શક્કરપારા

વિકિપીડિયામાંથી
શક્કરપારા, નજીકથી

શક્કરપારાઘઉંના લોટને તેલ અથવા ઘીમાં તળીને બનાવવામાં વાનગી છે.[૧] સુકા ફરસાણ તરીકે નાસ્તામાં શક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે.

શક્કરપારા
શક્કરપારા

બનાવવાની રીત[ફેરફાર કરો]

સામગ્રી[ફેરફાર કરો]

  • ૧ કપ ઘઉંનો લોટ,
  • અડધો કપ રવો,
  • અડધો કપ મેંદો,
  • મોવણ માટે અડઘો કપ ઘી,
  • દુઘ,
  • એક ચમચી એલચી પાવડર,
  • એક કપ બારીક પીસેલો ગોળ અને ઘી.

વિધિ[ફેરફાર કરો]

લોટ, રવો, મેંદાને ભેળવીને ચાળી લો. તેમાં મોણ તથા એલચીનો પાવડર ભેળવી દો. એક કપમાં પીસેલો ગોળ ઓગાળી દો અને દુઘ સાથે લોટને બાંધી લો. ૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. મોટી રોટલી વણો તથા મનપસંદ આકારમાં શકરપારામાં કાપી લો. ધીમા તાપે તેને સોનેરી તળી લો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Sacharoff, Shanta (૧૯૯૬). Flavors of India: Vegetarian Indian Cuisine. Book Publishing Company. પૃષ્ઠ ૧૯૨. ISBN 9781570679650.