યોહાન
બાઇબલમાં યોહાન નું પાત્ર ઘણુ મહત્વનું છે. યોહાનનો ઉલ્લેખ બાઇબલ નાં નવાકરાર માં છે. યોહાન ઇસુ નો દુરનો ભાઈ હતો. યોહાન નાં પિતાનું નામ "ઝ્ખાર્યા" હતું અને તેમની માતાનું નામ "એલીસાબેથ" હતું.જે ઇસુની માતા મરીયમ ની બહેન હતી. જ્યારે યોહાનની માતા એલીસાબેથે ઇસુનાં જન્મ વિષે સાંભળ્યું હતું ત્યારે યોહાન પેટમાં હતો અને તે ખુશી થી ઝુમી ઉઠ્યો હતો.
.
ત્યાર પછી યોહાન નાં બાળપણ ની કોઇ વિષેશ માહીતી બાઇબલ માં મળતી નથી.
પછી જ્યારે યોહાન મોટો થયો ત્યારનું તેનું સુંદર વર્ણન બાઇબલ માં છે. જેમકે : "યોહાન નાં વસ્ત્રો ઊંટના વાળનાં બનાવેલા હતાં અને તે ચામડાનો કમરપટ્ટો પહેરતો હતો. તે રણનાં તીડો તથા રાની-મધ ખાતો હતો" યોહાન , મસીહનાં સંદેશક જેવો દેખાતો નં હતો, જ્યારે ગાલીલ પ્રાંતમાં મુખ્ય યાજકો (ધાર્મીક આગેવાનો) તરીકે "અન્નાસ" અને "કાયાફા" હતાં ત્યારે ઇશ્વરે યોહાનને રણમાં દર્શન આપ્યા અને ઇશ્વરીય જ્ઞાન આપી લોકો ને ઉપદેશ આપવા કીધું
તે શહેરોમાં સંદેશો આપવા ગયો નંહી તેણે તો ઇશ્વરનો પ્રચાર રણ માં કર્યો, લોકો દુરદુરથી તેનોં સંદેશો સાંભળવા આવતા અને પોતાના પાપોની કબુલાત કરી બાપ્તિસ્મા લેતા. યોહાન દ્વાર ખ્રિસ્તી ધર્મ માં "બાપ્તિસ્મા" ની વિધીની શરુવાત થઇ. ઇસુ ને બાપ્તિસ્મા આપનાર આજ વ્યક્તિ હતો.