અશોક ચક્ર
સમ્રાટ અશોક દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના શિલાલેખો પર પ્રાયઃ એક ચક્ર (પૈંડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે. આ ચક્ર અશોક ચક્ર કહેવાય છે. આ ચક્ર ધર્મચક્રનું પ્રતીક છે. ઉદાહરણ માટે સારનાથ સ્થિત સિંહાકૃતિ (લાયન કેપિટલ) અને અશોક સ્તંભ પર અશોક ચક્ર વિદ્યમાન છે. ભારત દેશના રાષ્ટ્ર ધ્વજમાં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે.
અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે.
[ફેરફાર કરો] ઇતિહાસ
અશોક ચક્ર સમ્રાટ અશોકના સમય પછી અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. સંસ્કૃત શબ્દ ચક્રનો અર્થ 'પૈંડુ' થાય છે. જો કે વાંરવાર થતી એકની એક પ્રક્રિયાને પણ ચક્ર કહેવામાં આવે છે. ચક્ર સ્વત: પરિવર્તિત થતા રહેતા સમયનું પણ પ્રતીક છે. હિંદુ માન્યતાઓ અનુસાર દરેક જીવને આ સંસારના ચાર યુગોમાં થઇને પસાર થવું પડતું હોય છે. જેને સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિના નામથી ઓળખવામાં આવે છે.
[ફેરફાર કરો] આ પણ જુઓ
- અશોક ચક્ર (પુરસ્કાર)
- ભારતનો રાષ્ટ્રધ્વજ (National Flag of India)
- ભારતનું રાષ્ટ્રીય પ્રતીક (National Emblem of India)