિયમ[ફેરફાર કરો]

જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

(સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો સત્ય, ઉચ્ચ)

સિ, ખિ, જુ, વિ, બુ, લુ, જિ, સ, ઉ – વગેરે અક્ષરો લઘુહોવા છતાં ગુરુ ગણાય છે.

આ સંયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે.

પણ લડયો, પડયો, ચડયો, મળ્યો - આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુઅક્ષર લઘુ જ ગણાય છે.

અનુસવારનો નિયમ[ફેરફાર કરો]

જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ -પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વાર

વિસર્ગનો નિયમ[ફેરફાર કરો]

વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.

(ઉદા. નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ, નિઃસંતાન)

પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય છે.

ચરણ[ફેરફાર કરો]

છંદની પૂરેપૂરા માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.

તાલ[ફેરફાર કરો]

છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.

માત્રા[ફેરફાર કરો]

માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે.

યમાતારાજભાનસલગા[ફેરફાર કરો]

ગણ બંધારણ દ્વી અંક ક્રમ
યમાતા 011 ->3
માતારા 111 ->7
તારાજ 110 ->6
રાજભા 101 ->5
જભાન 010 ->2
ભાનસ 100 ->4
નસલ 000 ->0
સલગા 001 ->1
0
ગા ગા 1