સૂર્યવર્મન દ્વિતીય
દેખાવ
| સૂર્યવર્મન દ્વિતીય | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| ખ્મેર સામ્રાજ્યનો રાજા | |||||||||
અંગકોર વાટમાં ચિત્રિત સુર્યવર્મન દ્વિતીય | |||||||||
| શાસન | ૧૧૧૩ - ૧૧૪૫/૫૦ | ||||||||
| પુરોગામી | ધરણીન્દ્રવર્મન પ્રથમ | ||||||||
| અનુગામી | ધરણીન્દ્રવર્મન દ્વિતીય | ||||||||
| જન્મ | ૧૧મી સદી યશોધરાપુર(અંગકોર) | ||||||||
| મૃત્યુ | ૧૧૪૫/૫૦ યશોધરાપુર(અંગકોર) | ||||||||
| વંશજ | ધરણીન્દ્રવર્મન | ||||||||
| |||||||||
| રાજવંશ | ખ્મેર | ||||||||
| પિતા | ક્ષિતિન્દ્રાદિત્ય | ||||||||
| માતા | નરેન્દ્રલક્ષ્મી | ||||||||
| ધર્મ | હિંદુ વૈષ્ણવ | ||||||||
સૂર્યવર્મન દ્વિતીય(សូរ្យវរ្ម័នទី២) એ ખ્મેર સામ્રાજ્યનો રાજા હતો, જેણે ખ્મેર સામ્રાજ્ય પર વર્ષ ૧૧૧૩ થી ૧૧૪૫/૫૦ સુધી રાજ કર્યુ હતું. વિશ્વ વિખ્યાત અંગકોર વાટ વિષ્ણુ મંદિરનું નિર્માણ પણ તેણે જ કરાવ્યું હતું. તેમના શાસનની સમયના સ્મારકો, અસંખ્ય સૈન્ય ઝુંબેશો અને મજબૂત રાજ્યની પુનઃસ્થાપનાના કારણે ઇતિહાસકારોએ સૂર્યવર્મન દ્વિતીયને ખ્મેર સામ્રાજ્યના મહાનોત્તમ રાજા તરીકે સ્થાન આપ્યું છે.[૧]:159[૨][૩]
મૃત્યુ અને ઉતરાધ
[ફેરફાર કરો]શિલાલેખોના પુરાવા સૂચવે છે કે સૂર્યવર્મન દ્વિતીયનું મૃત્યુ શક્યતઃ વર્ષ ૧૧૪૫/૫૦ વચ્ચે થયું હતું, સંભવતઃ ચાંપા રાજ્ય સામેના યુદ્ધ દરમિયાન.[૪] ત્યારબાદ તેના પિતરાઈ ભાઈ ધરણીન્દ્રવર્મન દ્વિતીયે તેમનું પદ સંભાળ્યું. સુર્યવર્મન દ્વિતીયના મૃત્યુ બાદ ખ્મેર સામ્રાજ્યના નબળા શાસન અને સંઘર્ષનો સમય શરૂ થયો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Coedès, George (1968). Walter F. Vella (સંપાદક). The Indianized States of Southeast Asia. trans.Susan Brown Cowing. University of Hawaii Press. ISBN 978-0-8248-0368-1.
- ↑ Reynolds, Frank. "Angkor". Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. મેળવેલ 17 August 2018.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Plubins, Rodrigo. "Khmer Empire". Ancient History Encyclopedia. Ancient History Encyclopedia. મેળવેલ 17 August 2018.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ infopleace