ઝવેરચંદ મેઘાણી

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
ઝવેરચંદ મેઘાણી
જીવન ઝરમર
નામ ઝવેરચંદ મેઘાણી
જન્મ

૨૮-૦૮-૧૮૯૬
ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ

૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદ, ભાવનગર, ગુજરાત
વ્યવસાય સાહિત્યકાર (કવિ, લેખક)
જીવન ઉપર અસર મહાત્મા ગાંધી
મુખ્ય કૃતિ સૌરાષ્ટ્રની રસધાર ૧-૫, શિવાજીનું હાલરડું
Wikisource
વિકિસોર્સ માં આ લેખને લગતું મૂળ સાહિત્ય છે.:

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.


ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.


[ફેરફાર કરો] ઝવેરચંદ મેધાણીની કૃતિઓની યાદી

• ડોશીની વાતો - લોકકથા - ૧૯૨૩
• સૌરાષ્ટ્રની રસધાર ૧ - લોકકથા - ૧૯૨૩
• સૌરાષ્ટ્રની રસધાર ૨ - લોકકથા - ૧૯૨૪
• સૌરાષ્ટ્રની રસધાર ૩ - લોકકથા - ૧૯૨૫
• સૌરાષ્ટ્રની રસધાર ૪ - લોકકથા - ૧૯૨૬
• સૌરાષ્ટ્રની રસધાર ૫ - લોકકથા - ૧૯૨૭
• સોરઠી બાહરવટીયાં ૧ - લોકકથા - ૧૯૨૭
• સોરઠી બાહરવટીયાં ૨ - લોકકથા - ૧૯૨૮
• સોરઠી બાહરવટીયાં ૩ - લોકકથા - ૧૯૨૯
• કંકાવટી ૧ - લોકકથા - ૧૯૨૭
• કંકાવટી ૨ - લોકકથા - ૧૯૨૮
• દાદાજીની વાતો - લોકકથા - ૧૯૨૭
• સોરઠી સંતો - લોકકથા - ૧૯૨૮
• સોરઠી ગીતકથાઓ - લોકકથા - ૧૯૩૧
• પુરાતન જ્યોત - લોકકથા - ૧૯૩૮
• રંગ છે બારોટ - લોકકથા - ૧૯૪૫

• રઢીયાળી રાત ૧ - લોકગીતો - ૧૯૨૫
• રઢીયાળી રાત ૨ - લોકગીતો - ૧૯૨૫
• રઢીયાળી રાત ૩ - લોકગીતો - ૧૯૨૭
• રઢીયાળી રાત ૪ - લોકગીતો - ૧૯૪૨
• ચુંદડી ૧ - લોકગીતો - ૧૯૨૮
• ચુંદડી ૨ - લોકગીતો - ૧૯૨૯
• ઋતુગીતો - લોકગીતો - ૧૯૨૯
• હાલરડાં - લોકગીતો - ૧૯૨૯
• સોરઠી સંતવાણી - લોકગીતો - ૧૯૪૭
• સોરઠીયા દુહા - લોકગીતો - ૧૯૪૭

• રાણો પ્રતાપ - નાટક (ભાષાંતર) - ૧૯૨૩
• રાજા રાણી - નાટક - ૧૯૨૪
• શાહજહાંન - નાટક (ભાષાંતર) - ૧૯૨૭
• વંઠેલાં - નાટક - ૧૯૩૩

• નરવિર લાલાજી - જીવનચરિત્ર - ૧૯૨૭
• સત્યવીર શ્રધ્ધાનંદ - જીવનચરિત્ર - ૧૯૨૭
• ઠક્કર બાપા - જીવનચરિત્ર - ૧૯૩૯
• અકબરની યાદમાં - જીવનચરિત્ર - ૧૯૪૨
• આપણું ઘર - જીવનચરિત્ર - ૧૯૪૨
• પાંચ વરસનાં પંખીડાં - જીવનચરિત્ર - ૧૯૪૨
• મરેલાનાં રુધીર - જીવનચરિત્ર - ૧૯૪૨
• આપણાં ઘરની વધુ વાતો - જીવનચરિત્ર - ૧૯૪૩
• દયાનંદ સરસવતી - જીવનચરિત્ર - ૧૯૪૪
• માણસાઈનાં દીવા - જીવનચરિત્ર - ૧૯૪૫

• સત્યની શોધમાં - નવલકથા - ૧૯૩૨
• નિરંજન - નવલકથા - ૧૯૩૬
• વસુંધરાનાં વ્હાલાં દવલાં - નવલકથા - ૧૯૩૭
• સોરઠ તારાં વહેતાં પાણી - નવલકથા - ૧૯૩૭
• સમરાંગણ - નવલકથા - ૧૯૩૮
• અપરાધી - નવલકથા - ૧૯૩૮
• વેવીશાળ - નવલકથા - ૧૯૩૯
• રા ગંગાજળીયો - નવલકથા - ૧૯૩૯
• બિડેલાં દ્વાર - નવલકથા - ૧૯૩૯
• ગુજરાતનો જય ૧ - નવલકથા - ૧૯૪૦
• તુલસી ક્યારો - નવલકથા - ૧૯૪૦
• ગુજરાતનો જય ૨ - નવલકથા - ૧૯૪૨
• પ્રભુ પધાર્યા - નવલકથા - ૧૯૪૩
• કાલચક્ર - નવલકથા - ૧૯૪૭

• વેણીનાં ફુલ - કવિતાસંગ્રહ - ૧૯૨૮
• કિલ્લોલ - કવિતાસંગ્રહ - ૧૯૩૦
• સિંધુડો - કવિતાસંગ્રહ - ૧૯૩૦
• યુગવંદનાં - કવિતાસંગ્રહ - ૧૯૩૫
• એકતારો - કવિતાસંગ્રહ - ૧૯૪૦
• બાપુનાં પારણાં - કવિતાસંગ્રહ - ૧૯૪૩
• રવિંદ્રવીણા - કવિતાસંગ્રહ - ૧૯૪૪

• કુરબાનીની કથાઓ - લઘુકથા - ૧૯૨૨
• ચિતાનાં અંગારા ૧ - લઘુકથા - ૧૯૩૧
• ચિતાનાં અંગારા ૨ - લઘુકથા - ૧૯૩૨
• જેલ ઓફીસની બારી - લઘુકથા - ૧૯૩૪
• દરીયાપારનાં બાહરવટીયાં - લઘુકથા - ૧૯૩૨
• પ્રતિમાંઓ - લઘુકથા - ૧૯૩૪
• પલકારા - લઘુકથા - ૧૯૩૫
• ધુપ છાયા - લઘુકથા - ૧૯૩૫
• મેઘાણીની નવલીકોઓ ૧, ૨ - લઘુકથા - ૧૯૪૨
• વિલોપન - લઘુકથા - ૧૯૪૬

• લોકસાહિત્ય ૧ - લોકસાહિત્ય - ૧૯૩૯
• પગડંડીનો પંથ - લોકસાહિત્ય - ૧૯૪૨
• ચારણો અને ચારણી સાહિત્ય - લોકસાહિત્ય - ૧૯૪૩
• ધરતીનું ધાવણ - લોકસાહિત્ય - ૧૯૪૪
• લોકસાહિત્યનું સમાલોચન - લોકસાહિત્ય - ૧૯૪૬

• સૌરાષ્ટ્રનાં ખંડરોમાં - પ્રવાસ ભાષણ- ૧૯૨૮
• સોરઠને તીરે તીરે - પ્રવાસ ભાષણ- ૧૯૩૩
• પરકમ્મા - પ્રવાસ ભાષણ- ૧૯૪૬
• છેલ્લું પ્રયાણ - પ્રવાસ ભાષણ- ૧૯૪૭

• સળગતું આયર્લૅંડ
• ઍશીયાનું કલંક

[ફેરફાર કરો] મેઘાણીની કૃતિઓનો આસ્વાદ

કૃતિ કૃતિ કૃતિ
લાગ્યો કસુંબીનો રંગ શિવાજીનું હાલરડું રક્ત ટપકતી સો સો ઝોળી
ચારણ કન્યા ગરાસણી હું દરિયાની માછલી
ફૂલમાળ કોડિયું છેલ્લી પ્રાર્થના
માં ઘટમાં ઘોડા થનગને ખમા ! ખમા ! લખ વાર


[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં