લખાણ પર જાઓ

નેશનલ સ્ટોક એક્સચેન્જ

વિકિપીડિયામાંથી

નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ (એન.એસ.ઈ.) એટલે ભારતનું સૌથી મોટું શેર બજાર (સ્ટોક માર્કેટ). તેની સ્થાપના નવેમ્બર ૧૯૯૨માં ભારતની મુખ્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં ૧૯૯૨ના વર્ષ સુંધી મુંબઈ સ્ટોક એક્સન્જનું પ્રભુત્વ રહ્યું હતું. પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કાર્યક્ષમ મેનેજમેન્ટના કારણે વર્તમાન સમયમાં એન.એસ.ઈ.નું પ્રભુત્વ વધી રહ્યું છે. અત્યારે સૌથી વધુ સોદા કરતું તે એક માત્ર શેર બજાર છે. માર્કેટ કેપીટલાઈઝેશનના ધોરણે તે વિશ્વનુ સાતમુ મોટુ બજાર છે.

નિફ્ટી૫૦ (NIFTY50)

[ફેરફાર કરો]

નિફ્ટી૫૦ એ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સુચકાંક છે અને રોકાણકારો તેનો બહોળા પ્રમાણમા ઉપયોગમા કરે છે. નિફ્ટી૫૦ની શરુઆત ૨૨ એપ્રીલ ૧૯૯૬ના રોજ થઈ હતી. નિફ્ટી૫૦ના સુચકાંકનો પાયાનો આંક ૧૦૦૦ હજો, જેની શરુઆત ૩ નવેંબર ૧૯૯૫ના દિવસથી થઈ હતી.

લીસ્ટીંગ

[ફેરફાર કરો]

૨૦૨૪ના વર્ષાતે ૩૧ ડિસેમ્બરે કુલ ૨૬૭૧ જેટલી કંપનીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટ થયેલી છે, જેમાંથી ૨૦૮૪ એક્સચેન્જના મેઇનબોર્ડ પર અને ૫૮૭ લઘુ/મધ્યમ કદની કંપનીઓ એન.એસ.ઈ. ઈમર્જ પર લિસ્ટ થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

NSE  ની સ્થાપના 1992માં ભારતીય શેર બજારમાં પારદર્શીતા લાવવા માટે ફેરવાની કમિટીના અહેવાલ અનુસાર ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારના પ્રસ્થાપિત ધારાથી વિરુદ્ધ સભ્યપદ તમામ લાયકાત ધરાવનાર વ્યક્તિ અને સંસ્થાઓ  માટે ખુલ્લું રાખેલ હતું. NSE ભારતીય શેરબજારોમાં વીજાણુ માધ્યમ થી સોદાઓની પતાવટ કરનાર સૌ પ્રથમ શેર બજાર  હતું. આ ઉપરાંત 2000ની સાલમાં વિવિધ શેરો માટે " ડેરિવેટિવ " અને 2008 માં ચલણો માટે પણ 'ડેરિવેટિવ " ચાલુ કરેલ હતા. NSE ની જ એક પેટા સંસ્થા "NSE Emerge " નાના અને મધ્યમ ઉદ્યોગ ગૃહો માટે IPO " ઇનિશિયલ પબ્લિક ઓફર " લાવ્યા વગર પણ લિસ્ટિંગ ની સવલત પુરી પાસે છે. NSE ના મુખ્ય રોકાણકારો ભારતીય જીવન વીમા નિગમ , ભારતીય સ્ટેટ બેન્ક ,સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન છે.