વઝીરુદ્દીન અલવી

વિકિપીડિયામાંથી

વઝીરુદ્દીન સઆદુદ્દીન અલવી, ‘વજૂ માતરી’ (૧-૧-૧૯૩૧) કવિ અને વાર્તાકાર હતા. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર.

‘અહેવાલના’ (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ’ (૧૯૭૩)માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે.

‘ઊંડા કૂવા ને ટૂંકા દોરડા’ (૧૯૭૯) તથા ‘કાંટે કાંટે ગુલાબ’ (૧૯૮૧) મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્ય પરિષદ