શક્કરપારા

શક્કરપારા એ ઘઉંના લોટને તેલ અથવા ઘીમાં તળીને બનાવવામાં વાનગી છે.[૧] સુકા ફરસાણ તરીકે નાસ્તામાં શક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે.


બનાવવાની રીત[ફેરફાર કરો]
સામગ્રી[ફેરફાર કરો]
- ૧ કપ ઘઉંનો લોટ,
- અડધો કપ રવો,
- અડધો કપ મેંદો,
- મોવણ માટે અડઘો કપ ઘી,
- દુઘ,
- એક ચમચી એલચી પાવડર,
- એક કપ બારીક પીસેલો ગોળ અને ઘી.
વિધિ[ફેરફાર કરો]
લોટ, રવો, મેંદાને ભેળવીને ચાળી લો. તેમાં મોણ તથા એલચીનો પાવડર ભેળવી દો. એક કપમાં પીસેલો ગોળ ઓગાળી દો અને દુઘ સાથે લોટને બાંધી લો. ૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. મોટી રોટલી વણો તથા મનપસંદ આકારમાં શકરપારામાં કાપી લો. ધીમા તાપે તેને સોનેરી તળી લો.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ Sacharoff, Shanta (૧૯૯૬). Flavors of India: Vegetarian Indian Cuisine. Book Publishing Company. પૃષ્ઠ ૧૯૨. ISBN 9781570679650.