સભ્ય:અનિલ ચાવડા

વિકિપીડિયામાંથી

અનિલ ચાવડા[ફેરફાર કરો]

(ગુજરાતી કવિ)

જન્મઃ 10 મે, 1985 (કારેલા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)


પુસ્તકોઃ

1. સવાર લઈને (ગઝલસંગ્રહ)

2. એક હતી વાર્તા (લઘુકથાસંગ્રહ)

3. મીનિંગફુલ જર્ની (નિબંધસંગ્રહ)

4. સુખ-દુઃખ મારી દૃષ્ટિએ...

5. શબ્દ સાથે મારો સંબંધ (હર્ષ બ્રહ્મભટ્ટ સાથે)

6. પ્રેમ વિશે (હર્ષ બ્રહ્મભટ્ટ સાથે)


એવોર્ડઃ

1. ગુજરાત સરકાર દ્વારા યુવાગૌરવ પુરસ્કાર

2. INT (ઇન્ડિયન નેશનલ થિયેટર - મુંબઈ) દ્વારા શયદા એવોર્ડ

3. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તખ્તસિંહ પરમાર પારિતોષક

4. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર


ઇ-મેઇલઃ info@anilchavda.com વેબસાઇટઃ www.anilchavda.com thumbnail અનિલ ચાવડા ગુજરાતી ભાષાના જાણીતા કવિ છે.

હું આ કવિને અવાર નવાર સાંભળતો રહ્યો – માણતો રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. ‘સવાર લઈને’ પાઠકને – વાચકને – ગાયકને અને શ્રાવકને ‘બાગ’ આારામ આપશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. - મોરારિબાપુ

ઉર્દૂના – હિન્દુસ્તાન-પાકિસ્તાનના ખૂબ જ મોટા નક્કાદ અર્થાત વિવેચક પ્રો. વારિસ અલવીએ જાહેરમાં એમ કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. - ચિનુ મોદી

ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. - હર્ષ બ્રહ્મભટ્ટ

અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. - સૌમ્ય જોશી