વીર્ય દાન
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |

વીર્ય દાન એ પુરુષ દ્વારા (જે 'વીર્ય દાતા' તરીકે ઓળખાય છે) કરવામાં આવતું શુક્રકોષોનું સ્વૈચ્છિક દાન છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય એવી સ્ત્રીઓને ગર્ભધારણમાં મદદ કરવાનો છે કે જેઓ પુરુષ સાથી ધરાવતી નથી અથવા જેમના સાથી વંધ્યત્વની સમસ્યા ધરાવતા હોય. આ પ્રક્રિયામાં પુરુષ પોતાના વીર્યનું દાન કરે છે જેથી કૃત્રિમ ગર્ભાધાન અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી પદ્ધતિઓ દ્વારા સ્ત્રી ગર્ભધારણ કરી શકે.
વીર્ય દાન વડે જન્મેલું બાળક જૈવિક રીતે દાતાનું જ સંતાન હોય છે, તેમ છતાં મોટાભાગના કિસ્સાઓમાં, જે તે દેશના કાયદાને આધીન, બાળક પર દાતાનો કોઈ કાનૂની અધિકાર કે જવાબદારી હોતી નથી.
રાજ્યોના કાયદાઓને આધીન, વીર્યદાન મહદંશે વીર્ય બેંક કે નિશ્ચિત ચિકિત્સાલયો (ફર્ટિલિટી ક્લિનિક) મારફત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે દાન કરનાર અને સ્વીકારનારની ગુપ્તતા ખાતરીપૂર્વક જાળવવામાં આવે છે.
ભારતીય સંદર્ભમાં, 'ધ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (રેગ્યુલેશન) એક્ટ, ૨૦૨૧' અન્વયે વીર્ય દાન માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ કાયદા મુજબ, વીર્ય દાતાની ઉંમર ૨૧ થી ૫૫ વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે. તેમજ, વીર્ય બેંકોએ એ સુનિશ્ચિત કરવું પડે છે કે દાતા શારીરિક રીતે સ્વસ્થ હોય અને સરકારના નિયમો અનુસાર જરૂરી એવી તમામ તબીબી તપાસ (Medical Screening) કરવામાં આવી હોય.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Assisted Reproductive Technology (Regulation) Act, 2021 (જુઓ પ્રકરણ IV, કલમ ૨૧(b) અને ૨૭(૨))" (PDF) (અંગ્રેજીમાં). India Code.