રામ નિવાસ ઉદ્યાન

વિકિપીડિયામાંથી
આલ્બર્ટ હોલ, જયપુર
આલ્બર્ટ હોલ, જયપુર

રામ નિવાસ ઉદ્યાન એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરમાં આવેલું એક ઉદ્યાન છે. આ ઉદ્યાન શહેરની મદ્યમાં આવેલું છે અને ૩૩ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે. તેમાં આલ્બર્ટ હૉલ મ્યુઝીયમ, પક્ષી ઉદ્યાન, પ્રાણી બાગ, રવીન્દ્ર રંગમંચ, આર્ટ ગેલેરી, પ્રદર્શન મેદાન, વ્યાયામશાળા, અમુક કૅફૅ અને પીકનીક ક્ષેત્રો આવેલાં છે. આ ઉદ્યાન મહારાજા સવાઈ રામ સિંહ દ્વારા ૧૮૬૮માં બંધાવવામાં આવ્યું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]