લખાણ પર જાઓ

ભરત મુનિ

વિકિપીડિયામાંથી

ભરત મુનિ ભારતીય રાજવી અને ૠષિ હતા. સંસ્કૃત ભાષાની નાટ્યશાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે.આ આચાર્ય ઇ.સ. ની ત્રીજી સદીની આસપાસ થઈ ગયા.તેમના સમય મુદ્દે જુદા જુદા મતો પ્રવર્તે છે. ભારતીય નાટ્યશાસ્ત્રના મહાનગ્રંથ નાટ્યશાસ્ત્રની તેમણે રચના કરી હતી. નાટ્યકલા માટે આ ગ્રંથને આદિ ગ્રંથ માનવામાં આવે છે. તેમાં નાટ્ય, સંગીત, છંદ, અલંકાર વગેરેનું સાંગોપાંગ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.