તિથી
વિકિપીડિયા થી
વૈદિક સમય ગણનામાં, તિથી એ ચંદ્રદિવસ છે, જે સામાન્ય રીતે અંદાજે ૧૯ થી ૨૬ કલાકનો હોય છે. આની ગણના સૂર્ય અને ચંદ્ર વચ્ચેનાં દેશાંતરકોણ (longitudinal angle) કે જે ૧૨° વધતો જાય,તે પરથી થાય છે.
દરેક ચંદ્ર માસ (lunar month)માં નીચે મુજબની ૩૦ તિથીઓ હોય છે:
| ક્રમાંક | શુકલપક્ષ (સુદ) |
કૃષ્ણપક્ષ (વદ) |
દેવતા અને ખાસિયત(સંદર્ભ આપો)
|
|---|---|---|---|
| ૧ | પ્રતિપદા/પડવો | એકમ | ચંદ્રમાસનાપ્રથમ્ દિવસના અધિપતિ બ્રહ્માજી છે અને તેઓ સર્વ સારા અને ધાર્મિક કાર્ય માટ શુભ છે |
| ૨ | દ્વિતિયા/બીજ | બીજ | ચંદ્રમાસનો બીજા દિવસના અધિપતિ વિધાત્ર છે અને મકાનની આધાર શિલા કે અન્ય સ્થાયી સ્વરૂપના કાર્ય માટે શુભ છે. |
| ૩ | તૃતિયા/ત્રીજ | ત્રીજ | આ દિવસના અધિપતે વિષ્ણુ છે આ દિવસ કેશ કર્તન અને દાઢી કર્થન મુંડન આદિ માટે શુભ છે. |
| ૪ | ચતૃથી/ચોથ | ચોથ | ચોથા દિવસનો સ્વામી યમ છે. શત્રુ ના વિનાશ માટે, અવરોધ હટાવવા માટૅ અને લડાઈ આદિ ના પ્રયાણ માટે આ દિવસ શુભ છે. |
| ૫ | પંચમી/પાંચમ | પાંચમ | આદિવસનો સ્વામી ચંદ્ર છે વૈદકીય સારવાર, ઝેર નિતારણ અને વાઢકાપ આદિ માટે આ દિવસ શુભ છે. |
| ૬ | ષષ્ઠી/છઠ | છઠ | આ દિવસ પર કાર્તીકેયનું પ્રભુત્વ છે.આ દિવસ રાજ્યભિષેક, નવા મિત્રોને મળવા, ઉત્સવો અને આનંદ પ્રમોદ માટે શુભ છે. |
| ૭ | સપ્તમી/સાતમ | સાતમ | ઈંદ્ર આ દિવસના સ્વામી છે પ્રવાસના આરંભ, વાહન ખરીદી, અને અન્ય ચલિત વસ્તુઓની ખરીદી માટે આ દિવસ ઉત્તમ છે. |
| ૮ | અષ્ટમી/આઠમ | આઠમ | આ દિવસના અધિપતિ વાસુ છે, જે શસ્ત્રો ઉપાડવા, સંરક્ષણના સંબંધિ બાંધકામ અને કિલ્લેદારી આદિ માટે ઉત્તમ છે. |
| ૯ | નવમી/નોમ | નોમ | આ દિવસના સ્વામી નાગ રાજ છે, આ દિવસ શત્રુઓના વધ , હિંસા આદિ માટે યોગ્ય મનાય છે! |
| ૧૦ | દશમ | દશમ | આ દિવસ પર ધર્મનું રાજ છે આ દિવસ સત્કાર્ય, ધાર્મિક કાર્ય આધ્યાત્મિક શરૂઆત આદિ માટે ઉત્તમ છે. |
| ૧૧ | એકાદશી/અગીયારસ | અગીયારસ | રુદ્ર એ આ દિવસનું સ્વામી છે.ઉપવાસ,ધર્મિક કાર્ય અને પ્રભુને યાદકરવાનો આ દિવસ છેહિંદુત્વ અને જિનમાર્ગમાં આ દિવસ મહત્ત્વ પૂર્ણ છે. |
| ૧૨ | દ્વાદશી/બારસ | બારસ | સૂર્ય આદિવસનો સ્વામી છે પવિત્ર આગ જલાવવા , ધાર્મિક કાર્ય આદિ માટે મહત્ત્વ પૂર્ણ છે. |
| ૧૩ | ત્રયોદશી/તેરસ | તેરસ | આ દિવસ પર કુબેરનો કાબુ છે મિત્રતા, ઉત્સ્વઓ અને કામુક આનંદ માટે મહત્ત્વપૂર્ણ છે. |
| ૧૪ | ચતૃદશી/ચૌદસ | ચૌદસ | આ દિવસે કલિનું રાજ છે. કાળા ધાગા, મેલી વિધ્યા આદિ માટે આ દિવસ કામનો છે |
| ૧૫ | પૂર્ણિમા/પૂનમ | અમાવાસ્ય/અમાસ | આ દિવસના સ્વામી વસ્વે દેવસ છે. સદકાર્યમાટે ઉપયોગિ છે. |